SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય આવા ચિહ્નો જેના શરીર પર સ્પષ્ટપણે જણાય તે પુરુષ ભોગી, સત્તાવાન્, દાતા અને રાજા થાય છે. ચંદ્રયશા બાલ્યાવસ્થાથીજ આવા દેહ લક્ષણોથી લક્ષિત હતો, તેથી તે વિજ્ઞાન, વેશ અને ભાષા વગેરેમાં ચતુર હતો. વળી અઢાર લિપિ, ધૂર્તવાદ, ઇન્દ્રજાળ અને સર્વ વિધાનોનો જ્ઞાતા થયો. અનુક્રમે તે યુવતિઓને મોહ પમાડનાર યૌવનને પામ્યો. તેના ગુણોથી રંજિત બનેલા રાજાએ તેને યુવરાજપદે સ્થાપન કર્યો. તેનામાં વિચાર, આચાર, સંતોષ, જ્ઞાન, ધર્મ, તપ, ક્ષમા, સૌજન્ય અને ઉદારતા વગેરે ઘણા ગુણો હતા. આ પ્રમાણે તેને ગુણવાન્ જાણીને તેમ જ પ્રજાજનને અત્યંત વલ્લભ જાણીને રાજાએ તેને રાજ્ય આપવાનો નિર્ણય કર્યો. પિતાના વિચાર જાણીને નેત્રમાં અશ્રુ લાવી ચંદ્રયશાએ પોતાના પિતાને કહ્યું કે ‘“હે પિતા ! આપના ચરણકમળની સેવાથી હું નિશ્ચિત છું. હે સ્વામી ! ક્યાં ચંદ્રમા ને ક્યાં તારા, ક્યાં સ્વયંભૂરમણસમુદ્ર ને ક્યાં ખાબોચિયું, ક્યાં ઉત્તમ મણિ ને ક્યાં કાંકરો, તેમ ક્યાં આપની સેવાનું સુખ ને ક્યાં રાજ્ય ? હું આપની સેવાથી પ્રાંપ્ત થતા સુખને જ ઇચ્છું છું.” તે સાંભળીને તેના પિતા કાંઈક હસીને બોલ્યા‘હે વત્સ ! હે સાત્ત્વિક ! મેં તો સાંભળ્યું છે કે સેવામાં સુખ જ નથી. કહ્યું છે કે—પારકી સેવા–પરતંત્રપણું એ તો શ્વાસોશ્વાસ લેતા છતાં મરણ, અગ્નિ વિનાનું દહન, સાંકળ વિનાનું બંધન, પંક વિનાની મલિનતા અને નરક વિનાની તીવ્ર વેદના છે. વળી એ પાંચે કરતાં પરતંત્રતા વધારે દુઃખદાયક છે.' મહાભારતમાં કહેલું છે કે દરિદ્રી, વ્યાધિગ્રસ્ત, મૂર્ખ, પ્રવાસી અને નિત્યસેવક એ પાંચ જીવતાં છતાં પણ મૃત તુલ્ય છે. મનુએ કહેલું છે કે “વૃદ્ધમાતા-પિતા, સુશીલ સ્ત્રી અને બાલ્યાવસ્થાવાળા પુત્ર—તેમના અનેક કાર્યો કરવા પડે તો કરીને પણ પોષણ કરવું.” માતાપિતાનું પોષણ નહિ કરનાર, કોઈ ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનાર અને મરણ પામેલાના દ્રવ્યનું દાન લેનાર પુનઃ મનુષ્ય થતા નથી. આ પ્રમાણેના પિતાના વચનો સાંભળીને વિનયપૂર્વક બે હાથ જોડી પુત્ર બોલ્યો કે— ‘‘પિતાજી ! એમ ન કહો. જેનું ભાગ્ય ઉત્તમ હોય તેને જ માતાપિતાની સેવા પ્રાપ્ત થાય છે. રાજ્યના સંબંધમાં પુત્રનો આવો નિશ્ચય જાણીને હર્ષિત થયેલા પિતાએ પોતાના સુલક્ષણવાળા એવા પુત્રને રાજભંડારનો અધિકારી બનાવ્યો અને સંપૂર્ણ રાજદ્રવ્ય સોંપીને તેની પર મહાકૃપા કરી. આ પ્રમાણે પિતાપુત્રનો સુખમાં અને આનંદમાં ઘણો કાળ પસાર થયો. કાળક્રમે સર્વવસ્તુની પ્રાપ્તિ થઈ, વળી પુણ્યવાનને તો શું દુષ્કર છે ? ધર્મના પ્રભાવથી આખું વિશ્વ વશ થાય છે, વિપત્તિઓ નાશ પામે છે અને સંપદાઓ સિદ્ધ થાય છે. એક વખત ચંદ્રયશા રાજપુત્ર રાજમહેલના સાતમા માળમાં જ્યાં રત્નોના પ્રકાશથી અંધકારનો નાશ થાય તેવા વિભાગમાં રાત્રિમાં પુષ્પના ગુચ્છાથી વ્યાપ્ત અને કોમળ એવા પલંગમાં સૂતો હતો, તેવામાં તેણે એક શીયાલણીનો શબ્દ સાંભળ્યો. તે અલ્પ નિદ્રામાં હતો તેથી
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy