SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય સુંદર શેઠને આ પ્રમાણે પુણ્યકાર્ય કરતાં કેટલોક કાળ પસાર થયો ત્યારે તેની સ્ત્રીએ ગર્ભધારણ કર્યો. તે ગર્ભના પ્રભાવે થતા શુભ દોહદોને સુંદર શેઠ પૂર્ણ કરતાં હતા. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શુભદિવસે પુત્રનો જન્મ થયો. તેની વધામણી મળતાં ઉત્સાહિત થયેલા સુંદર શ્રેષ્ઠીએ તેનો જન્મોત્સવ બહુ સારી રીતે કર્યો અને તેનું દુર્ગક નામ રાખ્યું, હજુ તે પુત્ર બાલ્યાવસ્થામાં જ હોય છે તેટલામાં તેના પૂર્વભવના દુષ્કર્મના યોગથી તેના માતા-પિતા મરણ પામ્યા. દેવની વાણી મિથ્યા થતી નથી.” અનુક્રમે તે દુર્ગકના કુળનો ક્ષય થયો, તેનો દ્રવ્યાદિ વૈભવ પણ નાશ પામ્યો. બાકી રહેલા તેના પરિવારજનો મૃત્યુના ભયથી તેનાથી દૂર વસવા લાગ્યા. પરંતુ, દયાળુ પાડોશીઓએ તે બાળકનું પ્રતિપાલન કર્યું. દૈવયોગથી તે દુર્ગક વૃદ્ધિ પામ્યો. “દૈવ અરકનો રક્ષક છે અને વિધિ જ્યાં નાશક બને ત્યાં ગમે તેટલી સુરક્ષા વચ્ચે રહેલો પ્રાણી પણ વિનાશ પામે છે. વિધાતા પ્રતિકૂળ હોય છે ત્યારે ગુણ પણ દોષરૂપ થાય છે અને તે જ્યારે અનુકૂળ થાય ત્યારે દોષ પણ ગુણરૂપ થાય છે.” | દુર્ગક કુમારાવસ્થાને પામ્યા બાદ સર્વ શાસ્ત્રોનો અને કળાઓનો અભ્યાસી થયો. કળાઓમાં કુશળ થયો પરંતુ કર્મ વડે નિર્ધન રહ્યો. તે પોતાનું ગામ છોડીને નજીકના શાલી નામના ગામમાં રહેવા ગયો અને ત્યાં નવા નવા પ્રકારના વ્યાપારો કરવા લાગ્યો. પરંતુ તે જે જે કરીયાણા ખરીદતો હતો તેમાં તેને લાભ અલ્પ થતો અથવા ન થતો અને પૂર્વ દુષ્કર્મના યોગથી હાનિ ઘણી થતી હતી. એક વખત તે માથે પોટલું મૂકીને ક્યાંક જતો હતો માર્ગે તેને બે મુનિ મહારાજ મળ્યા. સત્કર્મના યોગથી તેને આ સાધુભગવંતની સંગતિ થઈ. “આગળ જેવી સિદ્ધિ થવાની હોય છે તેવો સંયોગ પ્રાપ્ત થાય છે. તે મુનિઓને વંદન કરીને દુર્ગક ધર્મ પૂછયો. એક મુનિભગવંતે તેને ધર્મોપદેશ આપતા કહ્યું કે –“જિનભક્તિ, ગુરુવંદન, દાન, શીલ, તપ, શ્રતાભ્યાસ, ધ્યાન અને સંવેગ આટલાં કાર્યો ઉત્તમ શ્રાવકે દરરોજ કરવાં.” આ પ્રમાણેની ગુરુની દેશના સાંભળીને તે દરરોજ જિનમંદિર જવા લાગ્યો અને વિવિધ વસ્તુ દ્વારા ત્રિકાળપૂજા કરવા લાગ્યો. ઉભયકાળ શુભભાવપૂર્વક આવશ્યક કરવા લાગ્યો. મન સ્થિર કરીને નમસ્કાર મહામંત્રનો જાપ કરવા લાગ્યો અને સ્વલ્પમાંથી સ્વલ્પ પણ મુનિરાજને દાન આપવા લાગ્યો. “નિર્ધનાવસ્થામાં કરેલું સ્વલ્પ પણ દાન મોટા લાભને કરનાર છે.” નિત્ય જિનધર્મના સારભૂત દયા–ધર્મનું પાલન કરવા લાગ્યો. ઉત્તમજીવો ધર્મની સામગ્રી પામીને પોતાના એક સમયને પણ ધર્મવિહીન જવા દેતો નથી. એ પ્રમાણે કેટલોક કાળ પસાર થયા પછી એક દિવસ તે મગનો કોથળો લઈને નજીકના નગરે જતાં માર્ગમાં વિશ્રાંતિ લેવા એક ઉદ્યાનમાં બેઠો. ત્યાં એક વૃક્ષની નીચે હાથમાં પુસ્તક લઈને બેઠેલા એક દક્ષ મનુષ્યને તેણે જોયો. તેથી દુર્ગકે પૂછ્યું- હે વિદ્વાન્ ! આ તમારી પાસે શેનું પુસ્તક છે? તે કહો.” તે બોલ્યા કે-“આ શકુન સંબંધી પુસ્તક છે.' ત્યારે દુર્ગકે પૂછ્યું કે“હે સુંદર ! કયા કયા શકુનનું શું શું ફળ થાય. તે કહો.” એટલે તે બોલ્યો કે- - : “કન્યા, શંખ, ગાય, ભેરી, દહીં, પાકું ફળ, સુગંધી પુષ્પ, દેદિપ્યમાન અગ્નિ, અશ્વ, રથ, નૃપતિ, પૂર્ણકુંભ, ઊંચો કરેલો ધ્વજ, ભૂમિ (માટી વગેરે), મત્સ્ય યુગ્મ, રાંધેલુ અન્ન,
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy