SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ તૃતીયઃ પલ્લવઃ પ્રમાણે શ્રાવકના બારમા વ્રતમાં પાંચે અતિચારો લગાડતો હતો. સર્વથા શ્રાવકધર્મનું આરાધન કરવામાં તે શ્રેષ્ઠીનો કાળ પસાર થયો છે. એક વખત કોઈ સાર્થવાહ વ્યાપાર માટે પરદેશ જવા તૈયાર થયો. તે વખતે લલિતાંગના કોઈ મિત્રે લલિતાંગને કહ્યું કે—‘તમે પણ સાથે ચાલો અને શકટ, વૃષભાદિ સામગ્રી તૈયાર કરો.' લલિતાંગ તૈયારી કરવા લાગ્યો. તે તૈયાર થયો તેટલામાં સાર્થવાહે પ્રયાણ કર્યું. લલિતાંગ ગાડાઓમાં કરીયાણા ભરીને તેની પાછળ ચાલ્યો અને સાર્થની સાથે ભેગો થયો. રાત્રિએ કોઈક સારા સ્થાનકે સર્વની સાથે નિવાસ કર્યો. પાછલી રાત્રે લલિતાંગ શેઠ ઊઠીને પગનો સંચાર ન જણાય તેવી રીતે પ્રતિક્રમણ કરવા બેઠો. તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતો હતો તેટલામાં સાર્થનો મોટો ભાગ ‘ઉઠો ઉઠો. ચાલો ચાલો.' એમ બોલતો ઉતાવળે તૈયાર થયો. તે વખતે લલિતાંગે ગાડાઓ જોડતાં લોકોને અટકાવીને કહ્યું કે—‘હજુ રાત્રિ બાકી છે, તેથી જરા ધીરજ રાખો. ઉતાવળા ન થાઓ. વળી મારે તો સામાયિક છે તેથી હું પ્રયાણ કરી શકું તેમ નથી.'' તે સાંભળી સાર્થના બીજા લોકો બોલ્યા કે—‘આગળનું મુકામ દૂર છે, તેથી હવે રોકાવાનો વખત નથી. પછી તડકો થવાથી બળદો સુધાતૃષાથી હેરાન થાય છે. તમારે વિલંબ છે તો અમે આગળ જઈને વિશ્રાંતિ લઈશું ત્યાં તમે આવીને ભેગા થજો.' આ પ્રમાણે કહીને લલિતાંગે રોકવા છતાં સાર્થ રોકાણો નહીં અને પ્રયાણ કર્યું. લલિતાંગે વિચાર્યું કે—‘ભલે તેઓ ગયા તો ગયા. હું સામાયિક પૂર્ણ થયા પછી પ્રયાણ કરીશ. વળી મારે આ પ્રમાણે ગાડામાં કરીયાણા ભરીને વેચવા જવાનું શું પ્રયોજન છે ? આ પ્રમાણે વિચારતાં તેનું સામાયિક પૂર્ણ થયું ત્યારે તેણે પાર્યું અને પછી પ્રયાણ કરવાની તૈયારી કરવા લાગ્યો. તેટલામાં લોકોનો બંબારવ સાંભળ્યો. તે સાંભળી લલિતાંગે વિચાર્યું કે—સારું થયું કે મેં અંધકારમાં પ્રયાણ કર્યું નહીં.” આ પ્રમાણે વિચારીને ધીમે ધીમે પ્રયાણ કરે છે તેટલામાં લુંટાયેલા અને વસ્ત્ર વિનાના થયેલા પહેલા પ્રયાણ કરનારા સાર્થના લોકો મળ્યા. તેઓ બોલ્યા કે—તમને ધન્ય છે, તમે પુણ્યવાન છો, તમારું પુણ્ય જાગતું છે, અમને રસ્તે જતાં ચોરની ધાડ મળી. તેણે અમને લુંટી લીધા અને સાવ વસ્ર વિનાના કરી દીધા અને પછી છોડ્યા.'' લલિતાંગે તે બધાને વસ્ત્રાદિક આપ્યા અને સ્વસ્થ કરીને સ્વસ્થાને પહોંચાડ્યા. લલિતાંગ પણ પાછો વળી પોતાના સ્થાને આવ્યો, ત્યાં તેને પહેલા ખરીદેલા કરીયાણા વેચતાં બહુ લાભ મળ્યો. પછી તેણે નિયમ કર્યો કે—‘હવે પછી મારે આ ભવમાં આ પ્રમાણે શકટમાં કરીયાણા લઈને વેચવા જવું નહીં, ઘરે બેઠા જે લાભ મળે તેટલાથી જ સંતોષ માનવો.' તે દિવસથી તેના ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી અનુક્રમે તેને પુત્ર થયો. તેનું નામ લક્ષ્મીચંદ્ર પાડ્યું. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યો. તેના વિવાહ મહોત્સવ વખતે અનાયાસે કોઈ સાધુઓ વિચરતાં વિચરતાં ત્યાં આવ્યા અને તેમાંથી કેટલાક સાધુ શેઠને ત્યાં વહોરવા આવ્યા. તે વખતે શેઠ જિનપૂજા કરતા હતા. તેથી શેઠે પૂછ્યું કે—‘ઘરમાં કોણ છે ?' લક્ષ્મીચંદ્રે કહ્યુંકે—‘હે પિતાજી ! હું છું, કાર્ય હોય તે ફરમાવો,’ શેઠ બોલ્યા કે—‘હે વત્સ ! આવેલા મુનિભગવંતને પૂછ કે આપ કેટલા સાધુ ભ. પધાર્યા છો? તેણે મુનિને પૂછ્યું—એટલે મુનિ ભગવંત બોલ્યા– ‘શ્રી ધર્મઘોષ નામના સૂરીંદ્ર પાંચસો મુનિ સાથે પધાર્યા છે અમે તેના શિષ્યો છીએ અને ગોચરી વહોરવા નીકળ્યા છીએ.'' ત્યારે શેઠે
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy