SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજજા, ક્ષિપ્તજ્ઞાત, ૨. સંઘાટકજ્ઞાત, ૩. અંડકજ્ઞાત, ૪. કૂર્મજ્ઞાત, પ. સેલકજ્ઞાત, ૬. તુંબકજ્ઞાત, ૭. રોહિણીજ્ઞાત, ૮. મલ્લિજ્ઞાત, ૯. માર્કદીજ્ઞાત, ૧૦. ચંદ્રમજ્ઞાત, ૧૧. દાવદ્રવજ્ઞાત, ૧૨. ઉદકજ્ઞાત, ૧૩. મંડુક્કજ્ઞાત, ૧૪. તેતલીજ્ઞાત, ૧૫. નંદીફળજ્ઞાત, ૧૬. અપરકંકાજ્ઞાત, ૧૭. આકીર્ણજ્ઞાત, ૧૮. સુસુમાજ્ઞાત અને ૧૯. પુંડરીકજ્ઞાત. “વિંરાત્યાનમાથાનૈઃ ”—તેમાં સમાધિ-ચિત્તની સ્વસ્થતા, એટલે મેક્ષમાગમાં સ્થિરતાદઢતા, તેને અભાવ તે અસમાધિ અને તેનાં સ્થાને એટલે આશ્રય-નિમિત્ત, તે સ્વ-પરને અસમાધિ પેદા કરનારાં માટે અસમાધિસ્થાને, તે આ પ્રમાણે વીસ છેઃ ૧. જલદી જલદી (અયતનાથી) ચાલવું, ૨. અપ્રમાર્જિત સ્થાને બેસવું, સૂવું ઈત્યાદિ, ૩. પ્રમાજેલા સ્થાને પણ જેમ તેમ બેસવું વગેરે, ૪. શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા વાપરવી, ૫. શાસ્ત્રાજ્ઞા ઉપરાંત વધારે આસન વાપરવું. (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પત્રાદિ સર્વ ઉપકરણે સમજવાં), ૬. રત્નાધિક (વડીલ)ને (અપમાનાદિ) પરાભવ કરે, ૭. સ્થવિરનો ઉપઘાત (વિનાશ) કરે, ૮. પૃથ્વીકાયાદિ ભૂતની એટલે જીવની હિંસા કરવી, ૯. ક્ષણિક કેપ કરે, ૧૦. લાંબા કાળ સુધી કોઇને વશ થવું, ૧૧. બીજાને અવર્ણવાદ બેલવો (નિંદાદિ કરવું), જ સ્થવિરના ત્રણ પ્રકારો છે: એક સમવાયાંગ સૂત્ર સુધીના જ્ઞાતા. તે શ્રુતસ્થવિર; બીજા વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિર અને ત્રીજા સાઠ અથવા સિત્તેર વર્ષની વય વાળા તે વયસ્થવિર.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy