SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ સર્ગઃ ( આ પ્રમાણે શ્રાવક મિત્રના મુખથી તે મુનિનું ચરિત્ર સાંભળીને મંત્રી પશ્ચાત્તાપ અને ભયથી વિહ્વળ થયે, તેની પ્રિયાએને પણ તેવી જ વિહળ જે વિસ્મય પામેલ તે મંત્રી છે કે –“હા! હા! હે મિત્ર! અજ્ઞાનવડે અંધ ચિત્તવાળા મેં અને મારી પ્રિયાઓએ કોધથી આક્રોશનાં વચનવડે તે મુનીશ્વરની વિરાધના કરી છે. અમે અભ્યાસ નહીં હોવાને લીધે જૈન સાધુઓના આચારાદિકને જાણતા નથી, તેમાં પણ આવા મહાત્મા મુનિના આચારને તે વિશેષે કરીને જાણતા નથી. તેથી હમણાં તેમના શાપને અમને ભય લાગે છે. તે સાંભળી ધર્મરૂચિ શ્રાવકે કહ્યું કે– “તે કપાળ મુનિ કેઈને પણ શાપ આપતા જ નથી, અને તેમની સેવા કરનારા દેએ પણ તમે ભાગ્યવાન હોવાથી તમને શાપ આપ્યો નથી. પરંતુ તે મુનિની હીલના આ લેક અને પરલેકમાં દુઃખદાયક થાય છે, તેથી પાપ અને અમંગળની શાંતિ કરવા માટે તેમની પાસે જઈને તેમને ખમાવે તે સારું.” તે સાંભળી મંત્રીએ કહ્યું કે– “હે મિત્ર ! તમારું કહેલું સર્વ અમે કરશું. અમે ખીર વગેરે વસ્તુ આપતા છતાં તે મુનિએ કેમ કાંઈ પણ ગ્રહણ ન કર્યું? ” શ્રાવકે કહ્યું—“તમે તે તે વસ્તુ કેવી રીતે આપતા હતા; તે મને હમણાં બરાબર બતાવે.” તે સાંભળી તેમણે પ્રથમની હકીકત બધી કહી બતાવી. ત્યારે ખીરના છાંટા પૃથ્વી પર પડ્યા હતા, તેની ઉપર ઘણી કીડીઓ આવી હતી તે સર્વ જતા આવતા માણસના પગથી મર્દન થતી જોઈ તે શ્રાવકે તેમને દેખાડીને કહ્યું કે–“હિંસાદિક અનર્થને કરનારા છાંટા જ તે ખીર નહીં લેવામાં કારણ ભૂત છે, અને ભાત વિગેરે ન લીધું તેમાં સચિત્ત ઉપરથી કે સચિત્તની નીચેથી લેવાથી તેની વિરાધનાનું કારણ છે. પછી દહીં ન લેવાનું કારણ સમજાવવા માટે અદતાનું પિતું ઢાંકીને દહીંનું પાત્ર તડકામાં મૂકયું, એટલે દહીંમાંથી તેના પર આવેલા દહીંની જેવા જ વર્ણવાળા શ્વેત કુંથુવા બતાવ્યા કે જે તે દહીં ન લેવાના કારણરૂપ હતા, છેવટે તેઓએ મોદક દેખાડ્યા, તે બેંતાલીશ ષથી રહિત હતા, તે જોઈ શ્રાવકે કહ્યું કે “આને નહીં ગ્રહણ કરવાનું કારણ હું જાણતો નથી, તેથી મુનિને જ પૂછશું.” પ્રમાણે સર્વ જોઈ તથા સાંભળીને વિસ્મય પામેલા મંત્રીએ વિચાર્યું કે— અહો ! અરિહંતન ધર્મની સૂક્ષ્મતા ઘણું જ આશ્ચર્યકારક છે, અને મુનિની નિસ્પૃહતા પણ અતિ આશ્ચર્યકારક છે. મેં વિચિત્ર પ્રકારના-જૂદા જૂદા પાત્રોને અનેક પ્રકારે દાને આપ્યાં છે અને અનેક શાસ્ત્રોને અભ્યાસ પણ કર્યો છે, છતાં આવું કઈ ઠેકાણે જોયું નથી.” પછી શ્રાવકે કહ્યું કે “ચાલે આપણે તે મુનિને નમવા જઈએ અને કૃતાર્થપણું ધારણ કરીએ.” મંત્રીએ કહ્યું–“અમે તેને અપરાધ કર્યો છે, તેથી તેને શી રીતે LEYAS :: - - - - - -
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy