SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ યુગે યુગે પાટણની પ્રભુતા છે, બીજા આવા એક ગીતમાં વહુના ઉદ્ગારો આ રીતે પ્રગટે છે. મારા સસરાજી પાટણ જ્યાંતા માઠું ભરીને ઘઉં લાયા લાલ સુબીલો અઘમણ ઘઉં લઈ દળવા બેઠી એક જ માળે હળ્યા લાલ સુબીલોર આવા જ બીજા એક ગીતમાં આઈ આઈ ઝાલાવાઠી જોતા, પિયોર મારું મેવાસી આઈ ઊતરી નદીને કાંઠે, પિયોર મારું મેવાસી મા ઘોંઘારમાં મત છે જે, પિયોર મારું મેવાસી મા કાકરસી મત દેજો, પિયો મા મેવાસી મા દાહોરમાં મત દેજો, પિયો મારું મેવાસી માં પાટણમાં ૪૮ દેજો, પિયોર મારું મેવાસી મા પાટણનો પઢોલી, પિયોર મારું મેવાસી દીકરી પોતાની માતાને ધાન્ધા (પાલનપુર બાજુનો પ્રદેશ) કાંકરેજ, દાંતા કે ચુંવાળમાં ન નાખવા કહે છે. તેનું મન તો પાટણના પટેલમાં મોહ્યુ છે. તે અહીં વ્યક્ત થાય છે. :: પદો યા ભજનો : આ એવાં લોકગીતો છે કે જેમાં ઇધર યા દેવ દેવીઓ તરફનો ભક્તિભાવ પ્રગટે છે. જગત પરલોક પાપ-પુણ્ય વિશેનું ચિંતન દર્શન, બોધ-ઉપદેશ, શિખામણ વગેરે સરળ- સુબોધ, મધુર ઢાળમાં નિરૂપિત થાય છે. પાટણવાડું આઈતું પરગણું મેવાસી મારું ગામ રે, મારી બહુરંગી બહુશરા ! સોનીઠો આવે મૂલતો રે, લાવે હાંસઠીઓની જોઠ રે, મારી બહુરંગી બહુશરા ! પહેરે અંબે મા પાતળા રે, પહેરી ઓઢી ગરબે રાવ દીસે છે લાલ ગુલાલ રે, મારી બહુરંગી બહુચરાજી બહુચરમાં જ્યાં બિરાજમાન છે એ પાટણવાડો પ્રદેશ પ્રાચીન સમયથી જ લોક શ્રધ્ધામાં કેવો વણાઇ ગયો છે તે અહીં પ્રગટ થાય છે. સંત વીર માયાએ પાટણના સહસલીંગ તળાવમાં પાણી લાવવા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું તેની નીચેના ભજનમાં એ માયાના બલિદાનનો કેવો રૂડી રીતે ઉલ્લેખ થયો છે તે અહીં પ્રગટે છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy