SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયઃ પલ્લવઃ ЧЕ દાસીઓને કહ્યું કે—‘આ તો કોઈ અજાણ્યો પુરુષ જણાય છે તો તેને પાછો નીચે મૂકી ઘો. દાસીઓએ માંચીમાં બેસાડીને તેને નીચે મૂક્યો, તેથી તે તો પાછો પોતે હતો ત્યાં શૂન્ય હાટે આવ્યો અને રાત્રિ હોવાથી થયેલા કૌતુકનો વિચાર કરતાં ત્યાં જ સુઈ ગયો. પ્રભાત થઈ ત્યારે સુમતિ મંત્રી જમાઈને શોધવા માટે નગરમાં નીકળ્યો. તેણે આ શૂન્ય દુકાન ઉપર સૂતેલા કંકણાદિ વિવાહના વેષયુક્ત દુર્ગકને જોયો. તેથી તેને જગાડીને મંત્રી બહુમાન સાથે પોતાને ઘરે લઈ ગયા. રાજાએ પણ પ્રાતઃકાળે રાજપુત્રી સંબંધી રાત્રિનો તમામ વૃતાંત જાણ્યો. તેથી મંત્રીને બોલાવીને તેમણે કહ્યું કે—‘હે મંત્રી ! કુળબાલિકા આ જન્મમાં એક વરને જ વરે છે, ગઈકાલ રાત્રે આ પ્રમાણે હકીકત બની છે તો હવે તે વરને શોધી લાવો કે જેને રાજપુત્રી સ્વેચ્છાએ વરી છે.' મંત્રીએ તે હકીકત સાંભળીને પોતાની પુત્રી સંબંધી કૌતુકકારી હકીકત રાજાને કહી સંભળાવી. પછી તે દુર્ગકને રાજા પાસે બોલાવ્યો અને બન્ને કન્યાને પરણનાર તરીકે તેને ઓળખ્યો. રાજાએ દુર્ગકને વનમાં જોયો હતો તેથી તે દુર્ગકને ઓળખી ગયા, ભદ્રિકતાથી તેમણે દુર્ગકને પૂછ્યું કે—‘મગ વેચવા આવેલો તે જ તું છે ?” દુર્ગકે કહ્યું કે ‘‘હાજી ! તે હું જ છું.' ત્યાર પછી રાજાએ મંત્રીને તેના સંબંધી શુકન વગેરેની તમામ હકીકત કહી. તે સાંભળી વિચારીને મંત્રી બોલ્યો કે—‘‘હે સ્વામિન્ ! વિધાતાએ જ આ બંને વિવાહ મેળવી આપ્યા હોય એવું જણાય છે. ભાવીમાં જે બનવાનું હોય તે બને જ છે અને ન બનવાનું હોય તે ક્યારયે પણ બનતું નથી. શ્રીજિવેંદ્રોએ એમ કહ્યું છે કે શુભ કે અશુભ જે પૂર્વોપાર્જિત કર્મ હોય છે તે ફળે જ છે.' નીતિમાં પણ કહ્યું છે કે ‘આકૃતિ, કુળ, શીલ, વિદ્યા અને જન્મપર્યંત કરેલી સેવા પણ કોઈક વખત ફળતી નથી. પરંતુ તપસ્યા વગેરેથી સંચિત કરેલા પૂર્વભવના પુણ્યકર્મો તો મનુષ્યને ઉત્તમ વૃક્ષોની જેમ દીર્ઘકાળે પણ અવશ્ય ફળે છે.” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ બન્ને કન્યાઓનો દુર્ગક સાથે આડંબર પૂર્વક વિવાહોત્સવ કર્યો અને ક૨મોચનપ્રસંગે દુર્ગકને પોતાનું અર્ધ રાજ્ય આપ્યું અને રાજાએ દુર્ગકનું સૌભાગ્યકળશ એ પ્રમાણે નામ રાખ્યું. આ ભવમાં પણ કરેલા પુણ્યના પ્રભાવથી તે સુખી થયો. ખરેખર સમ્યક્ત્રકારે સેવેલો દયાયુક્ત જૈનધર્મ આ લોકમાં અને પરલોકમાં પણ સર્વથા ફળદાયક થાય છે. એકવખત રાજાએ સૌભાગ્યકળશને કહ્યું કે—‘હે ભદ્ર ! તને થયેલા શુભ કુનો સા૨ી રીતે ફળ્યાં છે. ‘સૌભાગ્યકળશ બોલ્યો કે—‘હે સ્વામિન્ ! માત્ર શકુનથી શું થાય ? મેં શ્રીજિનેંદ્રોક્ત ધર્મનું સારી રીતે પ્રતિપાલન કર્યું, દંભરહિત શ્રીજિનેશ્વરદેવનું દ૨૨ોજ પૂજન કર્યું, યથાશક્તિ મુનિરાજને દાન આપ્યું. તે પુણ્ય મને અત્યારે ફળ્યું છે અને હે રાજન્ ! તે પુણ્યના પ્રભાવથી સિદ્ધપુરુષે કહેલા વચનો મને સાચા થયા છે.” આ પ્રમાણે પોતાના જમાઈએ કહેલા ધર્મના ફળથી વિક્રમધન રાજા ધર્મની આરાધનામાં તત્પર બન્યો. તે દરરોજ શુદ્ધ ચિત્તે ધર્મ આરાધવા લાગ્યો. વળી જિનગૃહમાં, જિનબિંબમાં અને ચતુર્વિધસંઘની ભક્તિમાં એમ સાતે ક્ષેત્રમાં પણ ધનનો વ્યય કરવા લાગ્યો. ‘દરેક ગામ અને નગરમાં કેટલાક ધનિક મનુષ્યો એવા હોય છે કે જેમનું ધન વૃદ્ધિવડે કે નાશવડે પૃથ્વીને જ શોભાવે છે. પરંતુ જેનું ધન જિનબિંબ, જિનગૃહ, જ્ઞાન અને ચતુર્વિધ સંઘરૂપ સાતક્ષેત્રમાં
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy