SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૨૫ ઉદ્યમ કરનારાઓ પણ કર્મ વિના ઉદ્યમ કરી શકતા નથી. કારણ કે બુદ્ધિ પણ કર્મને અનુસરનારી હોય છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. તેથી ઉદ્યમનું પણ શ્રેષ્ઠ કારણ કર્મ જ છે. હે બહેન ! હવે એક વિશિષ્ટ દષ્ટાંતને કહું છું તેને તું સાંભળ. વિવાદી બે પુરુષોનું દષ્ટાંત - વિવાદ કરવામાં વાચાળ એવા બે પુરુષો રાજાની આગળ આવ્યા. તેમાં એક પુરુષ કર્મને સ્થાપે છે, અર્થાત્ સર્વ કાર્યમાં કર્મ જ પ્રધાન છે એમ કહે છે. બીજો પુરુષ ઉદ્યમને સ્થાપે છે, અર્થાત્ સર્વ કાર્યમાં ઉદ્યમ જ પ્રધાન છે એમ કહે છે. તે બંનેને ખોટા પાડવા માટે રાજાએ તે બંનેને ચોરની જેમ એક ઓરડામાં નાખીને ઓરડામાંથી સર્વ ભક્ષ્ય પદાર્થને બહાર કઢાવીને દરવાજાને બહારથી બંધ કરાવ્યું. પછી રાજાએ તેઓને બહારથી જ) કહ્યું કે, ઉદ્યમનું ફળ બતાવો અથવા કર્મનું ફળ બતાવો. ઈચ્છા પ્રમાણે ભોજન કરો અને ઈચ્છા પ્રમાણે બહાર નીકળો. ઉચિત સમયે કર્મ ફળે છે અને ઉચિત સમયે ઉદ્યમ પણ ફળનું કારણ બને છે. સઘળી વસ્તુઓ પોતપોતાના સમયે તૈયાર થાય છે આ પ્રમાણે વિચારીને ઉદ્યમવાદી કંઈક વિલંબ કરીને કર્મવાદીને કહે છે કે હમણાં શું કરવા યોગ્ય છે? તે તું કહે. કર્મવાદી કહે છે કે, જે થવાનું છે તે સ્વયં જ અવશ્ય થશે. માટે તું સુખે બેસી રહે. કારણ કે મારે તો કર્મ જ પ્રમાણ કરવા યોગ્ય છે. તે કર્મવાદીની અવગણના કરીને ઉદ્યમવાદી “હું કંઈ પણ ભક્ષ્ય વસ્તુને પ્રાપ્ત કરું’ એ પ્રમાણે વિચાર કરીને કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને તેને શોધવા માટે પ્રયત્ન કરે તેમ ઘરમાં ચારે બાજુ ભક્ષ્ય વસ્તુને શોધવા લાગ્યો. ખાવા યોગ્ય બધી વસ્તુ બહાર કાઢી લીધી હોવા છતાં ઓરડામાં ઉપરા ઉપરી ગોઠવેલા વાસણોની મધ્યમાં રહેલા એક વાસણમાં રહેલા ઘીથી લચપચતા, મનને આનંદ આપનારા ચાર લાડુ તેને મળ્યા. “હું મારા ઉદ્યમનું ફળ બતાવું' એ પ્રમાણે વિચારીને ગણપતિ આગળ લાડુ ધરવામાં આવે તે રીતે તેણે તે લાડુ લાવીને કર્મવાદી આગળ મૂક્યા અને તેને કહ્યું કેકર્મ નક્કી જ પાંગળા સમાન છે. તે કર્મથી પોતાનું કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. ઉદ્યમના આ મોટા ફળને તું પ્રત્યક્ષ જ જો. કર્મવાદી પણ હસીને કહે છે કે, ઘણી મહેનતથી તેં જે પ્રાપ્ત કર્યું અને મારી આગળ મૂક્યું એ મારા કર્મનું જ ફળ છે. તમે પણ ખુશ થયેલા કર્મો જ બુદ્ધિ આપી છે. જો કર્મે તને બુદ્ધિ ન આપી હોત તો મારી જેમ તું પણ શું બેઠો રહ્યો ન હોત? તેથી આપણું કર્મ જ પ્રધાન છે, ઉદ્યમ વગેરે અપ્રધાન છે. કર્મ જ જીવોને અનંત સુખ અને અનંત દુઃખ આપે છે. આ પ્રમાણે કહેવાયેલો ઉદ્યમવાદી પણ “તારી વાત સાચી છે' એમ સ્વીકારે છે. સ્પષ્ટ રીતે જોવાયેલા દૃષ્ટાંતથી જોવાયેલી વસ્તુને કોણ ન માને? અર્થાતુ બધા જ માને. હવે તે બંને જાણે સગા ભાઈ ન હોય તેમ લાડુને વહેંચીને ખાતા તે બેમાંથી કર્મવાદીને એક લાડુમાંથી
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy