SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थशब्दनयलक्षणे ॥ ४४ ॥ शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनया इति ॥ ४५ ॥" इत्युक्तमत्रार्थे सप्तमपरिच्छेदे । अनेकान्तव्यवस्थाप्रकरणे च " यो ह्यर्थमाश्रित्य वक्तृस्थ: सङ्ग्रहव्यवहारर्जुसूत्राख्यः प्रत्ययः प्रादुर्भवति सोऽर्थनयः, अर्थवशेन तदुत्पत्तेरर्थं प्रधानतयाऽसौ व्यवस्थापयतीति कृत्वा, शब्दं तु स्वप्रभवमुपसर्जनतया व्यवस्थापयति, तत्प्रयोगस्य परार्थत्वात् । यस्तु श्रोतरि शब्दश्रवणादुद्गच्छति शब्दसमभिरूढैवम्भूताख्यः) प्रत्ययस्तस्य शब्दः प्रधानं, तद्वशेन तदुत्पत्तेः, अर्थस्तूपसर्जनं, तदुत्पत्तावनिमित्तत्वात् स शब्दनय उच्यते” इत्युक्तमिति ધ્યેયમ્ । अथ नयेषु शुद्ध्यशुद्धी विचार्येते । तत्र प्रतिपक्षनयदृष्टेरंशतोऽपि संमिश्रणं यथा न स्यात्तथा केवलया स्वकीययैव दृष्ट्या यद्दर्शनं तत्र तस्य नयस्य विशुद्धतमत्वं व्यवह्रियते । १०१ - તત્ત્વાલોકાલંકારમાં પણ સાતમા પરિચ્છેદમાં આ પ્રમાણે જણાવ્યું છે કે આ સાતમાં પ્રથમ ચાર નયો અર્થનિરૂપણ કરવામાં કુશળ હોવાથી અર્થનયો છે. ૫૪૪૫ શેષ ત્રણ નયો શબ્દવાચ્યઅર્થને વિષય બનાવનાર હોવાથી શબ્દનયો છે. ।।૪।। અનેકાન્તવ્યવસ્થા પ્રકરણમાં આ પ્રમાણે કહ્યું છે-[વક્તા પ્રથમ અર્થ પરથી બોધ કરે છે ને પછી એ બોધને અનુસરીને શબ્દો બોલે છે. શ્રોતા શબ્દો સાંભળે છે ને પછી શબ્દો પરથી અર્થબોધ કરે છે. આ હકીકતને નજરમાં રાખવી.] અર્થને આશ્રીને વક્તાને સંગ્રહવ્યવહાર-ઋજુસૂત્રનયનામે જે પ્રત્યય (= બોધ) પ્રાદુર્ભાવ પામે છે તે અર્થનય છે, કારણ કે એ અર્થને અનુસરીને ઉત્પન્ન થયો હોવાથી અર્થની પ્રધાનરૂપે વ્યવસ્થા કરે છે, અને સ્વ(= જન્મ)શબ્દની તો એ ગૌણરૂપે વ્યવસ્થા કરે છે, કારણ કે શબ્દપ્રયોગ બીજા માટે કરવાનો હોય છે. વક્તાએ બોલેલા શબ્દને સાંભળવાથી શ્રોતાને શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નામે જે બોધ પેદા થાય છે તે શબ્દનય કહેવાય છે, કારણ કે શબ્દને અનુસરીને એ બોધ ઉત્પન્ન થયો હોવાથી એમાં શબ્દપ્રધાન હોય છે. જ્યારે અર્થ તો એમાં ગૌણ હોય છે, કારણ કે એ બોધની ઉત્પત્તિમાં અર્થ નિમિત્ત બન્યો હોતો નથી. હવે, નયોમાં શુદ્ધિ અને અશુદ્ધિનો વિચાર કરાય છે જેમાં પ્રતિપક્ષનયદૃષ્ટિનું આંશિક પણ મિશ્રણ ન થયું હોય એ રીતે માત્ર પોતાની જ દૃષ્ટિથી જે જોવું, તે નયની વિશુદ્ધતમતા કહેવાય છે. તથા જેમ જેમ પ્રતિપક્ષનયદૃષ્ટિના અંશો ભળતા જાય છે તેમ તેમ તે નયની વિશુદ્ધિ ઘટે છે અને અશુદ્ધિ વધે છે, એમ કહેવાય છે. સંગ્રહનય સામાન્યગ્રાહી છે, એટલે વિશેષગ્રાહી નયદૃષ્ટિ એના માટે પ્રતિપક્ષનયદૃષ્ટિ છે. તેથી,
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy