SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમા સ ૩૭ સિહા સિ’હના-વડે હાથીઓના સમૂહને ત્રાસ પમાડવા લગ્યા, પુંછડાના પછાડવાથી રથોને શબ્દ કરાવવા લાગ્યા તથા દાઢા અને નખોવડે હણીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. મેટા ફુફાડાવડે પરાભવ ન પામે એવા સર્પો ભયકર ફણાઓના પ્રહારથી મણિઓની સંધિઓને ફેાડી નાંખે એવું પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ઘેાર એવા ઘેરઘુર શબ્દવડે દુર, આકાશમાં ઉછળતા, પરસ્પર અથડાતા અને તીક્ષ્ણ દાઢાવડે હણુતા એવા ભુંડા યુદ્ધ કરવા લાગ્યા. એ જ પ્રમાણે અષ્ટાપદ, મૃગ, શાલ, પાડા વિગેરે વિદ્યાધરાનાં વાહને અને ખીજા પશુએ પણ અનાદિ ભવના અભ્યાસથી, વીરાના નિરંતરના સંગથી, ક્રોધ અને અભિમાનાદિકવર્ડ યુક્ત હાવાથી અને પોતપાતાના સ્વામીની પ્રેરણાથી પ્રાણાને પણ તૃણુ સમાન ગણતા, શત્રુના ક્ષય થાય ત્યાંસુધી શત્રુને પીઠ નહિ દેખાડતા, જાણે વીરેંદ્રો હોય તેમ ચિરકાળ સુધી યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે પશુઓનું પણ શૌય જોઈ અત્યંત ગર્વિષ્ઠ થતા વીરે પોતાના સમગ્ર અળવડે સંગ્રામ કરવા લાગ્યા. તેમાં કાપના આવેશથી યુદ્ધ કરતા ખેચરચક્રીના સુભટાએ કુમારરાજનું કેટલુંક સૈન્ય,ભાંગી નાંખ્યું, તેથી તે દીનતા ધારણ કરવા લાગ્યુ. તેને ત્રાસ પામતુ... જોઈ યુદ્ધ કરવા ઈચ્છતા સ્ત્રીરૂપધારી કુમારરાજને સ્વામીભક્તિથી નિવારી મદોન્મત્ત હાથીએપર આરૂઢ થયેલા, જાણે કે વિશ્વના સમગ્ર વીરાની શક્તિ ગ્રહણ કરીને તેવડે બનાવ્યા હોય એવા બળવાન, યુદ્ધને વિષે પ્રસિદ્ધ કીતિવાળા, નવા અળવાળા અને માયાવડે સ્ત્રીએનાં શરીરને ધારણ કરનારા વીરાંગદ, મહાબાહુ, સુઘાષ અને સુમુખ વિગેરે પાંચસે સુભટાએ શત્રુઓને યુદ્ધ કરવા મેલાવ્યા. તેઓએ કત્યારે ખાણા ગ્રહણ કર્યાં અને કયારે સૂકાં તે કેઈના જાણવામાં આવ્યું નહિ; પરંતુ તેના માણેાથી હણાઈ ને પડેલા શત્રુએ જ લેવામાં આવ્યા. ક્રોધના આવેશવાળા તેએએ ઘણા વીરેને પૃથ્વીપર દીર્ઘ નિદ્રાવડે સુવાડી દીધા, અને ખીજા સાજાવીશ પણ મરણુના ભયથી તે સુતેલાની અંદર જ કપટનિદ્રાથી સુઈ ગયા. તેઓએ રથીઓને રથ રહિત કર્યાં અને રથોને રથીએ રહિત કર્યા, સ્વારાને અશ્વ રહિત કર્યા અને અશ્વોને સ્વારા રહિત કર્યાં, હાથીના સ્વારાને હાથી રહિત કર્યા અને હાથીઆને હસ્તીસ્વારા રહિત કર્યાં, વિમાનિક ચેાદ્ધાઓને વિમાન રહિત કર્યાં અને વિમાને ને વિમાનિક ચાઢા રહિત કર્યાં, તથા પગે ચાલનારા ઘણા સિનેકાને તેમના પગે છેદી પગે ચાલી ન શકે તેવા કર્યાં, આ પ્રમાણે ખેચરચક્રીનું સમગ્ર સૈન્ય બળ રહિત કરી નાંખ્યું.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy