SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પલ્લવઃ ૩૩ સ્વામી ! તમારાથી મોટા તમારે સાત ભાઈઓ હતા છતાં તમને જ રાજ્ય કેમ મળ્યું ?” ત્યારે રન બોલ્યો કે-“શત્રને પીડા કરવી વગેરે કાર્યો તમે ન કરો તો તમારા રાજ્યની વૃદ્ધિ શી રીતે થાય? અથવા અનેક જાતિના મોદકોથી ભરેલો થાળ મુખ આગળ પડ્યો હોય છતાં જો કોળીઓ ભરીને તેમાંથી મોઢામાં મૂકવાનો પ્રયાસ કરવામાં ન આવે તો શું તૃપ્તિ થાય?” આ પ્રમાણેનો બંનેનો વિવાદ સાંભળીને હાસ્ય અને રોષથી આક્રાંત થયેલા રાજાએ પોતાના માણસ દ્વારા માનવડે દુર્ધર થયેલા તે બન્નેને એક પાણી વિના ના કુવામાં નંખાવ્યા. - રાજિલ તો કુવામાં પણ નિરાંતે સુઈ ગયો અને રત્ન ચારે બાજુ માર્ગ શોધતો ફરવા લાગ્યો. મધ્યાહે રાજાએ તે બન્નેને માટે આઠ લાડુ મોકલ્યા, તે જાગતા એવા રત્ન ગ્રહણ કર્યા. પછી તેણે રાજિલને જગાડ્યો અને તેમાંથી ચાર લાડુ દયાપૂર્વક તેને ખાવા આપ્યા. સાંજે રાજાએ તે બન્નેને કુવામાંથી બહાર કઢાવીને તેમની સ્થિતિ પૂછી ત્યારે રાજિલે તો રંગમાં આવીને પોતાના ભાગ્યની ખૂબ પ્રશંસા કરી. તેણે કહ્યું કે–હે રાજન્ ! આ રત્નને ભમતા અને પ્રયાસ કરતાં જેટલા લાડવા મળ્યા એટલા મને સુવા છતાં પણ મળ્યા. તે સાંભળીને રત્ન બોલ્યો કે, “મેં કૃપા કરીને તેને ઉંઘમાંથી જગાડ્યો ત્યારે તને લાડુ મળ્યાને ?” એટલે રાજિલ બોલ્યો કે“મારા ભાગ્યે તને એવી બુદ્ધિ આપી કે આને જગાડ, તેથી મને જગાડ્યો.” પછી રાજાએ મોદકમાં નાંખેલી પોતાની વીંટી માંગી, તે રાજિલના હાથમાં આવેલી હોવાથી તેણે આપી. આ પ્રમાણે ભાગ્યની પ્રત્યક્ષ પરીક્ષા થવાથી રાજાએ તે બંનેને સમજાવ્યા અને ભાગ્યની સાફલ્યતા સ્વીકારી તેઓને પુણ્યકાર્ય કરવાની ભલામણ કરીને વિદાય કર્યા.* - આ કથા કહીને ધર્મદત્તની પત્નીએ પોતાના ભર્તારને કહ્યું કે– સ્વામી ! જો પુણ્યોદય થયો હશે તો પ્રયાસ વિના પણ બધું ઘરે બેઠા મળી રહેશે. કહ્યું છે કે- “ઉદ્યમ કરનારા પુરુષને ભાગ્યાનુસારે જ ફળ મળે છે. જુઓ ! સમુદ્રનું મંથન કરતા હરિને લક્ષ્મી મળી અને હર એટલે કે શિવને વિષ પ્રાપ્ત થયું. “માટે ન્યાયધર્મથી ઉદ્યમ કરતાં જે મળે તે ઘણું માનવું, અન્યાય કરવાથી ક્યારેક ઘણું ધન મળે તો પણ તે થોડા વખતમાં જ નાશ થાય છે. અન્યાયોપાર્જિત દ્રવ્ય ક્ષણમાત્ર પણ રહેતું નથી. તે સંબંધમાં કાશી નિવાસી ધનાવહ શેઠનું દષ્ટાંત છે. ધનાવહશેઠનું દષ્ટાંત *વાણારસી નગરીમાં સર્વ કાર્યમાં કુશળ, ધનાઢ્ય ધનાવહ નામે એક શ્રેષ્ઠી વસતો હતો. તે ઘીનો મોટો વેપારી હતો. એક દિવસ તેણે એક ગ્રામ્ય સ્ત્રી પાસેથી ખોટા તોલા વડે વધારે ઘી લઈને સવા રૂપિઓ ઉપાર્જન કર્યો. પછી તેણે વિચાર્યું કે-“અન્યાયનું દ્રવ્ય વધારે વખત ટતું નથી તેથી આ સવારૂપિયાને આજે જ ભોજનાદિમાં વ્યય કરી નાખું.” એમ વિચારીને તે દ્રવ્યવડે ઘઉં, ઘી, ખાંડ વગેરે પોતાના પુત્રને અપાવીને કહ્યું કે–આ વસ્તુથી તારી માતા પાસે ઘેબર કરાવજે.” પુત્રના મોઢામાંથી તો રસ ઝરવા લાગ્યો. તેણે હર્ષિત થઈ ઘરે જઈને પોતાની માતાને ઘેબર કરવા કહ્યું. તેણે ઘેબર કર્યા. જમવાનો વખત થયો, તેટલામાં બહારગામથી શેઠના જમાઈ બીજા મિત્રોની સાથે શેઠને ઘરે આવ્યા શેઠાણીએ આગ્રહપૂર્વક તેમને જમવા બેસાડ્યા - અને ઘેબર જમાડીને પ્રસન્ન કર્યા. કહ્યું છે કે–“સ્ત્રીઓને ક્લેશ, કાજળ અને સિંદુર એ ત્રણ
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy