SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઉપશમનાકરણ ભાગ-૧ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા કંડક પછીના ત્રીજા સમયની જઘન્યવશુદ્ધ અનંતગુણ એમ ચાવત્ યથાપ્રવૃત્તકરણના ઢિચરમકંડકના ચરમ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા યથાપ્રવૃત્તકરણના ચરમ કંડકના ચરમ સમયની જઘન્યવશુદ્ધ અનંતગુણ આવે ત્યાં સુધી કહેવું. અહીંયા જઘન્ચ વિશુદ્ધિ સર્વસમયોની કહેવાઈ ગઈ. જ્યારે ઉતકૃષ્ટવિશુદ્ધ એક કંડક પ્રમાણ સ્થાનોની કહેવી બાકી છે. તે ક્રમશઃ અનંતગુણ કહેવી. એટલે કે યથાપ્રવૃત્તકરણના ચરમસમયની જઘન્ય વિશુદ્ધિ કરતા ચરમ કંડકના પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા તે જ કંડકના બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધ અનંતગુણ... એમ ચાવત્ યથાપ્રવૃત્તકરણના ચરમકંડકના ઢિચરમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતા ચરમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ જાણવી. અgફષ્ટિ :- ઉપરોક્ત વિશુદ્ધિનો ક્રમ યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયોનું ઉત્તરોત્તર સમયોમાં અનુકર્ષણ-ખેંચાણ સૂચવે છે, અર્થાત્ પહેલા સમયના કેટલાક અધ્યવસાયો બીજા સમયમાં પણ હોય, ત્રીજા સમયમાં પણ હોય એમ સૂચવે છે, કેમકે જો પ્રથમ સમય કરતા બીજા સમયના અધ્યવસાયો તદ્દન નવ્વલ જ હોય, એટલે કે પ્રથમ સમયના ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળા અધ્યવસાય પછીના હોય તો પ્રથમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી બીજા સમયનો જઘન્ય અધ્યવસાય વધારે (અicગુણ) વિશુદ્ધિવાળો આવે, પરંતુ તેમ નથી પણ ઊલ્ટ અહીં તો પ્રથમ સમયથી ચાવતું યથાપ્રવૃત્તકરણના સંખ્યામાં ભાગલા અંતિમ સમય સુધીની જઘન્યવશુદ્ધ ઉત્તરોત્તર અનંતગુણ કહેલ છે અને ત્યાર પછી પહેલા સમયની ઉcકૃષ્ટવશુદ્ધિ યથાપ્રવૃત્તકરણના સંખ્યામાં ભાગલા અંતિમ સમયની જઘન્ચ વિશુદ્ધથી અનંતગુણ કહેલ છે. એટલે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધ કરતા પણ યથાપ્રવૃત્તકરણના પ્રથમ સંખ્યાતમા ભાગના છેલ્લા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણહીલ છે અને ત્યારપછીના સમયની જઘન્યવિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણનાં પ્રથમ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અનંતગુણ છે. એ સૂચવે છે કે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયના અધ્યવસાયો ક્રમશઃ ઓછા થતા છેક તેના સંખ્યામાં ભાગ સુધી પહોંચે છે, અને સંખ્યામાં ભાગના પછીના સમયે પહેલા સમયનો એકપણ અધ્યવસાય હોતો નથી. તેવી જ રીતે બીજા સમયના અધ્યવસાયો કંડક પછીના પહેલા સમય સુધી પહોંચે છે. એમ ચાવતું યથાપ્રવૃત્તકરણના ચરમ સમય સુધી જાણg. આવી રીતે પૂર્વ પર્વથી ઉત્તરોત્તર સમયોમાં Mધ્યવસાયોનું ખેંચાણ તે અનુકૃષ્ટિ કહેવાય છે. અનુકૃષ્ટિ એટલે અનુકર્ષણ-ખેંચાણ. અહીં પૂર્વ પૂર્વ સમયના અધ્યવસાયોનું ઉત્તરોત્તર સમયમાં જે આવવું તેનું નામ અનુકૃષ્ટિ.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy