SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ અષ્ટમ પલ્લવઃ ભોગ ભોગવવા લાગ્યો. કેટલોક સમય વ્યતીત થતા તેમને શ્રીનિવાસ નામનો પુત્ર થયોઅનુક્રમે તે વૃદ્ધિ પામ્યો અને સર્વ કળાઓમાં કુશળ થયો. ચંદ્રોદય રાજાને ૭000 રાણીઓ થઈ, તેથી બમણી દાસીઓ થઈ અને ઘણા પુત્રો થયા. મોટી પ્રભુતાને પામેલો તે ન્યાયવડે પ્રજાને પાળે છે, તેમાં કોઈ કોઈનું દ્રોહ કે વંચના કરતું નથી. સાત ઇતિ કે મારી (મરકી) થતી નથી, વૈર કે વ્યાધિઓ ઉત્પન્ન થતા નથી, તેમજ તે સુધર્મી રાજા રાજ્ય કરતે છતે આખી પ્રજામાં દુઃખ કે ભય નથી, કોઈ અસત્ય બોલતું નથી, કોઈ હિંસા કરતું નથી, તેના રાજ્યમાં સર્વ પ્રજાએ સાત વ્યસનો તજી દીધા છે. આચારમાં સુંદર એવા લોકો ત્યાં દુષ્કર્મથી ભયવાળા (દુષ્કરભીરુ) છે, તેમજ અનાચાર રહિત છે. “યથા રાજા તથા પ્રજા એવો ન્યાય જ છે.” અનેક મનુષ્યો અને વિદ્યાધરો ભક્તિપૂર્વક ચંદ્રોદય રાજાને સેવે છે. કિન્નરી અને કિન્નરાદિક તેમના ગુણગાન કરે છે. તે રાજા દીન અને યાચકોને મનવાંછિત દાન આપે છે તેમજ ભક્તિવડે સુપાત્રદાન આપે છે અને અનેક પ્રકારના ધર્મકાર્યો કરે છે. તેની પાસે કોશ, દેશ, નગર વગેરે એટલી ઋદ્ધિ હતી જેથી તે અર્ધચક્રી સમાન લાગતો હતો. પૂર્વપુણ્યના યોગથી તે ત્રિખંડાધિપતિપણું પામ્યો. એ પ્રમાણે કેટલોક કાળ વ્યતીત થતાં એક વખત રાત્રિએ તે જાગૃત થયો. તે વખતે વિચારવા લાગ્યો કે “અરણ્યમાં માલતીના પુષ્પની જેમ મારો જન્મ વૃથા જાય છે મેં આ અમૂલ્ય જન્મનું કાંઈ ફળ પ્રહણ કર્યું નહીં. કાંઈ સુકૃત કર્યું નહીં, જેમ કૂપની છાયા કૂપમાં જ સમાયબીજાને લાભ ન આપે તેમ મારો આ જન્મ નિષ્ફળ ગયો. “આ પ્રમાણે ભાવના ભાવી પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરીને તે ઉઠ્યો અને પ્રભાત સંબંધી કૃત્ય કરી રાજસભામાં આવીને બેઠા ! સભામાં બેસનારા મંત્રી વગેરે પણ આવ્યા અને તેઓ ભક્તિપૂર્વક રાજાને પ્રણામ કરીને પોતપોતાને આસને બેઠા. પછી રાજાએ સભાજનોને કહ્યું કે–ભો ભો સભાજનો ! તમે આ સંસાર સ્થિર છે કે અસ્થિર છે તે જાણો છો?” તેઓ બોલ્યા છે– સ્વામી ! અમે જાણતા નથી. આપ જાણતા હો તો કહો.” રાજા બોલ્યા કે–ભો સજ્જનો ! સાંભળો : આ શરીર અસ્થિર છે, વૈભવ પણ અસ્થિર છે, જીવિત ચપળ છે અને આ સંસારમાં વસ્તુમાત્ર અસ્થિર છે. આ સંસારરૂપ નાટકશાળામાં જીવો ઉત્તમ, મધ્યમ અને અધમ એવા કર્મના સંયોગથી વિવિધ પ્રકારના રૂપ ધારણ કરીને નાચ કરે છે. વિષય, કષાય, યોગ અને પ્રમાદવડે આર્તરૌદ્ર ધ્યાન દ્વારા જીવો અનેક પ્રકારના અશુભ કર્મો બાંધે છે અને તે કારણે ભૂમિ પર શયન કરવું, ભોજન મેળવવું, સહજ સહજમાં પરાભવ સહેવો, નીચના દુર્ભાષિતો સાંભળવા-આ પ્રમાણેના તેના ફળ પ્રાપ્ત કરીને જીવો નિરંતર શરીર સંબંધી તેમજ મનસંબંધી દુખને સહન કરે છે. મોટા મહેલમાં કે સ્મશાનમાં, સ્તુતિમાં કે શ્રાપમાં, કાદવમાં કે કુંકુમમાં, પલંગમાં કે કંટકોમાં, પથ્થરમાં કે ચંદ્રકાન્ત મણિમાં, ચામડીમાં કે ચીનાઈ રેશમી વસ્ત્રમાં, શીર્ણ થયેલ શરીરવાળી સ્ત્રીમાં કે દેવાંગનામાં અસાધારણ સમભાવના વશથી જેમનું ચિત્ત વિકલ્પવડે વ્યાપ્ત થતું નથી તે મનુષ્ય સામ્યપણાની લીલાના વિલાસને સારી રીતે અનુભવે છે. સ્વપ્રશંસા અને
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy