SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારભાવ, નમ્રતા અને સૌમ્યતા શ્રી ચંદુલાલ શાહ “અરિહંતવંદનાવલીના રચયિતા શ્રીચંદ્ર એ જ શ્રીનમસ્કાર મહામંત્રના પ્રથમ બે અક્ષરો-“નમો'–આ જગતના તમામ સદ્ગણોના અધિષ્ઠાયક–શિરતાજ છે. વિશ્વમાં પ્રવર્તી રહેલા ભિન્ન ભિન્ન મતમતાંતરોમાં કોઈ પણ એવો ધર્મ નથી જેણે Humility (નમ્રતા) અને Meekness (સૌમ્યતા) ઉપર ભાર ના મૂક્યો હોય. છે પરંતુ એ વિનમ્રતા અને સૌમ્યતા (સમભાવ)નો સમ્ય ઉદ્દભવ નમસ્કારભાવ વિના શક્ય નથી, એવું કહેવાનો યશ શ્રીઅરિહંત પરમાત્મા–પ્રણીત જૈન દર્શનને ફાળે જાય છે. - નમ્રતા અનો સૌમ્યતારૂપી બે અશ્વોને નમસ્કારભાવરૂપી રથમાં જોડીને જ મોક્ષમાર્ગના પ્રવાસની શરૂઆત થઈ શકે છે, એ નક્કર સત્ય ઉપર, શ્રી સર્વજ્ઞ ભગવંતોએ નવકારમંત્રનું આલંબન લેવા માટે જે પરમ પ્રકાશ પાથર્યો છે, એ જો સમજાઈ જાય, તો જીવન મધુર, મધુર, મધુર બની જાય, બેડો પાર થઈ જાય. “ક્રિોસ્તોમ' નામના પશ્ચિમના વિદ્વાને નમ્રતા વિષે લખ્યું છે : "Humility is the root, mother, nurse foundation and bound of all virtues." અર્થાત્ “નમ્રતા એ તમામ સદ્ગુણો માટે બીજ, જનેતા, પરિચારિકા, પાયો અને અનુબંધ છે.' .' પરંતુ, નમસ્કારભાવ વિનાની નમ્રતા અહંકારની જનેતા અને ઠગારી નીવડે છે, એનો ખ્યાલ ઘણા ઓછા માણસોને છે. “મારકસ ઓરેલીઅસ' નામના એક બીજા વિદ્વાને આને માટે બહુ સુંદર વાત કરી છે : 'Nothing is so scandalous than a man that is proud of his humility: અર્થાત્ “પોતાની નમ્રતાનો ઘમંડ રાખનાર માણસ જેવું “કલંકિત” આ જગતમાં બીજું કશું નથી.” આ વાત ખૂબ વિચારવા જેવી છે. તમામ સગુણોનો આવિષ્કાર નમ્રતામાંથી થાય છે, એમ બધા જ કહે છે. પરંતુ ગુમાનરહિત નમ્રતા નમસ્કારભાવ સિવાય શક્ય જ નથી, એ વાત માત્ર જૈન તત્ત્વવિદોએ જ કહી છે. માત્ર કહી જ નથી, તમામ શુભ પ્રવૃત્તિઓના પાયામાં મંગળાચરણરૂપી શ્રીનમસ્કાર મહામંત્રની સ્થાપના કરીને એ ધર્મ-ચિંતન • ૨૫૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy