SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે એ વિષયનું પ્રતિપાદન કરનારી સૂત્રશ્રેણને “પુપિકાએ” કહેવાય છે. ૩૦. “પુષ્પવૃષ્ટિ'-એ પુષ્પિકાઓના વિષયને સવિશેષ રૂપમાં જણવનારી ચૂલિકાઓને “પુષ્પચૂલિકાઓ” કહેવાય છે. ૩૧. ‘કૃuિ ” અને ૩૨. “વૃાિરઃ '-વૃષ્ણિ , -અંધકવૃષ્ણિ રાજા, તેનું વર્ણન જેમાં છે, તે વૃષ્ણિકાઓ અને તે જ દશની સંખ્યાવાળી, તેને વૃષ્ણિદશાઓ”કહેવાય છે. ૩૩. માશfષમાપના –આસ્ય (મુખ)માં જેને વિષ હોય તેને આશીવિષ કહેવાય; તે જાતિથી અને કર્મથી એમ બે પ્રકારે છે, તેમાં વીંછી, દેડકા, સી અને મનુષ્યમાં જાતિથી જાણવા તેઓનું ઝેર અનુક્રમે આ પ્રમાણે છેઃ વીંછીનું ઉત્કૃષ્ટથી અર્ધા ભરતક્ષેત્ર જેવડા શરીરમાં દેડકાનું સંપૂર્ણ ભરત જેવડા શરીરમાં સર્પનું જમ્બુદ્વીપ જેવડા શરીરમાં અને તેવા મનુષ્યનું ઝેર ઉત્કૃષ્ટથી અઢી દ્વીપ જેવડા શરીરમાં વ્યાપક બને છે અને કર્મથી પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્યો. અને અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવની લબ્ધિવાળા સહસ્ત્રાર સુધીના દેવ જાણવા. તપશ્ચર્યાથી અથવા બીજી શક્તિથી આ આશીષ વીંછી, સર્પ વગેરેની જેમ શાપ વગેરેથી બીજાને નાશ કરી શકે છે, માટે તેવા કર્મથી તેઓ આશીવિષ કહેવાય છે; એ આશીવિષ સ્વરૂપને જેમાં વિચાર છે, તે “આશીવિષભાવનાઓ જાણવી. ૩૪. “છિવિષમાવના:” –જેની દષ્ટિમાં ઝેર હોય તે દષ્ટિવિષ કહેવાય છે, અને તેઓને વિચાર જેમાં કરેલું હોય, તે “દષ્ટિવિષભાવનાઓ” કહેવાય. છે. ૩૫. “વારમાવનાઃ '—જંઘાચારણ અને વિદ્યાચારણ
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy