SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ७३ ऋजुसूत्रसंमतः प्रस्थकः ततश्चोभयं 'प्रस्थक'शब्दवाच्यम् । अयम्भावः - मानमेययोरेकतराभावे तत्परिच्छेदस्यासम्भव एव, अतो द्वयोरपि प्रस्थकत्वं मन्तव्यम् । किञ्च सङ्ग्रहनयमते मेयारूढं मानं प्रस्थकत्वेन यदुक्तं तत्र वस्तुतो मेयारूढं मानं प्रस्थकः, यद्वा मानारूढं मेयं प्रस्थक इत्यत्र विनिगमकाभावादुभयत्रैव प्रस्थकत्वं ज्ञेयम् । ततश्च पुष्पदन्तादिशब्दवत् 'प्रस्थक'शब्दस्य नानार्थकत्वं ज्ञेयमिति । ननु कथं तर्हि 'प्रस्थकेन धान्यं मीयते' इति प्रयोगः? एकत्रोभयवाचकपदेनैकस्यानुपस्थापनादिति चेत् ? सत्यं, व्यवहारनयेनैवायं प्रयोगः, न तु ऋजुसूत्रनयेनापि, न हि सर्वेऽपि वचनप्रयोगाः सर्वैरेव नयैरुपपादनीया इति नियमोऽस्ति, प्रदेशदृष्टान्ते 'पञ्चानामेव प्रदेशः' इतिवाक्यस्य सङ्ग्रहेणैवोपपत्तिर्ग्रन्थेषु दर्शिता, न तु व्यवहारनयादिनापीति । तथाऽस्य मते, येष्वाकाशप्रदेशेषु देवदत्तोऽवगाढस्तेष्वेव तस्य वासः। तेष्वपि विवक्षितवर्तमानकाल एवं तद्वसतिः, न समयान्तरेऽपि, चलोपकरणतयाऽन्यान्यक्षेत्रावगाहनात् । संस्तारके જ રહે છે. એટલે આ નિશ્ચય માટે જેમ માપરૂપ કાષ્ઠ ઘટિત પ્રસ્થક એ હેતુ હોવાથી પ્રસ્થક' છે, એમ ધાન્ય પણ હેતુ હોવાથી પ્રસ્થક' છે. પણ સંગ્રહનયમતે મેયારૂઢમાનને જે પ્રસ્થક તરીકે કહેલ છે તેમાં વસ્તુતઃ મેયારૂઢ માન એ પ્રસ્થક છે ? કે માનારૂઢ મેય એ પ્રસ્થક છે ? આનો નિશ્ચય કરાવનાર કોઈ વિનિગમક (નિશ્ચય કરાવી આપે એવી યુક્તિ) ન હોવાથી માન અને મય બન્નેને સ્વતંત્ર પ્રકરૂપે માનવા જોઈએ. એટલે ‘પ્રસ્થક’ શબ્દને “પુષ્પદંત' વગેરે શબ્દોની જેમ નાનાર્થક માનવો જોઈએ. શંકા - તો પછી “પ્રસ્થકથી ધાન્ય અપાય છે આવો પ્રયોગ શી રીતે થશે ? કારણ કે તૃતીયાન્ત પ્રસ્થક પદથી અહીં “મા” ઉપસ્થિત થાય છે, પણ “મેય” ઉપસ્થિત થતું નથી. “પુષ્પદંત' શબ્દ તો એવો છે કે એનાથી હમેશા સૂર્ય અને ચન્દ્ર બન્ને ઉપસ્થિત થાય જ. બેમાંથી એક ઉપસ્થિત ન થાય એવું ન બને. સમાધાન - તમારી વાત બરાબર છે. આવો વચનપ્રયોગ વ્યવહારનયે જ થાય છે, નહીં કે ઋજુસૂત્રનયે પણ. બધા જ વચનપ્રયોગોની બધા જ નયે સંગતિ કરવી એવો નિયમ કાંઈ છે નહીં. એટલે જ પ્રદેશદૃષ્ટાન્તમાં “પાંચનો જ પ્રદેશ” એવા વાક્યની સંગ્રહનયે જ સંગતિ દર્શાવી છે, નહીં કે વ્યવહારનયે પણ. તથા, આ ઋજુસૂત્રનયના મતે, દેવદત્ત જે આકાશપ્રદેશોને અવગાહીને રહ્યો હોય એમાં જ એનો વાસ હોય છે. એ આકાશપ્રદેશોમાં પણ વિવક્ષિત વર્તમાનકાળે જ એની વસતિ એ માને છે, નહીં કે અન્ય સમયે પણ. કારણ કે ચલોપકરણ હોવાથી (=
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy