SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ एवंभूतनयं प्रति समभिरूढस्य वक्तव्यता २७१ ___ तथा हस्ति-दन्तिनोरेकार्थत्वे हस्त-दन्तयोरप्येकार्थत्वापत्तिः स्फुटैवेति पदभेदादर्थभेदकल्पनमेव श्रेय इति समभिरूढनयः । ___ अथैवंभूतनयावसरः। स समभिरूढनयं वक्ति-व्युत्पत्तिनिमित्तभूतघटनक्रियापुरस्कारेणैव घटपदाद् घटबोधो भवतीति तु भवतैव कथितम् । ततश्च घटनाव्याप्तो घटः कथं घटः स्यात्? पटादिष्विव तत्रापि घटनाभावात्। अतो घटनकाल एव घटः, कुटनकाल एव कुट इत्यादिकं बलादपि मन्तव्यमेव । एवमुत्तरोत्तरैर्नयैः पूर्वपूर्वेषु नयेषु शिक्षितेष्वधुना पूर्वः पूर्वो नयः स्वोत्तरनयं कथं शिक्षते तत्प्रदर्शनावसरः । तत्र समभिरूढनय एवम्भूतनयं वक्ति - यदा त्वं जलाहरणार्थी, तदा किं करोषि ? 'किं करोमि ? घटमादाय जलाहरणलक्षणं मत्प्रयोजनं साधयामि ।' ननु जलाहरणात् प्राग् को घटः ? तव मतेन घटनकाल एव तस्य घटत्वात् । ततश्च जलाहरणार्थी त्वं સમાધાન - બની જ જશે, એમાં હન્ત ! એમ ચીસ પાડવાની શી જરૂર છે? તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું જ છે કે - પારિભાષિકી સંજ્ઞા અર્થતત્ત્વને જણાવતી નથી. વળી હસ્તી અને દન્તી. આ બને જો એકાર્થક હોય તો હસ્ત + ૬ = દ્રત + રૂ... આમ થવાથી હસ્ત અને દંત પણ એક જ અર્થરૂપ બની જવાની આપત્તિ સ્પષ્ટ જ છે. માટે પદભેદે અર્થભેદ માનવો જ કલ્યાણકર છે, એમ સમભિરૂઢનય કહે છે. હવે, એવંભૂતનયનો અવસર છે-એ સમભિરૂઢનયને સમજાવે છે-વ્યુત્પત્તિનિમિત્તભૂત ઘટનક્રિયાને આગળ કરીને જ “ઘટ’ શબ્દથી ઘડાનો બોધ થાય છે, એવું તો તમે જ કહ્યું છે. તો પછી ઘટનામાં જ્યારે વ્યાપૃત ન હોય ત્યારે એને ઘડો શી રીતે કહેવાય ? કારણ કે પટાદિની જેમ એમાં પણ ઘટના નથી જ. તેથી ઘટનકાળે જ ઘટ, કુટનકાળે જ કુટ... વગેરે બળાત્કારે પણ માનવું જ પડે છે. આમ, ઉત્તરોત્તર નયા વડે પૂર્વ-પૂર્વના નયોને સમજાવ્યું છત, હવે પૂર્વ-પૂર્વનો નય પોત-પોતાની વાત ઉત્તર-ઉત્તરનયને શી રીતે સમજાવે છે ? તે જણાવવાનો અવસર છે. * એમાં, સમભિરૂઢનય એવંભૂતનયને કહે છે - જ્યારે તું જળાહરણાર્થી હોય છે ત્યારે શું કરે છે ? “શું કરું છું ? ઘડો લઈને મારું જળાહરણરૂપ પ્રયોજન સાધું છું.” ' અરે ! જળાહરણ પૂર્વે તો કોણ ઘડો છે ? તારા મતે તો ઘટનકાળે જ એ ઘટ છે. એટલે જળાહરણાર્થી તું પટાદિ અઘટને જેમ લેતો નથી એમ ઘડો પણ તારે ન જ | લેવો જોઈએ, કારણ કે એમાં પણ અઘટત્વ સમાન જ છે. અને તેથી જળાહરણ
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy