SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ મુનિસુંદરસૂરિના કાળ વિ॰ સં॰ ૧૪૫૦ થી વિ॰ સ૦ ૧૫૦૦ સુધીના ૫૦ વર્ષના કાળ. આ કાળમાં સાહિત્યક્ષેત્રે, ધપ્રભાવનાના ક્ષેત્રે, મંદિશના નિર્માણક્ષેત્રે દિપ્તિમાન સમય હતો. ઉગ્ર તપશ્ચર્યાદ્વારા પદ્માવતી દેવી આદિઓને પ્રત્યક્ષ કરનાર, સંતિકર સ્તવન રચી દેલવાડામાં મહામારીના ઉપદ્રવને નિવારનાર, શિાહીમાં તીના ઉપદ્રવ રાકી અમારિ પ્રવર્તાવનાર, નાની ઉંમરમાં ૧૨-૧૪ વર્ષની વયે ત્રૈવેદ્યગોષ્ટી જેવા ન્યાય વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના પરિચય આપનાર ગ્રંથ રચી સિદ્ધસાસ્વત કવિ, ગુૉવલી જેવા અતિશ્રધ્ધેય ગ્રંથા બનાવી શાસનને અવિચ્છિન્ન ઈતિહાસ રજુ કરનાર, અધ્યાત્મ કલ્પદ્રુમ જેવા મહાકાય વૈરાગ્યવાહી ગ્રંથ રચનાર વૈરાગ્યમૂર્તિ, ઉપદેશરત્નાકર જેવા સ્વાપન્નવૃત્તિ સહિત ગ્રંથ રચના કરી પાપકાર કરનાર, શાસનના અપૂર્વ પ્રભાવક સહસ્રાવધાની મુનિસુંદરસૂરિ મહારાજ હતા. તેમના શાસનકાળ દરમિયાન રાણકપુરના ત્રૈલોકયદીપક-ધરણમહાપ્રાસાદની ૧૪૪૪ થાંભલાના મહા જિનમંદિરની પ્રતિષ્ઠા વિ॰ સં૰ ૧૪૯૬ માં તેમના ગુરૂ સાથે થઈ હતી. આ વખતે ગુરૂ મહારાજની ઉંમર ૬૬ વર્ષની અને તેમની ઉંમર ૬૦ વર્ષની હતી. तैः परिकरितो राणपुरे श्री धरण चतुर्मुख विहारे ऋषभाद्यनेक શતશ્ર્ચિય પ્રતિષ્ઠા ત્ ( તપાગચ્છ પટ્ટાવલી ) મુનિસુંદરસૂરિ મહારાજ કુલ આયુષ્ય ૬૭ વર્ષ પાળી વિસ॰ ૧૫૦૩માં સ્વĆગભન પામ્યા. તેમણે તેમના ૬૦ વર્ષના સંયમજીવન દરમિયાન અનેક મદિશ, અનેક ગ્રંથ એને અનેક શિષ્યા દ્વારા શાસનની અનેકવિધ પ્રભાવના કરી. આ મુનિસુંદરસૂરિએ અધ્યાત્મ કલ્પદ્રુમ, ઉપદેશ રત્નાકર, જ્યાનંદ ચરિત્ર, પટ્ટાવલી, ત્રૈવેદ્યગાછી, મિત્રચતુષ્ક કથા, જિનસ્તોત્રરત્નકા વિગેરે અનેક ગ્રંથની રચના કરી છે. વિક્રમચરિત્ર, પ્રભાવક કથા, ભરતેશ્વરવૃત્તિ ઉણાદિનામમાલા આદિના રચયિતા શુભશીલગણિ મુનિસુંદરસૂરિ મહારાજના શિષ્ય છે. તેમણે ગુરૂત્રાતાઓમાં વિશાલરાજ, રત્નશેખરસૂરિ, ઉદ્દયન દિ, ચારિત્રરત્ન, લક્ષ્મીસાગર અને સામદેવ વિગેરેને ગણાવ્યા છે. આમ મુનિસુંદરસૂરિ ગચ્છના નાયક ઉપરાંત ગ્રંથકાર, કવિ, તપસ્વી, પ્રભાવક, મંત્રવિદ્યાશીલ, ઈતિહાસકાર, શાસ્ત્રોના ઉંડા અભ્યાસી મહા તેજસ્વી પુરૂષ હતા. આ ગ્રંથ તેમણે વિ॰ સ૦ ૧૪૭૦ લગભગમાં રચ્યો છે. પ્રાચીન કાળના દરેક ગ્રંથામાં મંગળ, અભિધેય, પ્રયેાજન અને સબધરૂપ અનુબંધ ચતુષ્ય એજ ખરી રીતે તે તે ગ્રંથની પ્રસ્તાવના છે. કેમકે ગ્રંથમાં શુ' કહેવાનુ છે અને કયા સંબંધથી ગ્રંથ કરવામાં આવ્યા છે તે કહેવામાં આવે છે. આ પ્રકાશિત થયેલ જયાનંદ કૅવલિ ચરિત્રમાં પણ ગ્રંથકાર સ્તુત્યગણુની સ્તુતિ કર્યાં બાદ ધર્મના ઉપદેશથી કર્તા અને શ્રોતા બન્નેને અનુક્રમે મેાક્ષ પ્રાપ્ત થાય છે. આમ ધર્મોપદેશ એ આ ગ્રંથનુ પ્રયેાજન છે. આમ ધર્મોપદેશ સાથે જીવાની વ્યાખ્યા, ધર્મની વ્યાખ્યા, ધર્મના પ્રકાર વિગેરેનું વર્ણન કર્યો બાદ ધના ઉપદેશ હમેશાં દ્રષ્ટાંત દ્વારા જ શ્રોતાઓમાં સ્થિર થાય, માટે જ્યાનંદ કૅવલિ ચરિત્ર આપ્યું છે. વિગેરે પ્રસ્તાવના જ છે. મુનિસુ ંદરસૂરિ મહારાજ અનુબંધ ચતુષ્ટય જણાવ્યા બાદ કથાની શરૂઆત ઉત્તમ મુનિના આચાર અને દાનરૂચિ જીવના પ્રારંભદારા કરે છે.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy