SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે ને વશ મન સંયમથી બહાર નીકળે, અસંયમના વિચારવાળે બને, તે એમ ચિંતન કરે કે “તે સ્ત્રી મારી નથી અને હું તેને નથી”-એ પ્રમાણે તેને પ્રત્યે થયેલા રાગને દૂર કરે. (૯) (અહીં એમ સમજવું કે, એક રાજપુત્રે માર્ગમાં ક્રીડા કરતાં કુતૂહળથી પિતાની દાસીને મસ્તકે રહેલા જળપાત્ર પર કાંકરે ફેંકી તેને કાણું કર્યું. દાસીએ વિચાર્યું કે જ્યાં રક્ષક ભક્ષક બને ત્યાં ન્યાય ક્યાંથી મેળવવો? પાણીમાં અગ્નિ ઊઠે ત્યારે તેને બૂઝવવા પાણું ક્યાંથી લાવવું ? ઈત્યાદિ વિચાર કરી તરત જ ભીની માટી વડે જળપાત્રનું %િ પૂરી દઈ પાણને બચાવી લીધું. તેમ જે મનને સંયમ દ્વારા વશ કરવાનું છે, તે કરવા છતાં મન સ્થિર ન થાય ત્યાં બીજે કેણ સહાય કરે છે માટે સ્વયં શુદ્ધ ભાવનાના બળે સંયમથી બહાર નીકળતા મનને વશ કરી સંયમમાં સ્થિર કરવું જોઈએ.) એમ અભ્યત્તર મનેનિગ્રહ કરવાનું જણાવ્યું, કિન્તુ તે બાહ્ય ઉપાયે વિના શક્ય નથી, માટે તેને વિધિ જણાવે છે કે ભાયાવયાદિ ઈત્યાદિ-મનને સંયમમાં સ્થિર કરવા આતાપના કર! (ઉપલક્ષણથી ઉનેદારિકા વગેરે તપ કરવાનું સમજવું). સુકુમારતાને ત્યાગ કર ! (કારણ કે સુકુમારતાના સેવનથી કામની ઈચ્છા જાગે છે.) એ રીતે કામને (ભેગોની ઈચ્છાઓને) “કામ ય’–એટલે ઉલંઘી જા (નાશ કર), કારણ કે તેનું કમિઅં” એટલે આત્મા ઉપર આક્રમણ એ જ દુઃખ છે. એ રીતે આંતર કામવાસનાના નાશ માટે પણ તેના વિષમ વિપાકોને જ્ઞાન બળે વિચારીને ષિનો છેદ કર, રાગને દૂર કર’ એમ કરવાથી તે સંસાર
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy