SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે માવત તથા'-તે અમારા ગુરુને અથવા શ્રી જિનેશ્વર, ગણધર આદિને નમસ્કાર થાઓ કે જેઓએ આ અંગબાહ્ય કાલિક શ્રત ભગવંત અમેને આપ્યું છે, અથવા જેઓએ સૂત્ર-અર્થ ઉભયતયા રચ્યું છે. તેનાં નામે આ પ્રમાણે–૧. “ઉત્તરાયનાનિ'–ઉત્તર એટલે પ્રધાન, અથવા પહેલા આચારાંગ સૂત્રના ઉત્તર-વધારામાં કહેલાં, “વિનય અધ્યયન” વગેરે છત્રીશ અધ્યયનવાળો ગ્રંથ તે “ઉત્તરાધ્યયનાનિ. ૨. “ઃ '—દશ અધ્યયનાત્મક ગ્રંથ, જેનું પ્રસિદ્ધ નામ “દશાશ્રુતસ્કંધ છે. ૩. યાજ્ય ’–સ્થવિરકલ્પ, જિનકલ્પ વગેરે કલ્પ અથવા કલ્પ એટલે સાધુને આચાર, તેને પ્રતિપાદક ગ્રંથ તે “કલ્પ. ૪. “વ્યવહાર'-પ્રાયશ્ચિત્ત સંબંધી વ્યવહારને જણાવનાર’ ગ્રંથ તે “વ્યવહાર”. પ. “ષિમાષિતાનિ –અહીં ઋષિઓ એટલે “પ્રત્યેકબુદ્ધ વગેરે સાધુઓ, તે શ્રી નેમિનાથજીના તીર્થમાં નારદ વગેરે વીશ; શ્રી પાર્શ્વનાથજીના તીર્થમાં પંદર અને શ્રી વદ્ધમાનસ્વામીના તીર્થમાં દશ, એમ પિસ્તાલીશ મુનિવરે લેવા, તેઓનાં કહેલાં “શ્રવણ” વગેરે તે તે વિષયનાં પિસ્તાલીશ અધ્યયને, તે “ઋષિભાષિતાનિ. ૬. “નિરોથઃ—નિશીથ એટલે મધ્યરાત્રિએ વસ્તુ જેમ ગુપ્ત રહે છે, તેમ ગુપ્ત રાખવા ગ્ય-રહસ્યભૂત (ગીતાર્થે સિવાય સામાન્ય સાધુને નહિ ભણાવવા ગ્ય) અધ્યયન તે નિશીથ” અર્થાત્ આચારાંગસૂત્રની પાંચમી ચૂલિકા. ૭. મદાનિશીથ-બૃહદ્ નિશીથસૂત્ર'; આ “નિશીથ કરતાં મૂળગ્રંથ અને અર્થ જેમાં
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy