SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઉપશમનાકરણ ભાગ-૧ અહીં ભાંગા કાઢવા માટે ગુણાકારમાં સંખ્યા મૂકવાની રીત એ છે કે જે અનેક પ્રકૃતિમાંથી અન્યતર એક પ્રકૃતિનો ઉદય લેવાનો હોય ત્યાં તેના સ્થાનમાં તે અનેકરૂપ જે સંખ્યા હોય તે મૂકવી. જેમકે કષાયમાં ૪ માંથી અવ્યતર 1 કષાયનો ઉદય લેવાનો છે તો ત્યાં કષાયના સ્થાને ૪ ની સંખ્યા મૂકવી, ત્યાર પછી બે યુગલમાંથી અન્યતર યુગલનો ઉદય લેવો છે તો ત્યાં ૨ ની સંખ્યા મૂકવી, બે વદલીયમાંથી અન્યતર વદળીય લેવાનું છે તો વિદળીયના સ્થાને ર ની સંખ્યા મૂકી અને બે નિદ્રામાંથી કોઈ પણ એક નિદ્રા લેવી છે તો . ત્યાં પણ બેની જ સંખ્યા મૂકવી. પછી પરસ્પર ગુણાકાર કરવાથી ભાંગા પ્રાપ્ત થશે. પ્રશ્ન - ભય કે જુગુપ્સામાંથી કોઈપણ એકનો ઉદય પપ ના ઉદયસ્થાનકમાં છે તો પછી તમારી રીત પ્રમાણે ત્યાં ભય અને જુગુપ્સા માટે બે થી ગુણાકાર કરી ભાંગા કેમ ન ગયા ? જાબ - ભય અને જુગુપ્સામાંથી પપ ના ઉદયસ્થાનમાં કોઈપણ એકનો ઉદય હોવાથી તેનાથી દ્વિગુણા ભાંગા આવે તે યુક્ત છે. પરંતુ અહીં ૫૪ + ભય અને પ૪ + જુગુપ્સા એમ બે જુદા જુદા વિકલ્પ બનાવ્યા છે. એક જ સંખ્યાને બેથી ગુણવા અથવા તો એક સંખ્યાને બેવાર મૂકી સરવાળો કરવો તે એક જ વસ્તુ છે, ભિન્ન નથી. નિદ્રા, વેદનીય, કષાય વિગેરેના ભાંગા કાઢવામાં પરસ્પર ગુણાકાર કરવાનું કારણ એ છે કે ત્યાં હમેશાં અન્યતર એકલો જ ઉદય થાય છે. જ્યારે અહીં પપ ના ઉદયસ્થાનકમાં અન્યતર એકનો ઉદય છે પરંતુ આગળ ઉપર પડતા ઉદયસ્થાનકમાં ભય-જુગુપ્સા બન્નેનો ઉદય સાથે પણ આવે છે અને ત્યાં ભાંગા દ્વિગુણ ન આવે, કેમકે બે પ્રકૃતિઓમાંથી જ બન્ને પ્રકૃતિઓનો ઉદય હોય તો ભાંગા દ્વિગુણ ન આવે, અન્યતર એકનો જ ઉદય હોય તો જ હિંગુણ ભાંગા થાય. સમ્યકૂવાભિમુખ બારકોને કુલ ઉદયભાંગા : ઉદયસ્થાનક | ૫૪ | પ૫ | પ૬ | પ૭ | કુલ 1 | ભાંગા | ૧૬ | ૬૪ | ૮૦ | ૩૨ | ૧૯૨ સમ્યક્ત્વાભિમુખ દેવને ઉદયમાં પ્રકૃતિઓ : જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪ અથવા નિદ્રામાંથી કોઈ પણ એકનો ઉદય ોય ત્યારે દર્શનાવરણીય-પ, અંતરાય-૫, કોઈપણ વેદનીય ૧, ઉચ્ચગોત્ર, દેવાયુ તથા મોહનીયની પ્રકૃતિ- કષાય-૪, સ્ત્રીવેદ કે પુરૂષદ, અન્યતર યુગલ, મિથ્યાત્વમોહનીય = ૮ અથવા ભય કે જુગુપ્સા બેમાંથી એકનો ઉદય હોય ત્યારે હું અને બન્નેનો ઉદય હોય ત્યારે 10 પ્રકૃતિઓનો ઉદય હોય, તથા સર્વ પર્યાપ્તથી પર્યાપ્ત હોવાથી તેને નામકર્મની ૨૯ પ્રકૃતિઓનો ઉદય ોય છે. તે આ પ્રમાણે - ધ્રુવોદય ૧૨, શુભવિહાયોગીત, ઉપઘાત, પરાઘાત, ઉષ્ણુવાસ, ત્રસ-૪, સુસ્વર, સુભગ કે દુર્ભાગ, આદેય કે અનાદેય, યશ કે અચા, દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-૨, સમચતુરત્ર સંસ્થાન = ૨૯
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy