SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ नयविंशिका-४ प्रमाणवाक्यलक्षणं ज्ञेयम्, उत्तरार्धेन तु श्रीमलयगिरिसूर्यभिप्रेतं तद् । नयवाक्यलक्षणं तु ततोऽर्थतो ज्ञेयमिति । सप्तेति-सप्तभङ्गयात्मकं स्यादस्त्येव स्यान्नास्त्येवेत्यादिकं वाक्यं प्रमाणं, यतः पूर्णबोधकृत्-सप्तविधजिज्ञासानिवर्तकशाब्दबोधजनकतापर्याप्तिमत्, तदाहुः-स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः १, स्यान्नास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयो भङ्गः २, स्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयो भङ्गः ३, स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः ४, स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः ५, स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधि ગાથાનો અન્વય અને અન્વયાર્થ સરળ છે. આમાં પૂર્વાર્ધથી પ્રથમ જે લક્ષણ કહ્યું છે તે શ્રીમદ્યશોવિજયજી મહારાજને માન્ય પ્રમાણવાક્યનું લક્ષણ છે, અને ઉત્તરાર્ધથી બીજું જે લક્ષણ જણાવ્યું છે તે શ્રીમદ્ મલયગિરિસૂરિ મહારાજને માન્ય પ્રમાણવાક્યનું લક્ષણ છે. નયવાક્યનું લક્ષણ તો અર્થથી = અર્થપત્તિથી જાણી લેવું. નયોપદેશની વૃત્તિમાં આનો વિવેચનઅધિકાર આવી છે - સ્વાદસ્પેવ, સ્વાના સ્વેવ વગેરે સપ્તભંગ્યાત્મક વાક્ય પ્રમાણ છે, કારણ કે સંપૂર્ણ બોધ કરાવનાર છે = સાત પ્રકારની જિજ્ઞાસાને સંતોષે એવા શાબ્દબોધની કારણતાની પર્યાપ્તિવાળું છે. જ્યારે એક વસ્તુ અનેકમાં રહેતી હોય ત્યારે એ અનેક ભેગા થાય તો જ એ પર્યાપ્તપણે રહી શકે છે. જેમકે દ્વિત્વ. બે ઘડા હોય તો જ એ રહી શકે. એક ઘડામાં નહીં. પ્રસ્તુતમાં કથિત શાબ્દબોધની કારણતા સાતભંગસ્વરૂપ સાત વાક્યોના સમૂહમાં જ રહી શકે છે, ૬-૫ વગેરે વાક્યોમાં પણ નહીં. માટે કહેવાય છે કે એ કારણતાની પર્યાપ્તિ એ વાક્યસમૂહમાં રહી છે ને તેથી એ વાક્યસમૂહ પર્યાપ્તિમ છે.) એ પર્યાપ્તિવાળું છે, માટે બધી જિજ્ઞાસાઓને સંતોષે છે. કોઈ જ જિજ્ઞાસા અધૂરી રહેતી નથી. માટે એ પૂર્ણબોધ કરાવનાર છે. આ સપ્તભંગી માટે કહ્યું જ છે કે – સ્યાદફ્લેવ સર્વ.. એ વિધિકલ્પનાથી પ્રથમભંગ છે. ૧. સ્વાના સ્લેવ સર્વ એ નિષેધકલ્પનાથી બીજો ભંગ છે. ૨. સ્વાદસ્પેવસ્વાના સ્લેવ એ ક્રમશઃ વિધિ-નિષેધ કલ્પનાથી મળતો ત્રીજો ભંગ છે. ૩. સ્યાદવક્તવ્ય એવ એ યુગપવિધિ-નિષેધ કલ્પનાથી ચોથો ભંગ મળે છે. ૪. સ્યાદસ્યવ-સ્યાદવક્તવ્ય એવ એ વિધિકલ્પના અને યુગપવિધિ-નિષેધકલ્પનાથી મળતો પાંચમો ભંગ છે. પ. સ્યાનાઢ્યવસ્યાદવક્તવ્ય એવ એ નિષેધકલ્પના અને યુગપદ્વિધિ-નિષેધકલ્પનાથી મળતો
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy