SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જ વસ્ત્ર બને છે, તેમ અહીં આત્મસાધનામાં આ બન્ને જોઈએ. જ્ઞાનમાં સૂક્ષ્મતા અને ઊંડાણ હોય પણ કિયામાં રુચિ-શ્રદ્ધા મંદ હોય છે તેથી ઈષ્ટપ્રાપ્તિની દિશામાં ગતિ ન થઈ શકે. એ જ રીતે કિયામાં રુચિ અને સતત પ્રવૃત્તિ હેય, પણ એ જ્ઞાનથી આલેક્તિ ન હોય તે તે પણ ન . ચાલે. તાણે ઊજળો હોય અને વાણે મેલે હોય તે વસ્ત્ર શેભે નહીં બને ઊજળાં જોઈએ—એવી સાદી સમજની આ વાત છે. શ્રમણજીવન સૂક્ષ્મમાં સૂક્ષમ અહિંસાના નિત્ય-નિરંતર પાલનથી ભરેલું છે. કેઈ પણ સત્ત્વ-ભૂત-પ્રાણ કે જીવને મનથી પણ દુઃખ, પીડા, ભય કે ત્રાસ અથવા પરિતાપ ન આપવાં એ એની સાધનાને રાજમાર્ગ છે. એટલે પછી વાણી અને કાયાથી કઈ પણ જીવને થોડીક પણ કિલામણું -વેદન પહોંચાડવાની તે વાત જ ક્યાં રહી? તેથી જીવન માટે ચાલવા-બેસવા, સુવા-ઊઠવાની જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે, તે બધી જયણાપૂર્વક-જાગૃતિ સાથે-કરવાનું ફરમાવવામાં આવ્યું છે. આ જાગૃતિ અને જયણને શ્રમણજીવનમાં એકસાથે ખીલવવાની હોય છે. શ્રમણજીવનની દશવિધ ચકવાલ સામાચારીપૂર્વકની દિનચર્યા અપ્રમત્ત સાધક જ આચરી શકે તેવી સઘન અને સૂક્ષમ હોય છે. તેમાં પ્રતિક્રમણ, પ્રતિલેખન, ગવેષણ વગેરે કિયાકાળે જે જે સૂત્રો બેલવાનાં હેય છે, તે બધાં સૂત્રોના અર્થ, રહસ્ય અને તાત્પર્ય બહુ ગંભીર
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy