SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ? પગામ સિજજા ચારે નિકાયના ચાવીશ જાતિના દેવેને અંગે અશ્રદ્ધાદિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ તથા જિંરાયા માવનામઃ '—પાંચ મહાવ્રતના રક્ષણ માટે દરેક વ્રતની ભાવવાની પાંચ પાંચ મળી પચીસ ભાવનાઓ, (આ ગ્રન્થમાં જુદી આપેલી છે) તેને અંગે પાલન નહિ કરવું ઈત્યાદિથી જે અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિક્રમણ. તથા “Teત્યા શા-પથ્થવદરામુરાવાસ્ટિક –અહીં સૂત્રાદિના ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા શા માટે ગુરુને છ વન્દન દેવાં, ત્રણ વાર કાર્યોત્સર્ગ કરવો ઈત્યાદિ શાસ્ત્રોક્ત (મેટા જોગની) કિયા કરવી તે ઉદ્દેશન કાળ જાણવા, તે દશાશ્રુતસ્કંધના દશ અધ્યયનમાં દશ, ક૯પસૂત્રનાં દશ અધ્યયમાં દશ અને વ્યવહારના છ ઉદ્દેશાનાં છ—એમ છવ્વીસને અંગે કાલગ્રહણાદિ તે તે ક્રિયા અવિધિઓ કરવાથી (કે અશ્રદ્ધા -અસદભાવાદિ કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણ. તથા સર્વારાડના મુળઃ '—સત્તાવીશ સાધુના ગુણોનું પાલનાદિ નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણુ. તે ગુણો આ પ્રમાણે છેઃ ૧ થી ૬. રાત્રીભાજન વિરમણ સહિત છ વ્રતનું પાલન, ૭ થી ૧૧. પાંચ ઈન્દ્રિયોનો વિજય, ૧૨. ભાવશુદ્ધિ, ૧૩. પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાની શુદ્ધિ, ૧૪. ક્ષમાનું : ઉદ્દેશ-મૂળ સૂત્ર ભણાવવું–ભણવું, સમુદ્દેશ–અર્થથી ભણવુંભણવવું-સ્થિર કરવું અને અનુજ્ઞા-ભણેલું બરાબર છે એવી તથા બીજાને ભણાવવાની સંમતિ લેવી-દેવી. અથવા ઉદ્દેશ એટલે ભણવાના ક્રમને નિર્ણય, સમુદેશ એટલે તે ક્રમનું પાલન અને અનુજ્ઞા એટલે એ રીતે ભણ્યા પછી બીજાને ભણાવવાનો અધિકાર.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy