SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૨૨) પ્રાચીન સાહિત્યમાં પાઢણ દર્શન પ્રા. મુકુનદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પ્રાડશૌર્યવૃતી પ્રાશાસે પાડશમે પ્રાલ્સમાધિષા . પ્રાસત્યે પ્રાડડદર્શન્યાં પ્રાડડડયામિતોદજન છે અર્થાતું “આ નગર (પાટણ) ના લોકો શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રોમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદના છ અંગોમાં અગ્રેસર છે.” જે નગરના પ્રજાજનો માટે કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ યુગપુરૂષે આવાં વખાણ કર્યા હોય એ નગર (પાટણ) નો ઇતિહાસ જાણવવાનું કોને મન ન થાય ? પાટણના નગરજનોનો પરિચય આપ્યા પછી આ બીજી ગાથામાં પૂજ્ય આચાર્યશ્રી પાટણ નગર વિશે લખતા જણાવે છે કે - અસ્તિ સ્વસ્તિકવં ભૂમધમાગાર નયાસ્પદમ્ પુર કિયા સદાશ્લિષ્ટ નામનાણહિલપાટકમ્ . શ્લોકનો અર્થ : “ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત આ અણહિલ પાટણ નામનું નગર છે.” કોઇપણ પટ્ટણીને પોતાના નગર વિશે વાંચતા આનંદ અને ગૌરવ ઉપજે એવો પાટણ નગર વિશેનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આ મહામાનવે અત્રે આપ્યો છે. - શ્રી હેમચંદ્રાચાર્યજી તો સોલંકીવંશના સમર્થ સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ અને પરમાહત કુમારપાળ મહારાજા એમ બે સુપ્રસિદ્ધ સમ્રાટોના વખતમાં થઇ ગયા. એટલે એમના ઉદ્ગારો ખૂબ જ આધારભૂત ગણાય. પ્રાચીન સાહિત્યમાં પાટણનું જે દર્શન કરાવવામાં આવ્યું છે એ જોઇએ. “અહીં (પાટણમાં) સ્વર્ગલોક જેવાં જૈન ચૈત્યો, જિનાલયો, પ્રાસાદો છે આ નગરનાં દાન, માન, કલા-કૌશલ્ય. ધર્મ, વિદ્યા, કલા વગેરે જોઈને દેવો પણ અત્રે નિવાસ કરવા ઇચ્છે છે.” (કુમારપાળ ચરિત્ર) “આ નગરમાં વનરાજ નામે દેવરાજા થઈ ગયો. તેણે પંચાસર પાર્શ્વનાથનું નવીન જિનાલય
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy