SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય સામુદ્રિક શાસ્ત્રમાં શરીર સંબંધી જે જે લક્ષણો કહ્યા છે તે આપને કહું છું. આપ સાંભળો—સાત રાતા, છ ઉન્નત, પાંચ સૂક્ષ્મ, પાંચ દીર્ઘ, ત્રણ વિપુળ, ત્રણ લઘુ ને ત્રણ ગંભીર—એમ કુલ ૩૨ લક્ષણો કહ્યા છે તે આ પ્રમાણે—નખ, ચરણ, હાથ, જીભ, હોઠ, તાળુ ને નેત્રના અંતભાગ એ સાતે જેના રક્ત હોય તે સાતઅંગવાળી રાજલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. કાખ (બગલ), વક્ષસ્થળ, કૃકટિકા, નાસિકા, નખ અને મુખ એ છ જેના ઉન્નત હોય તે ઉન્નત દશાને પામે. દાંત, ત્વચા, કેશ, આંગળીના પર્વ અને નખ એ પાંચ જેના સૂક્ષ્મ હોય તે મનુષ્ય પ્રાયે પુષ્કળ લક્ષ્મીનો સ્વામી થાય છે. નેત્ર, કુંચનું અંતર, નાસિકા, દાઢી અને ભુજા આ પાંચ જેના દીર્ઘ હોય તે દીર્ઘાયુ, દ્રવ્યવાન્ અને પરાક્રમી થાય છે. ભાલ, હૃદય અને વદન એ ત્રણે જેના વિસ્તીર્ણ હોય તે રાજા થાય છે. ગ્રીવા, જંઘા અને પુરુષચિહ્ન એ ત્રણે જેના લઘુ હોય તે રાજા થાય છે. સત્ત્વ, નાભિ ને સ્વર એ ત્રણે જેના ગંભીર હોય તે સાત સમુદ્ર પર્યંતની ભૂમિ પોતાને આધીન કરે છે. આ પ્રમાણે બત્રીશ લક્ષણોનું સ્વરૂપ જાણવું. વળી જેનું મસ્તક છત્રાકાર હોય, હૃદય જેનું વિસ્તીર્ણ હોય અને કટી જેની વિશાળ હોય તે સુખ, ધન અને પુત્રવાન્ થાય છે. મયૂર, ગજ, હંસ, અશ્વ, છત્ર, તોરણ અને ચામર સદેશ રેખાઓ જેના હસ્તમાં હોય તે અનેક પ્રકારના સુખભોગ મેળવે હાથ કે પગના તળીયા પર પ્રાસાદ, પર્વત, સ્તૂપ, કમળ, અંકુશ, રથ, ધ્વજ અને કુંભ સમાન રેખાઓ હોય તે અનેક પ્રકારે શુભ સૂચવે છે. પુરુષને જમણી બાજુ તિલક કે મંડળ હોય તો તે શુભ ગણાય છે, સ્ત્રીને ડાબી બાજુ હોય તો તે શુભ ગણાય છે. આ પ્રમાણે સામુદ્રિક શાસ્ત્રમાં બતાવેલા શુભ લક્ષણો પોતાના પુત્રના શરીર પર જોઈને રાજા બહુ જ ખુશ થયા અને આવેલ વિપ્રને વાંછિત દાન આપવાપૂર્વક રાજી કરીને વિદાય કર્યો. પુત્ર સાતવર્ષનો થયો ત્યારે રાજાએ તેને લેખનશાળામાં અભ્યાસ કરવા મૂક્યો. કારણકે મનુષ્ય કળા અને વિદ્યા વગેરે ગુણોવડે અલંકૃત હોય તોજ શોભે છે. વિરૂપ અને વસ્ત્રાલંકા૨વડે પરિહીણ મનુષ્ય પણ જો દ્વિઘાવાન્ હોય તો રાજસભામાં તેમજ વિદ્વાનોની સભામાં માન પામે છે. પૂરો ભરાયેલો ઘડો શબ્દ કરતો નથી, અધૂરો ઘડો જ શબ્દ કરે છે, તેમ ખરા વિદ્વાન્ હોય છે તે ગર્વ કરતા નથી, વિદ્યાવિહીન હોય તે જ બહુબોલકા હોય છે. શાસ્ત્રાધ્યયન બુદ્ધિને આધિન હોય છે, તેથી બુદ્ધિશાળી રાજપુત્રે થોડા વખતમાં ઘણો વિદ્યાભ્યાસ કર્યો તેમજ છત્રીશ પ્રકારના શાસ્રના અભ્યાસમાં પણ નિપુણ થયો. અનુક્રમે તે રૂપસૌભાગ્યસંપન્ન થવાથી તેમજ પુરુષની બહોતેર કળાસંયુક્ત થવાથી રાજાએ તેને યુવરાજપદે સ્થાપિત કર્યો. મિત્રોથી પરિવરેલો રત્નપાળ અનેક પ્રકારની ક્રિડા કરવા લાગ્યો અને શસ્ત્ર તેમજ શાસ્ત્રના વિનોદમાં દિવસો વ્યતીત કરવા લાગ્યો. કાન્યકુબ્જ દેશમાં હંસપુર નામના નગરમાં વીરસેન નામનો રાજા ખરેખરો વીર અને મહાસેનાવાળો હતો. તેને શીલવતી અને સૌભાગ્યવતી એવી વીરમતી નામની રાણી હતી. તેમને સદ્ગુણોવડે મંડિત શૃંગારસુંદરી નામે પુત્રી હતી. તેનું મુખ ચંદ્રની વિડંબના કરે તેવું,
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy