SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ आत्मनिंदाद्वात्रिंशिका ന്ന നടപ്പാക്കിക്കൊന്ന കണക്കിൽ विद्यमाने प्रभौ जगज्जन्तूनां द्रव्यपीडानाशनं अनेनाऽतिशयेन भवति । पुनः कथम्भूतः सः ? 'नम्रा ऽखिलाऽऽखण्डलमौलिरलरश्मिच्छटापल्लवितांऽऽधिपीठ !' नमनशीलचतुःषष्टिसुरेन्द्राणां ये मुकुटाः, मुकुटेपु यानि स्वनिवद्धानि रलानि, तेषां या किरणमाला, तया प्रभावृद्धिप्राप्तः पादपीठः यस्य सः । विशेपणेऽस्मिन् 'नम्राऽखिलाऽऽखण्डले'त्यंशेन भगवतः पूजातिशयस्य प्रतिपत्तिस्तथा च 'अंहिपीठ'त्यंशेन प्रधानतया देशनाभूमौ तद्रचयत्त्वेन वचनातिशयस्य प्रतिपत्तिः । एवं चत्वारोऽतिशया आदिम श्लोकेऽन्तर्वर्णिताः । ટીકાનો ભાવાર્થ : આત્મનિંદા કાત્રિશિકાની રચના કરવા કટિબદ્ધ બનેલાં અને એ રીતે તીર્થકરની સ્તવના માટે ઉત્સુક થયેલાં કુમારપાળ રાજવી સૌ પહેલાં પરમાત્માનો જયનાદ કરે છે અને તે આ પ્રથમ શ્લોકમાં રજૂ થયો છે. ' જિનેન્દ્ર વિશેષણનો વિમર્શ : તીર્થકરો જિન પણ છે અને જિનોના ઇંદ્ર પણ છે. આ રીતે (૧) દ્રવ્ય અને ભાવ બે પ્રકારના શત્રુને જીતે તે જિન છે. મોહનીયકર્મનો ક્ષય તીર્થકરોએ છે માટે તેમના ભાવશત્રુઓનો જય થયો તેમજ ભાવશત્રુઓનો ક્ષય થયો હોવાથી દ્રવ્યશત્રુઓ પ્રત્યે શત્રુભાવનાની ઉત્પત્તિનો હવે સંભવમાત્ર પણ રહ્યો નથી, આ અપેક્ષાએ દ્રવ્યશત્રુનો વિજય પણ પ્રભુને સ્વાભાવિક પણે પ્રાપ્ત થયો. આમ, દ્રવ્ય ભાવશત્રુના જય દ્વારા પ્રભુ “જિન” છે તે નક્કી થયું. (૨) અન્ય કેવળીઓ પણ જિન છે છતાં તેઓ અરિહંતભાષિત માર્ગનો આશ્રય કરીને જ જિન બન્યાં હોવાથી અરિહંતો જિનોમાં ઇન્દ્ર-વરિષ્ઠ છે. આ વાત પ્રભુની ભાવતીર્થંકર તરીકેની અવસ્થાને આશ્રયીને થઈ છે. ચાર અતિશયોનો સ્વીકાર : ‘જિનેન્દ્ર વિશેષણ દ્વારા પ્રભુના જ્ઞાનાતિશયનો સ્વીકાર થયો છે કેમ કે કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી જ “જિન” તેમજ “જિનેન્દ્ર' વિશેષણોનું અર્થઘટન અસ્તિત્વમાં આવે છે. આથી નિન અને ગિનેન્દ્ર ની અવસ્થાઓના બીજમાં કેવલજ્ઞાન રહ્યું છે તે નક્કી થયું. આ રીતે ઉપરોક્ત વિશેષણ દ્વારા જ્ઞાનાતિશયનો સ્વીકાર અત્રે થઈ જાય છે. પરમાત્મા અને ત્રિતીકવન્યુ કહેવાયાં છે એનું તાત્પર્ય એ છે કે પૃથ્વીકાય વિગેરે છ જવનિકાય પ્રત્યે પ્રભુના હૃદયમાં સૌહાર્દ હતું. બંધુ તે છે જેને પોતાના બંધુ માટે સૌહાર્દ છે. અહિં, વિધ્યસ્તવશ્વવ્યસનpવન્ય ! વિશેષણ દ્વારા કહેવાયું છે કે શરણાગત જીવોની આપત્તિઓનું પ્રકરણ પ્રભુ દૂર કરે છે. આ રજૂઆત કરીને કવિએ અરિહંતના અપાયાપગમાતિશયનો સ્વીકાર
SR No.005788
Book TitleAatmninda Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherNavkar Aradhana Bhavan
Publication Year2008
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy