SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ - શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાર્થ ગુરુમુખે સંતિકર, લઘુશાન્તિ, બૃહચ્છાતિ, મંગલિક સાંભળી કાળધર્મ પામનાર સાધુના ગુણે સાંભળવા ઉપરાંત અનિત્યતાદિને ઉપદેશ સાંભળ અને પિતાને એક આધારભૂત ગુરુને વિયોગ થયે તેનું દુઃખ ધારણ કરવું. - સાધુઓને કરવાને વિધિ-સાધુ કાળધર્મ પામ્યા હોય તે ચતુર્વિધ સંઘે અને સાધ્વી કાલધર્મ પામ્યાં હોય તે સાધ્વી અને શ્રાવિકા સંઘે ભેગા થઈ દેવવન્દનની કિયા કરવી. તેમાં પ્રથમ મૃતક લઈ ગયા પછી ઉપાશ્રયમાં ગેમૂત્ર છાંટવું, મૃતકને પધરાવ્યું હોય ત્યાં સોનાવાણી કરેલ અચિત્ત પાણીથી ભૂમિ શુદ્ધ કરવી. સાધુ-સાધ્વીએ કાળ કર્યો હોય ત્યાં લેટને સાથિયે કરાવે. પછી કાળધર્મ પામનારના શિષ્ય અને તે ન હોય તે લઘુ પર્યાયવાળા સાધુ કે સાધ્વીએ વ અવળાં પહેરવાં, એ જમણી કાખમાં રાખી દ્વારથી અંદરના ભાગ તરફ કાજે અવળો લે, લેટને સાથિયો. પણ અવળા કાજામાં લઈ લે. પછી કાચા સંબંધી ઈરિ૦ પ્રતિક્રમણ કરીને કાજે પરઠવો. પછી દેવવાદન અને ઇરિટ પ્રતિક્રમણ અવળા વિધિથી કરવું. તેમાં પ્રથમ કલ્યાણકંદની પહેલી સ્તુતિ, એક નવકારનો કાઉસ્સગ, અન્નથ૦, અરિહંતચેઈઆણં, યે વીયરાય, ઉવસગહરં ,નમેહતા, જાવંત કેવિસાહૂ, ખમાસમણ, જાવંતિ ચેઈઆઈ, નમુત્થણ, કિંચિ૦, પાર્શ્વનાથનું ચૈત્યવંદન, ખમા, પ્રગટ લેગસ્ટ એક લેગસ્સને ચંદેસુ નિમ્મલયરા સુધી કાર્યોત્સર્ગ, અન્નત્થ૦ તસ્ય ઉત્તરીય, ઈરિયાવહી, ખમા દઈ અવિધિ-આશાતના મિચ્છા મિ દુકકડું દે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy