SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પર બેસી વામનને પેાતાની પાસે બેસાડયો અને બીજા સર્વ સભાસદા પાતપેાતાને ચાગ્ય સ્થાને બેઠા. પછી રાજાએ વામનને સારી રીતે વિજય કર્યાના સમાચાર પૂછ્યા. ત્યારે વામન ખેલ્યા કે હે ભૂપતિ ! કળાને વિષે અને યુદ્ધને વિષે હું કાંઈ જીત્યા નથી; પરંતુ મારા હૃદયમાં જે સમ મંત્ર રહ્યો છે, તે જ શ્રીપરમેષ્ઠિ મંત્રે આ સા પરાજય કર્યાં છે. જો હૃદયમાં શ્રીપ’ચપરમેષ્ઠી મંત્ર રહેલા હોય તે સર્વ ગ્રહે! પ્રસન્ન થાય છે. દેવા વશ થાય છે, દુષ્ટ રાજાઓ અને ખળ પુરૂષો પરાભવ કરવા સમર્થ થતા નથી, વિશ્નો નાશ પામે છે તથા સર્વ સંપદાએ આપણી પાસે આવીને વિલાસ કરે છે.’’ આવાં તેનાં વચન સાંભળી સર્વ સભ્યાએ ગવ સહિત અને જૈનધમી એવા તેની પ્રશંસા કરી, તથા જેને પ્રભાવ પ્રત્યક્ષ જોવામાં આવ્યા હતા એવા શ્રીપ'ચપરમેષ્ઠી મત્રની પણ સ્તુતિ કરી. પછી વામને બાંધેલા સ` વીરાને ત્યાં ખેલાવી મુક્ત કર્યાં. તે વખતે જેએ પ્રથમ મુંડાયેલા હતા તેઓએ ચંડપાળને પણ મુંડિત જોઈ તેની મશ્કરી કરી. ત્યારે તે ચંડપાળ તેમની મશ્કરી કરતાં ખેલ્યુંા કે— “ ન સુવું પંમિ: - સદ્ ’’–“ પાંચ જણાની સાથે દુઃખ પડે તે દુઃખ જણાતું નથી.” ત્યારથી લાકમાં પણ આ શ્ર્લાકના એક પાદ કહેવત રૂપે પ્રવર્ત્યોં. પછી ઔષધિના જળથી સર્વ સુભટા, હાથીએ, અશ્વો વિગેરેને તથા કંઠે પ્રાણ આવ્યા હોય એવા પણ ઘાતથી પીડિત સુભટાદિકને તે વામને સજ્જ કરી દીધા. કૃપાળુ હાવાથી હણવાને નહિ ઈચ્છતા એવા તેણે સુભટાદિકને અપેક્ષા સહિતજ પ્રહારો કર્યા હતા કે જેથી ઘણા મરણ પામ્યા નહાતા. પછી રાજા વિગેરે સ જનાએ તેની પ્રાર્થીના કરી કે—“ હું કુમાર ! જેમ તમે તમારા ગુણેા પ્રગટ કર્યો છે, તેમ તે ગુણાને તુલ્ય એવું તમારૂં અસલ રૂપ પણ પ્રગટ કરા,” તે સાંભળી તેમની દાક્ષિણ્યતાથી તેણે ઔષધિના પ્રયાગવડે પેાતાનું અસલ રૂપ ધારણ કર્યું. વિશ્વને જીતે એવુ તેનુ રૂપ જોઈ સર્વ જને આશ્ચય અને આનદમય થયા. તે વખતે વાઘ અને ગીતાદિકના નાદ સહિત જયજય શબ્દના કાળાહળ થયા. તે વખતે કાઈ દૂર દેશથી આવેલા ખદી તેમને આળખીને એલ્યેા કે— “ અહેા ! મેઘની જેમ ઉત્તમ સુવર્ણ લક્ષ્મીની વૃષ્ટિવર્ડ પૃથ્વીના સર્વ જનાને પ્રસન્ન કરતા અને પૃથ્વીપર સ્વેચ્છાએ વિચરતા આ ક્ષવૈશ્રવણ આજે મારા જોવામાં આવ્યા તે બહુ શ્રેષ્ઠ થયું. ” તે સાંભળી. “ આ ક્ષત્રવૈશ્રવણ કાણુ છે ? ” એમ રાજાના પૂછવાથી તે ખ’ક્રીએ પદ્મરથ રાજાની પુત્રીના પાણિગ્રહણથી આર’ભી કમળપ્રભ રાજાની પુત્રીના પાણિગ્રહણ
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy