SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૮] ૨. લઘુનીતિ (પેશાબ) કરવી તે છુટામાં, કેરી જગ્યામાં કે જ્યાં તુરત સુકાઈ જાય, ત્યાં કરવી યુક્ત છે. પેશાબ ઉપર જમીનની અંદરની ગટરો મારફત વહીને બહાર ચાલ્યા જાય છે. પરંતુ તેને એ અહિંસાની દૃષ્ટિથી લેશમાત્ર સ્થાન આપી ન શકાય. પાણીને વધારે પડતે દુરુપયેગ, અંદર અંદર રહીને સડતા પદાર્થો તેમાં ઉત્પન્ન થતા અનેક રોગના જંતુઓ. સંમૂર્ણિમ જીવોને હિસાબ જ કોણ ગણે? વળી મળમૂત્રના મેલા પાણીને શાકે, ફળો વિગેરે ઉગાડવામાં મેટા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેમાં વધારે પડતા એ ગંદા પાણીના તો દાખલ થઈને બેસ્વાદ અને દુર્ગધવાળા શાકે અને ફળે પ્રજાના આરોગ્યને અવશ્ય નુકશાન કરે છે. આમ પાપનો સંગ્રહ ગુપ્તપણે એકઠા થાય છે. શહેરમાં ગટરના સૂક્ષ્મ ઝેરી જંતુઓ ઉડ્યા વિના રહેતા નથી. ત્યારે ખુલ્લાં મળમૂત્ર ખુલ્લાં દેખાય ખરાં. પરંતુ હવા, પ્રકાશ, તાપ વિગેરેથી તેને નાશ થઈ જાય, તેથી તેના સંગ્રહ ન થતાં તેથી ઉત્પન્ન થતા ખરાબ તો ફેલાવવાનો પ્રસંગ ન રહે. આજના ગટરના સડામાંથી બીજા બારીક જંતુઓ ઉત્પન્ન થઈ અનેક રીતે ફેલાતા હોય છે. જે ખોરાક અને બીજી જરૂરીઆતો મારફત, હવા મારફત શરીરમાં દાખલ થઈ શારીરિક આરોગ્ય બગાડે છે, આકરી દવાઓ, જંતુનાશક દવાઓ, આકરા શીને મારફત જંતુ સંહારક ગોઠવણ વિગેરેની મદદથી તેને નાબુદ કરવા તે વળી બીજી હિંસા. ગટરો દ્વારા ગમે તેટલું બધું દૂર ૯ઈ જવામાં આવે, પરંતુ અમુક જથ્થાના મેલના સંગ્રહથી ઉત્પન્ન થતાં જંતુઓ અને તેની સાથે સંબંધ ધરાવતા બીજા નાના જંતુઓ માનવને ઘેરી લીધા વિના રહેજ નહી. પ્રજાને આજની ગટરોથી શારીરિક નુકશાન અવશ્ય થયું છે. પ્રથમના જેટલી શક્તિ શરીરમાં રહી નથી. આનું પરિણામ સંતાન ઉપર થાય. પરંતુ આજે યુરોપના અનુકરણની આપણા ઉપર અને આપ
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy