SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ગીત ગા પરમેષ્ઠિઓના - પ.પૂ. મુનિરાજ શ્રીજયન્તવિજયજી મહારાજ. માનવ ! તારા ઉપર કોઈ ઉપકાર કરે, તને દુઃખમાંથી છૂટો કરાવે તો તું પોતાની સભ્યતા ખાતર પણ શું શું નથી કરતો ? કોઈ દ્રવ્યથી મદદગાર થાય તો તેને વળતું સવામણું પાછું આપવા જાય. કોઈ નિઃસ્વાર્થી બનીને મદદનીશ બને તો તેની ગુણગાથા લોકો સામે જીવનભર ગાતો ફરે. અને વળી કંઈ કંઈ કરે. આટલામાત્રથી તું સભ્ય બન્યો છે એવું કેવી રીતે કહી શકાય? કારણ ? તારે તારી સભ્યતાને કેળવવી હજુ બાકી છે. તારા ચર્મચક્ષુઓથી દેખી શકાય તેની તું પ્રશંસા કરેજને ? પણ તને ખબર છે ? જ્ઞાન અને વિવેકની નયનાવલીથી ક્યારે નિરખું પણ છે? કે, બાહ્ય ઉપકારીઓ જ નહિ, આત્યંતર ઉપકારીઓ પણ વિશ્વમાં વિદ્યમાન છે. એક નહિ પાંચ છે. અનંત ઉપકારી છે, પરમેષ્ઠિ છે. પરમ શ્રેષ્ઠ અને પરમોચ્ચપદે બિરાજેલા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ, બન્ને રીતે ઉપકારી છે. એવા પરમેષ્ઠિઓની પ્રશંસા કરવા તારી જિલ્લા કક્યારે પ્રવૃત્ત થઈ ? એમની નિઃસ્વાર્થી ઉપકારિતાને નિહાળવા તે ક્યારે પણ પ્રયત્ન કરી જોયો છે? એ ઋણમાંથી મુક્ત થવા તારી ઇન્દ્રિયો અને મનોબળ સાથે તે કેટલી જહેમત ઉઠાવી, કે ઉઠાવી રહ્યો છે? ભાઈ મારા ? વિચાર શુદ્ધ કરવા ક્યારે બેઠો છે ? અથવા વિચાર કર્યો છે કે એ ઉપકારીઓના સબળ સવિશુદ્ધ શરણની શરણાગતી સ્વીકારું ? - વ્હાલા સહૃદયી બંધુ? ધર્મ અનુપ્રેક્ષા • ૩૬૭
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy