SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કેસર, અગર, મૃગમદ (કસ્તુરી) અને હરિ ચંદનાદિ સુગંધી વસ્તુઓ પણ મનુષ્યના કલેવરના સંસર્ગથી દુર્ગધી થાય છે. મોદક, દધિ, દૂધ, ઈક્ષરસ, શાલ્યાદિ ઉત્તમધાન્ય, દ્રાક્ષ, પાપડ, અમૃતી, ઘેબર, આમ્ર વગેરે સ્વાદિષ્ટ દ્રવ્યો પણ શરીરના સંગથી મળરૂપે થાય છે. તેથી મોહાંધ પ્રાણી જ શરીરને શુચિ = પવિત્ર માને છે. ૯૧. પુણ્યકાર્યનું આચરણ કરવું, પરોપકાર કરવો અને વ્રત અભિગ્રહાદિ ધારણ કરવા તે શરીરનો સાર છે. વિશુદ્ધ મન, વાણીનો સંયમ અને ઇન્દ્રિયોનો નિગ્રહ એ ત્રણ મહાતીર્થરૂપ છે અને તે તીર્થની સેવાથી સ્વર્ગ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અભિમાન વિનાના પરહિતાર્થમાં ઉદ્યમવાળા, પરના વિકાસમાં સ્થિર રહેનારા, અન્યની વિપત્તિ જોઈને ખેદથી વ્યાકુલ બનનારા મહાપુરુષોની કથા સાંભળવાથી રોમાંચિત થનારા તથા સર્વ દુરિતરૂપ સમુદ્રનો પાર પમાડનાર સેતુ જેવા સત્પરુષો જયવંતા વર્તે છે. સર્વજનોના સમીહિત (વાંછિત)ને કરનાર, ઉપકાર કરવામાં તત્પર, સ્વાર્થમાં પ્રમાદી અને પરમાર્થમાં ઉદ્યમી એવા પુરુષ કોને પ્રિય થતા નથી ? સદ્વાક્ય સમાન વશીકરણ નથી, ઉત્તમકળાથી ઉત્કૃષ્ટ કોઈ ધન નથી, અહિંસા જેવો બીજો કોઈ ધર્મ નથી અને સંતોષની તુલનામાં કોઈ સુખ નથી. ધર્મનું મૂળ વિનય છે, વિનયથી ધન ઉપાર્જન થઈ શકે છે અને વિનયવંતને વિનીતસ્ત્રી, અનુકૂળ પુત્રો અને ત્રણ વર્ગની સાધના આદિ સર્વની પ્રાપ્તિ થાય છે જેમ દરિદ્રીના ઘરમાં દિપક અલ્પ સમય જ હોય છે તેમ અલ્પ પુણ્યવાળા જીવોના ચિત્તમાં વિવેક ચિરકાળ ટકી શકતો નથી. દાન, શીલ, તપ ને ભાવરૂપી ચાર શાખાઓ યુક્ત ધર્મરૂપી કલ્પવૃક્ષ પ્રાણીને કલ્યાણ અને દ્રવ્યાદિ સુખસંપત્તિ આપે છે. તે ચાર પ્રકારમાંથી પ્રથમ દાનરૂપ શાખાનું કાંઈક વર્ણન કરીએ છીએ. કારણ કે દાનવડે જ ઉત્તમ ભોગ પ્રાપ્ત થાય છે અને દાનવડે જ ઉજ્જવળ કીર્તિ થાય છે. રાજ્યાદિક સુખને તજીને સુપાત્રદાનથી પ્રાણી ચંદ્રયશા રાજા અને ધર્મદત્ત વણિકની જેમ શિવસંપત્તિને પ્રાપ્ત કરે છે. ૧૦૧. ( આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને શ્રીહસ્તિપાળ રાજાએ કહ્યું કે-“હે પ્રભુમને એ ચંદ્રયશારાજા અને ધર્મદત્ત વણિકનું ચરિત્ર સાંભળવાની ઉત્સુકતા છે. તેથી તે સંભળાવવા કૃપા કરો.” શ્રી વીરભગવંતે કહ્યું કે “હે રાજન્ ! જો તમને ઇચ્છા છે તો તેનું ચરિત્ર સાંભળો, જેથી તમને ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન થશે. | ચંદ્રયશા રાજા અને ધર્મદની કથા | સર્વ દ્વીપોની મધ્યે રહેલા જંબૂ નામના દ્વીપમાં દક્ષિણ બાજુએ પ્રથમ ભરત નામે ક્ષેત્ર છે. તે ભરતક્ષેત્રમાં સરસ્વતીના સ્થાનભૂત, અનેક કૌતુકવાળો, જયાં પાપકર્મ ઓછાં થાય છે એવો કાશ્મીર નામનો ઉત્તમદેશ છે. તે દેશમાં ચંદ્ર જેવું ઉજ્જવળ ચંદ્રપુર નામનું નગર છે. ત્યાં ધર્મવાનું અને પવિત્ર એવો યશોધવલ નામનો રાજા રાજય કરે છે. તેને દેવાંગના તુલ્ય યશોમતી નામે રાણી છે. તે રૂપ સૌભાગ્ય અને શીલાદિ ગુણોથી ભૂષિત છે. તેની કુક્ષિારૂપી તળાવડીમાં
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy