SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪ લોટ, ગોળ અને ઘીનું મિશ્રણ નાગદેવતાને ધરાવે છે અને પ્રસાદી તરીકે પોતે પણ આરોગે છે. પીંપળાશેરના નાકે આવેલ શ્રી બહુચર માતાજીના મંદિરમાં પણ નાગદેવતા' ની મૂર્તિ પધરાવી દર્શન કરાવવામાં આવે છે. શ્રાવણ વદ સાતમનો શીતળા માતા” નો મેળો ભવ્ય રીતે પાટણમાં ભરાય છે. જે શારદા ટોકીઝ પાછળ આવેલ ખોખરવાડા ચોક નજીક એક શીતળા માતાજીનું જૂનું મંદિર છે અને બીજું મંદિર છીંડીયા દરવાજા બહાર છબીલા હનુમાન જવાના રસ્તા ઉપર આવેલ છે. આ બંને મંદિરોને જોડતા સમગ્ર રસ્તા ઉપર અંબાજી માતાના મંદિર પાસેના પટાંગણમાં વિશાળ મેળો ભરાય છે. આ દિવસે પાટણમાં ઠંડુ, વાસી, ટાઢું ખોરાક ખાવાનો રિવાજ છે. સાતમના આગલા દિવસે ઢેબરા વગેરે રાંધી રાખવાના હોય છે. આ મેળામાં પહેલા ગર્ભવતી બહેનો નવા વસ્ત્રો પહેરી, ગજરા બાંધી એક જગ્યાએ બેસી પ્રાર્થના કરતી. છેલ્લા કેટલાક વર્ષોથી હવે આવું કોઈ બેસતું જણાતું નથી. બાળકને ભારે શીતળા ન નીકળે, ઓરી-અછબડા મટી જાય એ માટે બાધા રખાતી હોય છે. શીતળા માતાની . બાધાથી જેના ઘેર પારણું બંધાયું હોય એવી માતાઓ આ દિવસે સાત ઘેરથી માગીને ભોજન કરતી હોય છે. આ મેળામાં ભક્તિ, શ્રદ્ધા, વાત્સલ્ય અને અહોભાવનું વાતાવરણ સર્જાય છે. શ્રાવણ વદ આઠમનો હિંગળાચાચરમાં આવેલ રાધાકૃષ્ણના મંદિર પાસે જન્માષ્ટમી” નો મેળો ભરાય છે. જયારે તે દિવસે રાત્રે કૃષ્ણજન્મ' ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મંદિરોમાં જન્માષ્ટમી ઉજવાય છે. ભાદરવા સુદ ચોથનો ‘ગણપતિદાદા' નો મેળો ગણપતિના મંદિર પાસે અને હિંગળાચાચરના ચોકમાં બજાર વચ્ચે ભરાય છે. પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ ના ચૈત્ર સુદ-સ્ને શુક્રવારના રોજ થઇ હોવાનો લેખ આ મંદિરમાં ગણપતીની મૂર્તિ નીચે છે. ભાદરવા સુદ ચૌદશની રાત્રે અને પુનમના બપોરના બાર વાગ્યા સુધીનો ‘જાળેશ્વર મહાદેવ'નો મેળો પટ્ટણીઓ માણે છે. બ્રાહ્મણો આખી રાત ભવાઇ કરે છે. શહેરના તથા આજુબાજુ ગામડાના લોકો પણ મોટી સંખ્યામાં આ મેળામાં હાજરી આપે છે. ભવાઇ જુએ છે અને મેળો માણે છે. આસો સુદ ચૌદશનો ‘ગુણવંતા હનુમાન” નો મેળો એ રાત્રિએ મેળો હોય છે. મંદિરમાં ખત્રી સમાજના ભાઇઓ તાલબદ્ધ વાજીંત્રોથી, નાદધ્વનીથી હનુમાનજીની આરાધના કરે છે. રાત્રે પલ્લી નીકળે છે. આસો સુદ પુનમના રોજ સ્ટેશન રોડ ઉપર આવેલ હિન્દુ આનાથાશ્રમમાં ‘શ્રી રણછોડરાયજી'નો મેળો ભરાય છે. ઘણા લોકોને આ મેળાની ખબર પણ નથી. મેળો લગભગ ભૂલાઇ જશે. આશ્રમનું મકાન બનાવતાં ભગવાન શ્રી રણછોડરાયની ભવ્ય પ્રતિમા એ જ સ્થળેથી નીકળતાં દાતાઓએ ત્યાં મંદિર બનાવી શ્રી રણછોડરાય ભગવાનને પધારાવેલા છે. આ મેળો લગભગ બંધ છે. આસો વદ તેરસ લોકો ધનતેરસ' તરીકે ઉજવે છે. લોકો ધનપૂજન કરે છે. આસો વદ ચૌદશ અને કાળી ચૌદશ” તરીકે ઉજવાય છે. પાટણની પ્રજા આ દિવસે પંચમુખી હનુમાનના મંદિરમાં દર્શન
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy