SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે પિત કહેવાય, તેથી અધિક લેવાથી વમન વગેરે વિક્રિયા થાય, વ્યાધિ થાય અને છેલ્લે મરણ પણ થાય, માટે પ્રમાણાતિરિક્ત આહાર ન લે. ૩. અંગાર-સ્વાદિષ્ટ આહારાદિની કે તેના દાતારની પ્રશંસા કરતે ભજન કરે તે રાગરૂપ અગ્નિથી ચારિત્રને અંગારા (કોલસા) તુલ્ય બનાવે છે, માટે સરાગપણે એવી પ્રશંસા નહિ કરવી. ૪. ધૂમ્ર-બેસ્વાદ કે અનિષ્ટ અનાદિની કે તેના દેનારની નિંદા કરતે ભોજન કરે તે ચારિત્રને નિન્દારૂપ ધુમાડાથી કાળું બનાવે છે, માટે તેવી નિન્દા નહિ કરવી. ૫. કારણુભાવ-નીચે જણાવેલાં કારણ વિના ભજન કરવાથી સાધુને કારણભાવ નામને દેષ લાગે છે. તે છે કારણે આ પ્રમાણે કહ્યાં છે– वेअणवेयावच्चे, इरिअढाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए, छ8 पुण धम्मचिंताए ॥१॥ ૧. વેદના-સુધાવેદનીય કર્મના ઉદયથી સુધા સહન ન થવાથી, ૨. શરીરમાં અશક્તિના કારણે વૈયાવચ્ચ ન થવાથી, ૩. નેત્રનું તેજ વગેરે મંદ પડતાં ઈર્યાસમિતિનું પાલન ન થવાથી, ૪. શરીરસામર્થ્યના અભાવે સત્તર અથવા સિત્તેર પ્રકારે સંયમની રક્ષા નહિ થવાથી, ૫. આહાર વિના પ્રાણ જવાને સંશય થવાથી અર્થાત્ મરવાને ભય ઊભું થવાથી અને ૬. આર્તધ્યાન થતાં ધર્મધ્યાનને નાશ
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy