SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય જરાવસ્થામાં મુખ દાંત વિનાનું થાય છે, વાણી અસ્પષ્ટ હોય છે, ચાલવાની શક્તિ અને ઇન્દ્રિયો નાશ થાય છે, તેથી જરા બીજી બાલ્યાવસ્થા જેવી છે. સોમશ્રેષ્ઠીએ ચોથા કુમારને આ વૃદ્ધા પર આવતી માખી વગેરેને ઉડાડવા અને પાણી વગેરે પાવા માટે તેની ચાકરીમાં રાખ્યો. તે વૃદ્ધા સુતી હતી ત્યારે તેના મુખ ઉપર બેસતી માખીઓને ઉડાડતાં તે બોલતો હતો કે- હું તમને સ્પષ્ટ કહું છું કે તમારે અહીં ન આવવું.” આ પ્રમાણે વારંવાર કહેવા છતાં માખીઓ તો વિકળ હોવાથી ત્યાં આવતી હતી. એટલે તેણે તેને ઉડાડીને કહ્યું કે–“હવે હું તમને છેલ્લી વખત કહું છું કે તમે અહીં આવશો નહીં, નહીં તો હવે મારે તમને શિક્ષા કરવી પડશે, પછી મને દોષ આપશો નહીં “આ પ્રમાણે કહેવા છતાં માખીઓ તો અટકી નહીં એટલે તેણે મોટું સાંબેલું ઉપાડ્યું તેથી માખી ઉડી ગઈ અને સાહેલું ડોશીના મોઢા ઉપર પડ્યું. તેથી ડોશી મૃત્યુ પામી ગઈ. સાંબેલાનો અવાજ સાંભળીને શેઠ ત્યાં દોડી આવ્યા અને વૃદ્ધાની આ સ્થિતિ જોઈને પેલા કુમારને કહ્યું કે–રે મહાદુષ્ટ ! આ શું કર્યું? મારી માતાને મારી નાંખી !” તે બોલ્યો કે- હું શું કરું? મેં તો માખીઓને ઘણું કહ્યું પણ તે અટકી નહીં, ત્યારે મારે તેને મારી નાખવી પડી. બીજું મેં કાંઈ કર્યું નથી.” આવી તેની મૂર્ખાઈ જોઈને તેને વધારે ન કહેતાં શેઠે ડોશીનો મૃતદેહ લઈ જઈને અગ્નિસંસ્કાર કર્યો, પછી ઘરે આવીને શેઠ રડવા લાગ્યા. તેટલામાં પહેલાનાં ત્રણ કુમારો પણ ત્યાં આવી પહોંચ્યાં. તેમાંથી બે જણાએ ગદ્ગદ્રસ્વરે ગાડાના મૃત્યુ પામવાની ને તેને બાળી દીધાની વાત કરી. ત્રીજાએ ઘીના પાત્રમાં ચોર પેસી ગયો હતો તેની વાત કરી. આ પ્રમાણે ચારે જણની મૂર્ખાઈની હકીકત જાણીને શેઠે તેને કાંઈક ખાવાનું આપીને ઘરની બહાર કાઢી મૂક્યા. ' આ પ્રમાણે પોતાના ચારે રાજકુમારની મૂર્ખાઈની વાત સાંભળીને રાજાએ તેમને પોતાની પાસે બોલાવી લીધા અને પછી વ્યવહારમાં નિપુણ કર્યા. * - શ્રીમતિએ આ કથા કહીને પોતાના પતિને કહ્યું છે કે– હે નાથ ! જેમ તે રાજપુત્રો પઠિતમૂર્ખ હતા, તે પ્રમાણે તમારો પુત્ર પણ તેવો જ પઠિતમૂર્ખ છે. પ્રથમ ત્રણ વર્ગ સાધવા માટે નિશાળે, પાઠશાળા અને કામશાળામાં મોકલ્યો હતો તેમ હવે આ ધર્મદત્ત અર્થ અને કામમાં પ્રવીણ થાય અને તે બે વર્ગ સેવે તે માટે યોગ્ય પ્રયત્ન કરો.” એ સાંભળીને શેઠે તેને પૂછયું કે– કામિનિ ! એવો કોઈ ઉપાય છે કે જેથી આ પુત્ર તે બે વર્ગમાં પ્રવીણ થાય ?” શેઠાણીએ કહ્યું કે–“આ પુત્રને જો જુગટીયાઓને સોંપશું તો તેઓ એને થોડા દિવસમાં કુશળ કરશે.” તે સાંભળીને શેઠ બોલ્યા કે–“અરે ! સર્વ અર્થને નાશ કરનારી આવી તારી વિપરિત બુદ્ધિ કયાંથી થઈ? ફસાઈ ગયેલું ભાગ્ય ક્યારેય થપ્પડ મારીને સમજાવતો નથી પણ તે તો જીવને કુબુદ્ધિ જ આપે છે. જેથી ગરીબની જેમ પ્રાણી રડે છે. ઘૂત, વેશ્યાપરનો રાગ, ધાતુવાદ, વિભ્રમ અને યોગીની સેવા આ સર્વે મનુષ્યોને ભાગ્ય રૂષ્ટમાન થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે અને તેથી મનુષ્યને તે ક્રિયામાં પ્રવૃત્તિ કરવી ગમે છે.” લંગોટી તે જ વસ્ત્ર, કુત્સિત અન્નનું જ ભોજન, કર્કશ ભૂમિ તે જ શવ્યા, અશ્લિલવાક્યોવાળી વાણી, વેશ્યા સાથે પ્રેમ, વિટ પુરુષોની સહાય,પરને ઠગવાનો જ વ્યાપાર, ચોરો
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy