SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય નિંદનીય કાર્ય કરનાર એવા મને ધિક્કાર છે! કહ્યું છે કે આવું પુરુષાતન પાતાળમાં જાઓ અને આ ખરેખરી કુનીતિ છે કે જેમાં નિર્દોષ અને અશરણ એવા દુર્બળ જીવો બળવાનથી હણાય છે અહો! આ જગતુ તો ખરેખર રાજા વિનાનું થયેલું છે. આ પ્રમાણે પોતાની નિંદા કરતા તેણે હંમેશાને માટે હિંસાત્યાગનો નિયમ કર્યો અને શિકારનો ત્યાગ કરી દયાવાન્ થઈને ઘરે આવ્યો. I એક વખત નગરલોકોએ આવીને સિંહશિખ રાજાને વિનંતી કરી કે– હે રાજનું ! આપણું નગર આખું ચોરોથી લુંટાય છે, માટે તેનાથી અમારું રક્ષણ કરો.' તે સાંભળીને રાજાએ કોટવાળને પૂછ્યું કે-“શું તમે આપણા નગરનું રક્ષણ કરતાં નથી ?' કોટવાળે કહ્યું કે હે સ્વામિન્ ! તે ચોર પકડી શકાતો નથી.” તેથી રાજાએ પ્રજાજનને કહ્યું કે–“આજે હું તે ચોરને પકડીશ.” પ્રજાજનો આવો ઉત્તર મળવાથી આનંદિત થઈને સ્વસ્થાને ગયા. રાજાએ સાંજે બધે ચોકીદારો મૂકી દીધા અને રાજાના આદેશથી વિરધવલકુમાર લશ્કર સાથે શહેરમાં ફરવા લાગ્યો. કેટલાક સુભટો ગુપ્ત રીતે બધે સ્થળે ફરવા લાગ્યા. એમ કેટલીક રાત્રી જતાં કોઈ સુભટોએ ચોરને પકડ્યો અને તેને દઢ બંધનવડે બાંધીને વિરધવલ પાસે લઈ આવ્યા. “વધ તથા બંધન તો ચૌર્યરૂપી પાપવૃક્ષનું ઈહલૌકિક ફળ છે, પરલોકમાં તો તે દ્વારા નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ થાય છે.” કુમારે તે ચોરને જોઈને વિચાર્યું કે-આને જો રાજા પાસે રજૂ કરવામાં આવશે તો તે જરૂર એને મારી નાંખશે અને હું હિંસામાં નિમિત્ત બનીશ. તેથી મને પંચેન્દ્રિયજીવના વધનું પાપ લાગશે.' આમ વિચારીને કુમારે તે ચોરને કહ્યું કે- હું તને અત્યારે છોડી મૂકું પણ આજ પછી તારે કયારેય પણ ચોરી ન કરવી એમ કબૂલ કર.” ચોરે તે પ્રમાણે કબૂલ કર્યું તેથી કુમારે તેને છોડી મૂક્યો. ચોર પણ ત્યાંથી દૂર જતો રહ્યો. કુમારે આ વાત રાજાને કરવી નહીં.” એ પ્રમાણે બધા સુભટોને કહ્યું. પ્રભાતે રાજાએ સુભટોને પૂછ્યું કે–કેમ કાલે ચોર ન મળ્યો?” ત્યારે સુભટોએ કહ્યું કે– “હા સાહેબ ! ન મળ્યો !” આવો ઉત્તર સાંભળીને રાજા હતાશ થઈ ગયો. પછી તે દિવસે રાત્રે રાજા પોતે પ્રચ્છન્ન રીતે નગરમાં ફરવા નીકળ્યો. તેમાં કોઈકે કુમારે ચોરને છોડી દીધાની વાત કરી દીધી. રાજાએ સવારે કુમારને રાજસભામાં બોલાવી તેના પર કોપાયમાન થઈને દેશનિકાલ કર્યો. વિરધવલ ત્યાંથી નીકળી ફરતો ફરતો ભદિલપુર આવ્યો. સુધાથી પીડિત થયેલો તે દીનની જેમ નગરમાં ભિક્ષા માટે ફરવા લાગ્યો. “પાપના ઉદયથી ભાગ્ય અવળું થાય ત્યારે મનુષ્યને શું શું કરવું પડતું નથી લક્ષ્મી અવિચ્છિન્નપણે જેના ચરણકમળની પર્યાપાસના કરતી હોય છે, તે પુરુષ પણ પાપનો ઉદય થવાથી માત્ર કંબલધારી થઈ જાય છે. તેથી નિશ્ચય થાય છે કે વિધિ સર્વ કરતાં બળવાનું છે. ભિક્ષાર્થે ભમતાં વિરધવલને પર્વનો દિવસ હોવાથી કોઈને ત્યાંથી સાથવો મળ્યો. તે લઈને વિરધવલ નગરની બહાર સરોવર પાસે આવ્યો અને સરોવરમાંથી પાણી લઈ ગોળ અને સાથવાને તેમાં પલાળીને તે વિચારવા લાગ્યો કે અત્યારે જો કોઈ પાત્ર મળી જાય તો તેને આમાંથી આપીને પછી હું ખાઉં.” આ પ્રમાણે વિચારતાં તેના ભાગ્યોદયથી કોઈ માસોપવાસી મુનિ ત્યાં પધાર્યા. તેમને જોઈને તે વિચારવા લાગ્યો કે –“અહો ! અત્યારે મને સુકૃત વૃક્ષ ફળ્યું. આ સંસારસમુદ્રમાં પણ પ્રવાહણ મળી ગયું. ચિંતામણિરત્ન હસ્તગત થયું કે જેથી આવા તપસ્વી મુનિરાજનો યોગ પ્રાપ્ત થયો.” આ પ્રમાણે વિચારીને તેણે બહુમાનપૂર્વક અચિત્ત સાથવાનો પિંડ
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy