SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યો રાજાએ વિધિપૂર્વક પોસહ પાર્યો અને શ્રીનિવાસકુમારને પોતાના રાજયપર સ્થાપન કરી શ્રીભુવનચંદ્ર ગુરુભગવંત પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે શ્રુતકેવલી થયેલા ચંદ્રોદયમુનિ ગુરુમહારાજની આજ્ઞાથી પૃથ્વી પર એકલા વિચારવા લાગ્યા અને ઉપદેશાદિવડે અનેક જીવોને પ્રતિબોધવા લાગ્યા. એક દિવસ તેઓ એક નગરે ગયા, ત્યાં ઉષ્ણકાળે મધ્યાહે આતાપના સહન કરવા લાગ્યા અને રાત્રીએ સ્મશાનમાં કાયોત્સર્ગ સ્થિરપણે રહ્યા. તે વખતે પૂર્વભવના વૈરથી અસુરે આવીને અનેક પ્રકારના ઉપસર્ગો કર્યા. હાથીનું રૂપ કરી દાંતવડે ઉપાડી ઉપાડીને પછાડ્યા. વજ જેવી ચાંચવાળા પક્ષી થઈને તેવી ચાંચવડે ઘણા ઉપઘાતો કર્યા. યક્ષ, રાક્ષસ અને સર્પાદિકના ભયંકર રૂપો કરીને ભય પમાડ્યો. આ પ્રમાણે તેમને ક્ષોભ પમાડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છતાં ચંદ્રોદય મુનિ ક્ષોભ પામ્યા નહીં, આ પ્રમાણે તેમની અપૂર્વ ક્ષમા તેમજ સ્થિરતા જોઈને તે દેવ શાંત થઈ ગયો અને મુનિના ઉપદેશથી મત્સરને ત્યજી તે દેવ પ્રતિબોધ પામ્યો. શુદ્ધ સમ્યક્ત પામીને કેટલાક ભવ કરી પ્રાંતે મનુષ્ય થઈને મોક્ષે ગયો. ચંદ્રોદય રાજર્ષિ પણ ઉત્તમ ધ્યાનને ધ્યાવવાથી કેવળજ્ઞાન પામ્યા અને અનુક્રમે અનેક જીવોને પ્રતિબોધ પમાડી મોક્ષે ગયા. જેમ ઔષધ તેને આપેલી ઔષધિઓની ભાવનાવડે ભાવવાથી ગુણકારી થાય છે તેમ ભાવસાહિત કરેલો ધર્મ પણ પ્રાણીને ફળદાયક થાય છે. દાન, શીલ અને પરૂપ ધર્મ ભાવસંયુક્ત હોવાથી જ પૂર્ણફળને આપે છે. જુઓ ! ભોજનમાં પણ લવણ હોય છે તો જ સ્વાદ આવે છે, તે વિના સ્વાદ આવતો નથી. ભાવનાના બળથી ભરતચક્રવર્તી કેવળજ્ઞાન પામ્યા અને ભાવથી હરણ પણ બળદેવમુનિની સાથે સ્વર્ગે ગયો. આ પ્રમાણે ધર્મરૂપ કલ્પવૃક્ષની ચોથી શાખામાં ભાવધર્મ ઉપર વૈરાગ્યને ઉત્પન્ન કરનારી ચંદ્રોદય રાજાની કથા મેં કહી. આ પ્રમાણે શ્રી આગમગચ્છ શ્રીપૂજ્ય શ્રીમુનિસિંહસૂરિ , તત્ય શ્રીશીલરત્નસૂરિ, તત્પઢાંબુજદિનકર શ્રીઆણંદપ્રભસૂરિ તત્પટ્ટવિભૂષણ નિર્જિત સમસ્ત દૂષણ શ્રી મુનિરત્નસૂરિ, તત્પટ્ટાલંકાર શ્રી આણંદરત્નસૂરીશ્વર વિજયમાનું રાજ્ય, મહોપાધ્યાય શ્રી મુનિસાગર તતુશિષ્ય પંડિત શ્રીઉદયધર્મગણિ વિરચિત પં. શ્રી ધર્મદેવગણિ સંશોધિત આગમોક્ત મહાકાવ્યમાં શ્રી વિરપ્રભુની દેશનામાં ધર્મકલ્પદ્રુમમાં ચોથી ભાવ નામની શાખાઉપર ચંદ્રોદય રાજાનું આખ્યાન અને આઠમો પલ્લવ સમાપ્ત.
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy