SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ४ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર માટે ક્રિયાક્રિકમાં ઉત્સાહ કરતા નથી, મિથ્યાત્વ ને આરભમાં મગ્ન રહે છે અને સમ્યક્ તત્ત્વને વિષે આદર કરતા નથી. હવે જેઆ જિનધના દ્વેષી અને મિથ્યા ક્રિયાવડે પેાતાના અને ખીજાના શત્રુરૂપ છે, તે અભવ્ય જીવા સંસારમામાં રહ્યા સંતા અનંતાનંત કાળ સુધી ભ્રમણ કર્યાં કરે છે. આ પ્રમાણે સ્થૂળ ભેદે કરીને સર્વ ભવસ્થ પ્રાણીએ ત્રણ પ્રકારના હાય છે. તેમાં જેએ અભવ્ય છે, તેઓ મેક્ષ વિગેરે અદૃષ્ટ પદાર્થ ઉપર શ્રદ્ધા અભન્ય જીવા. કરતા જ નથી. તે પ્રાયે ક્રૂર સ્વભાવવાળા, સધના દ્વેષી અને ગુણરહિત જ હાય છે, તેમને સકિત અને મેાક્ષની પ્રાપ્તિ કદાપિ થતી નથી. તેમાંના કેટલાએક જીવા મનુષ્ય અને દેવાદિકનુ' સુખ જોઈ તે મેળવવાના ઉપાય કોઈક રીતે જાણી માત્ર સમ્યક્ ક્રિયા કરવામાં જ પ્રવર્તે છે, અને તે ક્રિયાના બળથી તેઓ નવ ચૈવેયક સુધીની ગતિને પામી શકે છે, તથા ચક્રવતી આદિકની લબ્ધિએ સિવાય ખીજી કેટલીક આમૌષધિ આદિક લબ્ધિઓને પણ પામે છે, પરંતુ તેઓ સર્વે ( અભવ્ય હાવાથી ) ગેાચરને વિષે ગાયાની જેમ આ અનાદિ અન ત સ’સારને વિષે ચિરકાળ સુધી ભમ્યા છે, ભમશે અને ભમે છે; અને તે અનંત પુદ્ગલપરાવર્તી સુધી પાતે કરેલા દુષ્કૃત્યાએ કરીને મનુષ્ય, તિય અને નારકીને વિષે નિરતર દુ:ખ સહન કરે છે અને કરશે. વળી જે અજ્ઞાની ધર્મની બુદ્ધિથી ખાટી ક્રિયાને પણ કરે છે, તે ભળ્યેા ( કુલ બ્યા ) એક પુદ્ગલ પરાવની અંદર ( માગ પતિત હાવાથી ) મેાક્ષ પામનારા દુન્ય કહ્યા છે. તે વિષે કહ્યું છે કે—“ જે મનુષ્ય અક્રિયાવાદી છે, તે ભવ્ય પણ હાય છે અને અભવ્ય પણ હાય છે, પર`તુ તે અવશ્ય કૃષ્ણપાક્ષિક હાય છે, અને જે મનુષ્ય ક્રિયાવાદી છે, તે અવશ્ય ભવ્ય જ હાય છે તથા શુકલપાક્ષિક હાય છે. તે એક પુદ્ગલપરાવર્તીની અંદર સિદ્ધિપદને પામે છે, તે સમકિતષ્ઠિ પણ હાય છે અથવા મિથ્યાદષ્ટિ પણ હોય છે. ” આ પ્રમાણે શ્રીદશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં શ્રાવકની પ્રતિમાના અધિકારને વિષે કહેલુ છે. હવે જે ( ભવ્યેા ) એક મુહૂત્ત પણ સમકિતના સ્પર્શ કરે છે, સમિત પામે છે તેઓ અષ પુદ્ગલપરાવર્તીની અંદર સિદ્ધિપદને પામે છે. આ સર્વે ( દુભવ્યા અને ભવ્યેા ) દૃષ્ટ અને અષ્ટ સુખને વિષે પણ સ્પૃહાવાળા અને તે (સુખ મેળવવા ) ને ઉપાય કરવાના અથીઓ હાય છે, તેથી તેઓ વિધિ પ્રમાણે ધર્મોપદેશને લાયક છે.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy