SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય (કપાસીયા) દૂર કરવામાં આવ્યા તે સહન કર્યું, પછી દુઃસહતર એવું તુલારોપણ સહન કર્યું. પછી ગ્રામ્ય સ્ત્રીના હાથથી રેંટીઆ દ્વારા ખેંચાવાનું સહન કર્યું. તંત્રીના પ્રહારની વ્યથા સહન કરી, પછી માતંગોએ મોઢામાં પાણી ભરીને તેની ફરતું છાટ્યું તે સહન કર્યું અને પછી કુચાવડે કુટવાનું સહન કર્યું.—આ પ્રમાણે સહન કર્યા પછી તે વસ્ત્રમાં વણવાને યોગ્ય થયું.” યોગીએ કહ્યું કે—‘હે મહાભાગ ! સ્વર્ણપુરુષ કરવા માટે પ્રથમ સપાદલક્ષ પર્વતમાંથી શીત અને ઉષ્ણ પાણી લાવવું પડશે.' ધર્મદત્તે કહ્યું કે—‘ચાલો, લાવીએ,' પછી તે બંને જઈને ત્યાંના કુંડમાંથી બંને પ્રકારનું જળ લઈ આવ્યા અને રક્તચંદનના કાષ્ટનું એક પુતળું બનાવ્યું. ત્યારબાદ હોમને લગતી તમામ સામગ્રી લઈને કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ યોગી ધર્મદત્ત સહિત સ્મશાનમાં આવ્યો અને ત્યાં અગ્નિનો કુંડ બનાવી તેમાં અગ્નિ પ્રજ્વલિત કરી કુંડના કાંઠા ઉપર રક્તચંદનનું પૂતળું મૂક્યું અને તેની પાસે રક્ષા માટે ખડ્ગ મૂક્યું. પછી ધર્મદત્તને કહ્યું કે—‘તારી પાસે આત્મરક્ષા માટે શું શસ્ત્ર છે ?' એટલે ધર્મદત્તે કહ્યું કે—જે શસ્રવડે મેં રાક્ષસને માર્યો છે. તે શસ્ત્ર મારી પાસે ગુપ્તપણે રાખેલું છે.' યોગીએ કહ્યું કે—તારે ભય રાખવાનું કાંઈ કારણ નથી.' એમ કહીને ધર્મદત્તને પરાક્રુખ ઊભો રાખીને યોગી તેની પાછળ કૂંડને કાંઠે પૂતળું મૂકીને બેઠો. પછી તે મંત્રપાઠપૂર્વક સરસવો પેલા પૂતળા ઉપર નાંખવા માંડ્યો. તે સાથે ધર્મદત્તની પીઠ ઉપર પણ સરસવ અને અક્ષત પડતા જાણીને ધર્મદત્તે વિચાર્યું કે—જરૂર આ દુષ્ટ યોગી મારી સાથે કપટ કરી રહ્યો છે. એણે કપટનાટક આરંભ્યું છે, તેથી મારે સાવધ રહેવાની જરૂર છે. પરંતુ અત્યારે અહીં મારો મિત્ર કોણ છે ? હું ખરેખર કષ્ટમાં પડ્યો છું: મારી રક્ષા કોણ કરશે? અત્યારે મારું કર્તવ્ય શું છે ? હા, યાદ આવ્યું. મને ધર્મ જ આપેલો છે તેથી તે ધર્મનું જ સ્મરણ કરવું યોગ્ય છે.' આમ વિચારીને તે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવા લાગ્યો. परमेष्ठि नमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पञ्जराभं स्मराम्यहम् ॥ આ પ્રમાણેનું વજપંજર સ્તોત્ર આખું ભણીને પોતાની ફરતું વજ્રપંજર બનાવ્યું. પંચપરમેષ્ઠી પદોથી સંગ્રામ, સાગર, કરીંદ્ર, ભુજંગ, સિંહ, દુર્વ્યાધિ, વહ્નિ, રિપુ અને બંધનથી નિષ્પન્ન થયલા તેમજ ચોર, ગ્રહ, ભ્રમ નિશાચર અને શાકિનીથી થયેલા ભયો નાશ પામે છે. તેથી એ પરમમંત્રથી અંગરક્ષા કરીને ધર્મદત્તે ખગ સજ્જ કર્યું અને સાવધાન થઈને ઊભો રહ્યો. અનુક્રમે એવી રીતે ૧૦૮ જાપ પૂરા થયા એટલે ધર્મદત્તે પાછા વળીને વાંકી દૃષ્ટિએ જોયું તો યોગીને ખડ્ગ ઉપાડતો જોયો તેથી તેણે એકદમ પાછા ફરી લઘુલાઘવી કળાથી પોતાની પાસેના ખડ્ગવડે તે યોગીને હણ્યો અને તેને કુંડમાં નાખ્યો જેથી તરત જ તે સુવર્ણપુરુષ રૂપ થયો. તેને પ્રથમ લાવેલા શીતોષ્ણ જળ વડે સીંચ્યો. ત્યાર પછી ધર્મદત્ત પોતાના સ્થાનમાં પાણી પીવા માટે ગયો. પાણી પીને ત્યાં પાછો આવીને જુએ છે, તો સુવર્ણપુરુષ કુંડમાં નથી. એટલે તે મૂચ્છિત થઈને ભૂમિ પર પડ્યો, શીતળ પવનના યોગથી કેટલીકવારે તેને ચેતના આવી. તે સ્વસ્થ થયો અને વિચારવા લાગ્યો કે—અરે ! મેં યોગીને હણ્યો અને સુવર્ણપુરુષ તો મળ્યો નહિ. હાથ દાઝ્યો પણ પોંખ ખાવા ન મળ્યો એવું થયું. હું ઉભયભ્રષ્ટ થયો. ચંડાળની શેરીમાં ગયા છતાં
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy