SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રનું સ્મરણ અનેકવાર વ્યવસ્થિપણે ગોઠવાયેલું છે. સાધુને અંતિમ સમયે પણ-પછી તે ચૌદપૂર્વે પણ કાં ન હોય—એ જ મહામંત્ર યાદ કરવાનો યા તો સાંભળવાનો હોય છે. સાધુ લાંબા કાળ સુધી તપશ્ચર્યા કરે, સુંદર ચારિત્ર પાળે અને ઘણાં શાસ્ત્રો ભણી જાય, પણ જો તેને નવકારને વિષે રતિ-પ્રેમ ન હોય તો તે સઘળું ય નિષ્ફળ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે, શ્રાવક અને સાધુજીવનમાં શ્રીનમસ્કાર મહામંત્રનું એક ન ભૂલાય તેવું અતિ મહત્ત્વનું સ્થાન છે. કદાચ એક અપેક્ષાએ એમ પણ કહી શકાય કે–બીજા બધાય કરતાં એનો લાભ મહાન છે, કારણ કે એ મહામંત્રના સ્વાધ્યાયથી અપેક્ષાએ ચૌદપૂર્વના સ્વાધ્યાયનો લાભ થાય છે. કેમકે એ મહામંત્ર ચૌદપૂર્વનો અર્થ અથવા સાર છે. એ મહાન લાભ પ્રાપ્ત કરવા માટે શરત એટલી જ છે (૧) એ શ્રીનમસ્કાર મહામંત્ર ચૌદપૂર્વનો સાર છે એવી શ્રદ્ધાપૂર્વક ગણાવો જોઈએ. (૨) પોતપોતાની ભૂમિકાના પ્રત્યેક અનુષ્ઠાનની આરાધના ચૂક્યા વિના ગણાવો જોઈએ (૩) નિશ્ચિત સમયે ગણાવો જોઈએ. (૪) એકાગ્રતાપૂર્વક ગણાવો જોઈએ. (૫) શાસ્ત્રીય વિધિના આદર-બહુમાનપૂર્વક ગણાવો જોઈએ. (૬) મોક્ષપ્રાપ્તિ માટે જ ગણાવો જોઈએ. આ મહામંત્રના ધારક આરાધક કે સાધક ભાગ્યશાળીઓ નીચેની વસ્તુ ઉપર ધ્યાન આપશે તો આ લેખનો આશય સહેલાઈથી સમજાઈ જશે. નમસ્કાર-મહામાની આરાધનાના વિષયમાં પદાર્થ, વાકયાર્થ, મહાવાક્ષાર્થ અને ઐદત્પર્યાયાર્થ "भोअणसमये सयणे, विबोहणेपवेसणे भये वसणे । पंच नमुक्कारं खलु समरिज्जा सव्वकालं पि ॥१॥" (૧) પદાર્થ : ભોજન વખતે, સૂતી વખતે, જાગતાં, પ્રવેશ કરતાં, ભયમાં, કષ્ટમાંથાવત્ ४. सुचिरं पि तवो तविअं, चिन्नं चरणं सुयं च बहु पढियं । નટ્ટુ તા નમુધારે છું તો તું યં વિદ« II (વૃદ્ધ નમસ્કાર ફલસ્તોત્ર-૬૫) ધર્મ અનુપ્રેક્ષા • ૩
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy