SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ભાલણ એક મહાન કવિ હતો. તેના આખ્યાનોમાં તે પરમ રામ ભક્ત હતો એમ નિર્વિવાદ જણાય છે. ભાલણના નામે કેટલાક ચમત્કારો પણ ગુંથાયેલા છે. ૮૪ (૧) એક સાધુએ ભાલણને કાંઇક ચમત્કાર બતાવવા આહ્વાહન આપતાં ભાલણે ઘરમાંથી એક દાતણ લાવી તેની ચીરીયો કરી અને એક જમીનમાં ખોસી તેમાંથી એક મોટું વૃક્ષ ઉગાડેલું બતાવ્યું હતું. (૨) બીજો એક ચમત્કાર એવો નોંધાયેલો છે કે, એક વખત ભાલણ શક્તિ ધ્યાનમાં બેઠો હતો તેની ચારે બાજુ સ્ત્રીઓ ટોળું વળીને બેઠેલી હતી. એક મુસ્લિમ અધિકારીએ સ્ત્રીઓની આસપાસ ઘેરાઇને બેઠેલા ભાલણને ફજેતી કરવા ખાતર ઓરડાને બહારથી તાળું મારી દીધું. પરંતુ જ્યારે એ અધિકારી મીરા દાતારનાં દર્શન કરવા ગયો ત્યારે દરગાહના ઓટલા ઉપર ભાલણને બેઠેલા જોયા. (૩) ભાલણના પુત્રને જનોઇ આપવાના પ્રસંગે ભાલણ પાટણથી ઘણે દૂર ઔરંગાબાદમાં હતો. ત્યાં તેને જનોઇનો કાગળ મુહૂર્તના આગલા દિવસે જ મળ્યો. ત્યારે ભાલણ ચમત્કારિક રીતે એક જ રાતમાં ઔરંગાબાદથી પાટણ આવ્યો હતો. (૪) આ સિવાય પણ મુસ્લિમ શાસન કાળમાં મુસ્લિમ અધિકારીઓને દારૂના શીશામાંથી દૂધ કાઢી બતાવ્યાનો અને માંસના થાળને પુષ્પોથી ભરેલો થાળ દેખાડચા હોવાના અનેક ચમત્કારો છે. ભાલણ મોઢ બ્રાહ્મણ હતો. મોઢ બ્રાહ્મણ અને મોઢ વણીકોના કુળદેવ શ્રી રામચંદ્રજી છે. આપણા પાટણમા સોનીવાડામાં રઘુનાથજીની પોળમાં અતિ પ્રાચીન એવું શ્રી રઘુનાથનાથજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શ્રી રઘુનાથજીની બેઠેલી પ્રતિમા છે. જે અદ્વિતીય ગણાય છે. કારણ કે સામાન્ય રીતે શ્રી રામજીની હંમેશા ઉભેલી પ્રતિમાઓ હોય છે. બેઠેલા શ્રી રામચંદ્રજી ભગવાનના દર્શન કરવા પરમ પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજને આ લેખક જ્યારે લઇ ગયા ત્યારે શ્રી ડોંગરેજી મહારાજે ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી. આ મંદિરના પૂજારીઓ પણ મોઢ બ્રાહ્મણો જ છે. આ મંદિરના સેવકો પણ ગાંધી, મોઢ વાણીયા છે. ભાલણના ગુરૂની સમાધિ હરિહર મહાદેવ પાસે છે. ભાલણે નીચે મુજબના કાવ્યો રચેલાં છે. શિવ-ભીલડી સંવાદ, કાદમ્બરી, ધ્રુવાખ્યાન, જાલંધરઆખ્યાન, સપ્તસતી પહેલું આખ્યાન, બીજું નળાખ્યાન, રામ બાલ ચરીત, દશમસ્કંધ, કાદમ્બરી ભાગ-૨, મામકી આખ્યાન, મૃગી આખ્યાન, સીતા વિવાહ, કૃષ્ણ વિષ્ટિ, દુર્વાસા આખ્યાન, સીતા-હનુમાન સંવાદ (જેની પ્રત મળતી નથી.) કવિ ભાલણ ગુજરાતી આખ્યાન પદ્ધતિ-પ્રકારના સાહિત્યના પિતા ગણી શકાય. એમણે થોકબંધ આખ્યાનો લખી અને કાદમ્બરીનો પઘાનુવાદ કરી ભાલણે ગુજરાતી સાહિત્યમાં ‘‘અમરપદ’’ પ્રાપ્ત કર્યું છે. પાટણના આ નરરત્નની કાયમી સ્મૃતિ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર જેવું સ્મૃતિમંદિર થાય તો કેવું સારું ? યુનિવર્સિટી વિચારશે ?
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy