SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ દેશવિરતિલાભપ્રાણા છે. માટે તે એકાત્તવૃદ્ધિ દેશસંયત કહેવાય તથા તે જ સમયે નવો સ્થિતિઘાત, ૨સઘાત અને નવો સ્થિતિબંધ શરૂ થાય છે તથા અસંખ્ય સમય પ્રબદ્ધ દલકોને ઉકેરી ઉદયાલિકાની ઉપર અવસ્થિત' ગુણશ્રેણીની રચના કરે છે. કષાયમામૃતમાં કહ્યું છે - સંજ્ઞા સમયપદ્ધ ગોgિયૂ પુછાયેઢી દ્વતિયવાહિ દ્રિ " - પા. ૧૭૮૧. ગુણશ્રેણી આયામ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. અને તે સમ્યક્ત્વોત્પત્તિ વખતના ગુણશ્રેણી આયામથી સિંખ્યાલગુણહીન છે, જ્યારે દલકને આશ્રયી અસંખ્યગુણ છે. વ્યાવક(પંચમકર્મગ્રંથ)ની ગા. ૮૨ની દેવેન્દ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં કહ્યું છે - “ સર્વનામાને मन्दविशुद्धिकत्वात् जीवो दीर्घान्तर्मुहूर्त्तवेद्यामल्पतरप्रदेशानां च गुणश्रेणिमारचयति । ततो देशविरतिलाभे सङ्ख्येयगुणहीनान्तर्मुहूर्त्तवेद्यामसङ्खयेयगुणप्रदेशाग्रां च तां करोति । ततो सर्वविरतिलाभे सङ्ख्येयगुणहीनामन्तर्मुहूर्त्तवेद्यामसङ्ख्येयगुणप्रदेशानां च तां करोति ।" વળી અહીં ગુણશ્રેણી આયામ અવસ્થત રહે છે. એટલે કે જેમ જેમ સમય ઉદય દ્વારા ક્ષીણ થતો જાય છે તેમ તેમ ગુણશ્રેણી ૨ચના પ્રથમ પામ-સમ્યક્ત્વની ગુણશ્રેણીની માફક અવશેષ કાલમાં ન થતા એક એક સમય આગળ વધે છે. આ રીતે ગુણશ્રેણી રચનાનો કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ નિયત જ રહે છે. અનંતર સમયે તે જ સ્થિતિઘાત, તે જ રસઘાત અને તે જ પ્રમાણે સ્થિતિબંધ થાય છે. ગુણશ્રેણીમાં પ્રથમ સમય કરતા અસંખ્યગુણ દલકો ગોઠવાય છે અને ગુણશ્રેણીની રચના તેટલા જ સમયમાં થાય છે. આમ સંયમસંયમ લબ્ધ પ્રાપ્ત કર્યા પછી અન્તર્મુહૂર્ત સુધી એકાન્ત પ્રવર્ધમાન પરિણામી હોય છે. તેટલા કાળમાં આ રીતે હજારો સ્થિતિઘાત થાય છે અને ત્યાં સુધી તે એકાંતવૃદ્ધ દેશસંયત કહેવાય છે. ત્યાર પછી યથાપ્રવૃત્ત દેશસંયત કહેવાય છે. (૪) યથાપ્રવૃત્ત દેશમંત - યથાપ્રવૃત્ત સંયતાસંયતના કાળમાં સ્થિતિઘાત તેમજ ૨સઘાત થતા નથી. કષાયમામૃતમાં કહ્યું છે - “મથાપવત્તસંનતાનંદસ કવિયાતો વા મનુભાયાતો વા ત્નિ ” - પા. ૧૭૮૨. કર્મપ્રકૃતિ ઉપામનારણ ગા. ૨eતી ચૂર્ણમાં પણ કહ્યું છે - “પર્વ તિવંસુ વહુ તેનું તાદે સમાવલ્યો ફેવિરતો વા विरओ वा भवति । सभावदेसविरयस्स विरयस्स वा ठितिघायरसघाया णत्थि ।" સંયતાસંયતના કાળમાં ગુણશ્રેણી પ્રતિસમય ચાલુ હોય છે, પરંતુ ગુણશ્રેણી પરણામાનુસાર ૧. અહીં ઉદયાવલિકા ઉપર ગુણશ્રેણી કહી છે તે વિષયમાં કર્મપ્રકૃતિના મતે અપ્રત્યાખ્યાનાવરણ કષાયોની અપેક્ષાએ કહ્યું છે તેમ લાગે છે, કેમકે તે અનુદયવતી પ્રકૃતિ છે અને અનુદયવતી પ્રકૃતિઓનો ગુણશ્રેણી નિક્ષેપ ઉદયાવલિકા ઉપર થાય છે, જ્યારે શેષ ઉદયવતી પ્રકૃતિઓની ઉદયસમયથી, અને અનુદયવતી પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર ગુણશ્રેણી સંભવે છે. કષાયમામૃતના મતે ઉદયવતી - અનુદયવતી સર્વપ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર ગુણશ્રેણી થાય છે.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy