SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૨૩ વાચિકસમિતિ=ભાષાસમિતિ છે તે બીજી ગુપ્તિ=વચન ગુપ્તિ જાણવી. ખરેખર ! જ્યારે ભાષાસમિત હોય છે ત્યારે જે પ્રમાણે ભાષાના અસમિતિ સંબંધી કર્મબંધને રોકે છે તે પ્રમાણે વચનની અગુપ્તિ સંબંધી પણ કર્મબંધને રોકે છે. આ પ્રમાણે ભાષાસમિતિ અને વચનગુપ્તિ એ બંનેનું એકપણું છે. અને ત્રીજી એષણા સમિતિ છે તે માનસિક ઉપયોગથી નિષ્પન્ન છે. શું કહેવાનું થાય છે? જ્યારે સાધુ એષણા સમિત હોય છે ત્યારે શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોથી હાથ માત્ર ધોવા વગેરથી ઉત્પન્ન થયેલા શબ્દ વગેરે વિષે ઉપયોગવાળો થાય છે. અર્થાત્ સાધુ જ્યારે એષણા સમિત હોય છે ત્યારે ગૃહસ્થ વહોરાવવા પૂર્વે હાથ વગેરે ધુવે ત્યારે તે સાધુની શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો હાથ ધોવા વગેરેથી ઉત્પન્ન થયેલા શબ્દ આદિને ગ્રહણ કરવામાં ઉપયોગવાળી હોય છે. આથી સાધુનું મન ત્યાં રહેલું જ છે. આથી જ એષણાસમિતિ અને મનોગુપ્તિનું એકપણું છે. બાકીની ઇર્યાસમિતિ, આદાનનિક્ષેપસમિતિ, ઉચ્ચારાદિ પારિષ્ઠાપનિકા નામની સમિતિ કાયચેષ્ટાથી નિષ્પન્ન છે. આથી આ ત્રણેય સમિતિઓનું કાયમુર્તિ સાથે એકપણું છે. ભળો મ સંધ્યા વિરુદ્ધો માનસિક ઉપયોગ સઘળી=પાંચે ય સમિતિઓમાં અવિરુદ્ધ છે. અર્થાત્ પાંચે સમિતિઓમાં માનસિક ઉપયોગ છે એ પ્રમાણે કહેવાનો ભાવ છે. આથી જ ચેષ્ટાવાળા મનોગતની સઘળીય સમિતિઓનું મનોગુપ્તિ સાથે એકપણું જાણવું. આ આઠે પણ પ્રવચનમાતા કહેવાય છે. (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ) આઠે માતાઓથી દ્વાદશાંગીરૂપ સકલ પ્રવચનની ઉત્પત્તિ થઈ હોવાથી આઠે પણ પ્રવચનમાતા કહેવાય છે. કહ્યું છે કે, “મા પવનમાયા ટુવાન પસૂનાગો’ આ પ્રવચનમાતાઓ દ્વાદશાંગીને જન્મ આપનારી છે. તથા– एताश्चारित्रगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां, मातरोऽष्टौ प्रकीर्तिताः ॥१॥ (योगशास्त्र १-४५) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ચારિત્ર રૂપ શરીરને ઉત્પન્ન કરતી હોવાથી, ચારિત્રરૂપ શરીરનું પાલન કરતી હોવાથી અને ચારિત્રરૂપ શરીરની શુદ્ધિ કરતી હોવાથી આ આઠને સાધુઓની માતા કહેલી છે. - આ પાંચ સમિતિ અને ત્રણ ગુણિમાં સકલ પણ પ્રવચન અંતભૂત થાય છે. જેથી આર્ષવચન છે કે, “કુવાત નિર્વિવા, માયં નત્ય ૩ પવય જિનેશ્વર ભગવંતે કહેલું દ્વાદશાંગી રૂપ પ્રવચન જ્યાં (પાંચ સમિતિ, ત્રણ ગુણિમાં) સમાયું. તે આ પ્રમાણેઇર્યાસમિતિમાં પ્રાણાતિપાત વિરમણ વ્રત સમાયું. બાકીના વ્રતો પ્રાણાતિપાતની વાડ સમાન છે તેથી પ્રાણાતિપાતવિરમણ વ્રતમાં અંતર્ભાવને પામે છે. એવું કંઈ પણ નથી કે જે પાંચ
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy