SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી શ્રમણ કિયનાં સૂત્રો-સાથે एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुगंछिअं सम्मं । तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥२॥ વ્યાખ્યા–પ્રથમ શયનક્રિયાના અતિચારોના પ્રતિકમણ માટે કહે છે કે–પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. કેનું પ્રતિક્રમણ? તે કહે છે કે પ્રામાયT” અર્થાત્ “પ્રકામશય્યા” કરવાથી લાગેલા દિવસ સંબંધી અતિચારનું. અહીં પણ “કિયાકાળ” સમજો. અર્થાત્ જ્યારે જ્યારે પ્રકામશય્યા કરવાથી મને અતિચાર લાગ્યો હોય, તે તે વખતે લાગેલા અતિચારનું મને “મિચ્છા મિ દુક્કડ” થાઓ, એ સમાપ્તિકાળ જાણો. એટલે અત્યારે તે મારું પાપ મિથ્યા થાઓ, એમ સમજવું. એમ આગળનાં પદોમાં પણ કિયાકાળ અને સમાપ્તિકાળનો વિવેક કરો. હવે “પ્રકામશાનો અર્થ કહે છે કે “શયન કરવું તે શય્યા” તે પ્રકામ”=અતિશય ચારે પ્રહર સુધી કરવું તે “પ્રકાશચ્યા.” આ અર્થમાં શય્યા એટલે સંથારીયું વગેરે સમજવું. તે પ્રકામા” એટલે સંથારા–ઉત્તરપટ્ટાથી વધારે ઉપકરણો અથવા કપડાને ઉદ્દેશીને ત્રણથી વધારે કપડાં વાપરવાં તે * પ્રકામશય્યા” કહેવાય. એવી કોઈ પણ પ્રકામશય્યા” કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું એમ સંબંધ . આ રીતે “પ્રકાશચ્યા કરવાથી સ્વાધ્યાય ન થઈ શકે તે અહીં અતિચાર સમજ. નિનામાએT= દરરોજ “પ્રકાશય્યા” કરવી તે “નિકામ શય્યા” કહેવાય. તેનાથી “સ્વાધ્યાય નહિ કરવારૂપ” અતિચાર લાગે હોય
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy