SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ તૃતીયઃ પલ્લવઃ આવ્યા. પરિણામે તે બન્ને પાપુરના રાજા સિંહનરેશ્વરને વરી. બીજા રાજાઓ પોતપોતાને સ્થાને ગયાં. પઘરાજાએ આડંબરપૂર્વક પુત્રીનો લગ્નોત્સવ કર્યો. પછી તે બન્નેને લઈને સિંહરાજા પોતાના નગરમાં આવ્યો. એક વખત પોતાના મહેલના ગવાક્ષમાં બેઠેલી તે બન્નેએ એક કેવળજ્ઞાની મુનિરાજને જોયા. ઉહાપોહ કરતા તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે દ્વારા તેમણે પોતાનો પૂર્વભવ જોયો. તેમણે જાણ્યું કે અમે જે મુનિરાજને ફળનું દાન આપ્યું હતું તે જ આ મુનીશ્વર છે અને અમારા ભાગ્યયોગથી અહીં પધાર્યા છે, તેમજ અમારી દષ્ટિએ પડ્યા છે. આ પ્રમાણે વિચારીને તે બન્ને રથ પર આરૂઢ થઈને સપરિવાર તે મુનિને વંદન કરવા માટે વનમાં ગઈ અને તે મુનિરાજને વંદના કરી મુનિરાજે દાનનો મહિમા વર્ણવતાં કહ્યું કે સુપાત્રમાં વૃત, ઈક્ષરસ, મોદક અને બીજાં અચિત્ત કરેલાં ફળો વગેરે વહોરાવવાથી પ્રાણી યાવતું તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. ત્યારબાદ તે બન્નેએ કેવળી ભગવંતને પૂછ્યું કે-“હે સ્વામી! પૂર્વભવે અમે બ્રાહ્મણને ત્યાં જન્મ્યા છતાં ક્યા કર્મના ઉદયથી ભિલ્લની સ્ત્રી થઈ? પૂર્વે અમે એવું શું દુષ્કૃત કર્યું હતું? ત્યારે કેવળી ભગવંત બોલ્યા કે : ગૌરી-ગાંધારીનો પૂર્વભવ પૂર્વે વિશાળા નામે એક શ્રેષ્ઠ નગરી હતી, તેમાં બીજો ધનદ હોય તેવો દત્ત નામનો ધનવાન શ્રેષ્ઠી રહેતો હતો. તેને પ્રશસ્ત ગુણવાળી લક્ષ્મીવતી નામની પ્રિયા હતી. તેની કુક્ષિથી ' હેમમાળા અને રત્નમાળા નામની બે પુત્રીઓ થઈ. વિવાહને અવસરે તે બન્ને કેટલીક સખીઓના પરિવારથી પરિવરીને કામદેવ નામના યક્ષનું પૂજન કરવા માટે વનમાં ગઈ. તે યક્ષના ભુવનમાં એક મુનિ કાયોત્સર્ગમાં સ્થિત થયેલા હતા. તેને જોઈને સખીઓ બોલી કે– હે સખી ! જો આ સાક્ષાત મૂર્તિમાનું પુણ્યની પ્રતિમા જેવા અદ્ભુત મુનિરાજ અહીં કાયોત્સર્ગ ધ્યાને રહેલા છે.” તેમને જોઈને પોતાના સારા શૃંગારાદિકના મદથી તે બન્ને બોલી કે–“અહો ! આની મુલીનતા કેવી છે ? મૂર્તિમાનું ભિલ્લ હોય એવા દેખાય છે. આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કરી યક્ષને પૂજીને તે બન્ને ઘરે આવી. ત્યાંથી મરણ પામીને કોઈક દાનાદિ ધર્મના ફળથી તે બન્ને વિપ્રની પુત્રીઓ થઈ. તે ભવમાં મુનિરાજની નિંદાના પ્રભાવથી તમે બન્ને ભિલ્લની પત્નીઓ થઈ અને આ ભવમાં મુનિદાનના પ્રભાવથી રાજપત્નીઓ થઈ.” આ પ્રમાણે પોતાનો પૂર્વભવ તેમજ ધર્મદેશના સાંભળીને ધર્મ અંગીકાર કરી તે બન્ને 'પોતાને સ્થાનકે આવી અને રાજાની સાથે પ્રીતિપૂર્વક સુખભોગ ભોગવવા લાગી. તે બન્નેએ ઉત્તમ જિનબિંબોથી વિભૂષિત બે જિનપ્રાસાદ કરાવ્યા. તે પ્રાસાદમાં પ્રભુની સમીપે સુવર્ણમય આમ્ર અને કેળના વૃક્ષો બનાવ્યા. તે વૃક્ષો જોઈને બન્ને વિચારતી કે–“આ બને વૃક્ષના ફળના દાનવડે અમે આવી અદ્ભત રાજયઋદ્ધિ પામ્યા છીએ.” આમ વિચારતી તે હર્ષ પામતી. અંતે તે બને તે જ જિનપ્રસાદમાં અનશન ગ્રહણ કરી જિનભક્તિની પ્રાપ્તિ થવાનું નિયાણું કરી મરણ પામી સોળ વિદ્યાદેવીઓ પૈકી આઠમી અને નવમી ગૌરી અને ગાંધારી નામની દેવીઓ થઈ. દાનપુણ્યના પ્રભાવથી જિનશાસનની સાંનિધ્ય કરનારી, વાંચ્છિત
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy