SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मनिंदाद्वात्रिंशिका २३ எவைாைககைகககககககககககககககககககககல் कृतोऽसि ? पापपिण्डेन' स्वभावसात्कृतेनाऽकुशलकर्माऽनुवन्धसमूहेन । इदमत्र गुह्यम्-पापानुवन्धः समग्रधर्मविशुद्धावुत्कटविघ्नकरः, स चैवम्, धर्मारम्भस्तु भक्त्या भवति, भक्तिभक्तिपात्रे भवतु, अपुनर्वन्धकादिप्वादिधार्मिकेप्वपि जिनवागद्वेपोविद्यते, स चाऽद्वेष एव भक्तिवीजः । अस्माभिः पूर्वजन्मान्तरेपु जिनवागद्वेपोऽपि चेन्न लब्धस्तत्कारणमकुशलाऽनुवन्धः । एषोऽनुवन्धो जिनवचनविपरीतेऽनुष्ठाने रुचिर्जनयति वचनाऽनुसारिणि च कर्मणि अद्वेषमप्यवरुणद्धि । प्रधानद्रव्यस्तवविपयाः पूजा-प्रणाम-स्तवादयोयदात्मभिः पूर्वं नाऽऽराधितास्तत्र हेतुरकुशलोऽनुवन्धः । प्रधानद्रव्यस्तवायाऽपि पापानुवन्धस्य तादृशः क्षयोऽपेक्षितः । જ ટીકાનો ભાવાર્થ : (૧) આપણો આત્મા અનંતપુદ્ગલપરાવર્તથી સંસારસાગરમાં ભ્રમણ કરે છે. આ પુદ્ગલપરાવર્તના ચાર પ્રકાર છે : ૧. દ્રવ્યપુદ્ગલપરાવર્ત, ૨. ક્ષેત્રપુદ્ગલપરાવર્ત, ૩. કાળપુદ્ગલપરાવર્ત, ૪. ભાવપુદ્ગલપરાવર્ત. ચારેય પ્રકારના પુદ્ગલપરાવર્તમાં આપણા આત્માએ અનંતીવાર અનંતે ભવભ્રમણ કર્યું છે. (૨) આ ભવભ્રમણમાં ક્યારેક તીર્થકરનો ભેટો થઇ ગયો છે જરૂર પરંતુ તે ભવિતવ્યતાના યોગે અથવા તો પછી પાપાનુબંધના યોગે થયેલો તીર્થકરનો પરિચય હતો. કુશળ પ્રારબ્ધના યોગે અર્થાત પુન્યાનુબંધના યોગે તીર્થકરનો પરિચય આપણને ત્યારે થયો નથી. એથી જ ત્યારે તીર્થકરની જે જે સેવા કરી તે બધી જ અપારમાર્થિક બની ગઈ. (૩) મૂળ કૃતિમાં કવિએ કહ્યું છે, પૂર્વજન્મોમાં મે જિનેશ્વરને પૂજ્યાં નથી, વાંઘા નથી, સ્તવ્યાં નથી કેમકે ત્યારે મારો આત્મા સ્વયં પાપના પિંડ સમાન હતો. “પબ્લેિન પદના ઉંડાણમાં જઈને અહિં એનું તાત્પર્ય “પાપના અનુબંધથી વાસિત એવો આત્મા કરવામાં આવ્યું છે અને પછી પાપનો અનુબંધ ભક્તિમાર્ગમાં પણ કેટલો બધો વિજ્ઞભૂત બને છે તેની પ્રાસંગિક ચર્ચા અત્રે થઈ છે. જે નીચેના મુદ્દામાં પ્રસ્તુત છે. (૪) ધર્મવિશુદ્ધિમાં સર્વત્ર ઉત્કટ વિઘ્ન કરનારું પરિબળ કોઈ હોય તો તે પાપનો અનુબંધ છે. ધર્મનો આરંભ ભક્તિથી થાય છે. ભક્તિ, ભક્તિપાત્રમાં હોવી જોઈએ. અહીં પ્રશ્ન થશે કે અપુનબંધક અવસ્થામાં પણ ધર્મનો આરંભ માનેલો છે અને તમે ધર્મનો આરંભ ભક્તિથી થાય છે તેમ કહ્યું. તો પછી અપુનબંધકાણામાં પણ ભક્તિ હોવી જોઇએ. ત્યાં ભક્તિ શી રીતે સંભવે ?... સમાધાન છે, ત્યાં અપુનબંધક વિગેરે અવસ્થામાં અપુનબંધક વિગેરે પ્રારંભિક કક્ષાના ધર્માત્માઓમાં જિનવચનનો “અદ્વેષ' રહેલો છે. આ “અષ” જ ભક્તિનું બીજ છે. પૂર્વના જન્મોમાં આપણા આત્માને જિનવચનનો “અદ્વેષ' પણ મળ્યો ન હતો. તેનું કારણ આ પાપાનુબંધ છે. અકુશલાનુબંધ=પાપાનુબંધ. પાપાનુબંધનું કામ વિચિત્ર છે.
SR No.005788
Book TitleAatmninda Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherNavkar Aradhana Bhavan
Publication Year2008
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy