SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતાનુબંધી ઉપશમના ૧૦૩ દલકો ગ્રહણ કરી ઉદયાવલિકા ઉપરના સમયથી અસંખ્યગુણાકારે અપૂર્વકરણ અને - અનિવૃત્તિકરણથી કંઈક અંધક આયામમાં ગોઠવે છે. બીજા સમયે તેથી અસંખ્યગુણ દલિતો લઈ તે જ રીતે ઉદયાવલિકાળાં ઉપરના સમયથી અસંખ્યગુણાકારે ગોઠવે છે. આમ ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલકો લઈ ગુણશ્રેણીની રચના ઉદયાવલિકા ઉપર કરે છે. અહીંયા અપૂર્વકરણ અને વૃત્તિકરણનો સમય અનુભવવા દ્વારા જેમ જેમ ક્ષીણ થાય છે તેમ તેમ ગુણશ્રેણી નિકોપ શેષ સમયોમાં થાય છે, પરંતુ ઉપર વધતો નથી. આમ અહીં ગલતાવશેષ ગુણશ્રેણી થાય છે. તથા અપૂર્વકરણના પ્રથમ સમયથી જ અનંતાનુબંધીના દલિકો પરપ્રકૃતિમાં અસંખ્યગુણાકારે સંક્રમે છે. એટલે કે પ્રથમ સમયે અનંતાનુબંધીના થોડા દલક પરમાં સંક્રમે, બીજા સમયે તેથી અસંખ્યગુણ દલકો સંક્રમ, તૃતીય સમયે તેથી અસંખ્યગુણ દલકો સંક્રમે.... આમ ગુણશ્રેણીનો ક્રમ જાણવો. અપૂર્વકરણ પૂર્ણ થયા પછી નિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. નિવૃત્તિકરણમાં પ્રતિસમય એક જ અધ્યવસાય હોય છે. એટલે કે અનવૃત્તિકરણમાં પ્રથમ સમયad ત્રણે કાળના સર્વ જીવોને એક સરખો અધ્યવસાય હોય છે, તેવી રીતે દ્વિતીય સમયવર્તી ત્રણે કાળના સર્વ જીવોને એક સરખો અધ્યવસાય ોય છે. આમ તવૃત્તિકરણના કુલ સમય જેટલા અતિવૃત્તિકરણના અધ્યવસાયો હોય છે. તેમાં પણ પ્રથમ સમયની વિશુદ્ધિ કરતા દ્વિતીય સમયની વિશુદ્ધિ અનંતગુણ, દ્વિતીય સમયની વિશુદ્ધિ કરતાં તૃતીય સમયની વિશુદ્ધિ અનંતગુણ એમ ચાવતુ અનવૃત્તિકરણના ચરમ સમય સુધી જાણવું. નવૃત્તિકરણમાં પણ પૂર્વોક્ત સ્થિતિઘાતાદિ પાંચ પદાર્થો પ્રવર્તે છે. અનqત્તકરણના સંખ્યાતા બહુભાગ પસાર થાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધની નીચે આવલકા પ્રમાણ સ્થિત રાખી ઉપર અન્તર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. અર્થાત્ અન્તર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ અનંતાનુબંધીના અભાવવાળી કરે છે. અંતરકરણ ક્રિયા એક સ્થિતિબંધાદ્ધા જેટલા કાળમાં સંપૂર્ણ કરે છે અર્થાત્ અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે નવા સ્થિતિઘાત - નવા સ્થિતિબંધની સાથે જ અંતરકરણક્રિયા શરૂ થાય છે અને એક સ્થિતિઘાત દરમિયાન અંતરકરણક્રિયા પૂર્ણ થાય છે. અહીંયા નીચેની આલકા પ્રમાણ સ્થિતિ જે છોડે છે તે અંતરકરણક્રિયાકાળ દરમિયાન પ્રતિસમય ઉપર-ઉપર વધતી હોય તેમ લાગે છે. અંતરકરણના દલિક નધ્યમાળ પરપ્રકૃતિમાં નાખે છે અને અંતરકરણ ક્રિયા પૂર્ણ થયા પછી પ્રથમસ્થતિની શેષાવલિકા વેધમાન કષાયમાં તિલુકસંક્રમથી સંક્રમાઈને ભોગવાઈ જાય છે તથા અંતરકરણ ક્રિયા પછી અનંતર સમયથી ઉપરિતા દ્વિતીય સ્થિતિગત અનંતાનુબંધીના દલકોને ઉપશમાવે છે. તેમાં પણ
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy