SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ અથવા બીજાઓએ યાચેલામાં રહીશ” એ અભિગ્રહ તે બીજી પ્રતિમા. પહેલી પ્રતિમા સર્વ સામાન્ય (સર્વ) સાધુએને ઉદ્દેશીને અને બીજી ગચ્છવાસી સાંભોગિક (એક માંડલીવાળા) કે અસાંગિક અભિન્ન માંડલીવાળા) ઉત્કટ વિહારી (નિરતિચાર ચારિત્રવાળા) સાધુઓને અંગે છે, એમ બેમાં ભિન્નતા સમજવી. કારણ કે તેઓ એક બીજાને માટે એ રીતે યાચના કરે છે. ૩-બીજાને માટે વસતિની યાચના કરીશ; પણ હું બીજાએ યાચેલીમાં રહીશ નહિ એ અભિગ્રહ તે ત્રીજી પ્રતિમા આ “યથાલંદક (જિનકલ્પના જેવી કઠોર ક્રિયા કરનાર) સાધુને હોય છે, કારણ કે તેઓ બાકી રહેલા સૂત્રનું તથા અર્થનું અધ્યયન આચાર્ય દ્વારા કરવાની અભિલાષાવાળા હોવાથી આ ચાર્યને માટે તેવી યાચના કરે છે. ૪-“બીજાઓને માટે વસતિ યાચીશ નહિ, પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ એ અભિગ્રહ તે ચોથી પ્રતિમા. આ ગચ્છમાં રહીને જિનકલ્પને અભ્યાસ કરનારા સાધુઓને હોય છે, પહું મારા માટે વસતિની યાચના કરીશ, બીજાને માટે નહિ એવો અભિગ્રહ તે પાંચમી પ્રતિમા. આ જિનકલ્પિક સાધુને હોય છે. જેની વસતિ ગ્રહણ કરીશ તેનું જ સાદડી, ઘાસ વિગેરે પણ સંથારા માટે મળશે તે લઈશ, અન્યથા ઉત્કટાસને કે બેઠાં બેઠાં રાત્રી પૂર્ણ કરીશ એવો અભિગ્રહ તે છઠ્ઠી. આ પણ જિનકલ્પિક વિગેરેને જ હોય છે. ૭–સાતમી પણ છઠ્ઠીના જેવી જ સમજવી, માત્ર “સંથારા માટે શિક્ષા વિગેરે જે જેવું પાથરેલું મળશે તે લઈશ અન્યથા નહિ?
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy