SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કુષ્ટિ સારો, ઠુંઠો સારો, પક્ષી સારો અને પ્લેચ્છ સારો પણ કુળને લજાવનાર મારા જેવો સારો નહીં. કેટલાક મનુષ્યો તો આખા જગતનું રક્ષણ કરવામાં સમર્થ હોય છે, કેટલાક કુટુંબનું રક્ષણ કરવામાં સમર્થ હોય છે. કેટલાક પોતાનું પેટ ભરવામાં સમર્થ હોય છે અને મારા જેવા દુર્ભાગ્યરૂપી સર્ષે ડશેલા તો પોતાનું પેટ ભરવા પણ સમર્થ હોતા નથી. તે તૃષ્ણાદેવી ! મનથી યાચના કરવામાં તત્પર મારા જેવા દ્યો, ઘો” એમ કહેતા ફરે છે, કોઈ વખત પારકે ઘરે માનરહિતપણે કાગડાની જેમ શંકા સહિત જમે છે, વળી ભ્રકુટીના કટાક્ષથી કુટિલ દષ્ટિએ જોનારા દુર્જનોથી જોવાય છે. કોઈપણ જગ્યાએ શાંતિ કે સન્માન પામતા નથી. દુર્જનનું વર્તન જોયું, સજ્જનજનોથી થતો પરાભવ વેક્યો, મિત્રાઈ માટે ધનવંતોની ખુશામત કરી, ઠીકરાના ભાજનમાં જમ્યો, ઉઘાડા પગે ઘણું ગમનાગમન કર્યું, તૃણના સંથારા ઉપર સૂતો–બધા દુઃખો સહન કર્યા, છતાં તે કૃતાંત ! હજી પણ કાંઈ દુઃખ આપવાનું બાકી રહ્યું હોય તો તે પણ આપી દે કે જેથી હું તે ભોગવવા તૈયાર રહું.” આ પ્રમાણે વિચારીને છેવટે તેણે વિચાર્યું કે–પરાભવના સ્થાનરૂપ દુર્ભાગી એવા મને તો અહીં રહેવાનું સ્થાન જ નથી, તેથી બહારગામ જવું તે જ યોગ્ય છે. આમ વિચારીને પોતાનું નગર ત્યજીને તે બહાર નીકળ્યો. અનુક્રમે તે વનમાં આવ્યો. ત્યાં તેને ગોવાળોએ પાષાણ અને લાકડીઓ વડે ઘણો માર માર્યો. તે સમયે તેણે સમતા ધારણ કરીને વિચાર્યું કે રે જીવ ! તારાં કરેલાં કર્મો તારે ભોગવવાનાં છે, તેથી શાંતિથી સહન કર. દારિદ્રરૂપી દવથી બળેલાને, આધિવ્યાધિથી દુઃખી થયેલા જીવોને, કૃપણોને અને અશક્તોને ક્ષમા તે જ ગતિ છે—ક્ષમા જ ધારણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે વિચારતા અને આગળ ચાલતા તેણે એક મોટી અટવીમાં ભયભીતપણે પ્રવેશ કર્યો. તેટલામાં તેણે સિદ્ધાસને સ્થિર રહેલા એક મુનિ જોયા. મુનિએ દીન એવા તેને આવતો જોઈને “હે વત્સ ! આવ, આવ.' એમ કહીને બોલાવ્યો તે સાંભળીને તે દુર્ભાગી સંવરે વિચાર્યું કે–અત્યારે મારું ભાગ્ય કાંઈક જાગૃત થયું જણાય છે. કારણકે આજ સુધી “આવ' એવો શબ્દ આ જીંદગીમાં મેં ક્યારેય સાંભળ્યો નથી.” પછી આંખમાંથી આંસુ ઝરતાં તેણે મુનિરાજના ચરણમાં પ્રણામ કરીને કહ્યું કે-“હે ભગવન્! આપના દર્શનથી આજે હું કૃતાર્થ થયો છું.” મુનિએ તેનો હાથ ઝાલીને તેને આશ્વાસન આપી સ્વસ્થ કર્યો. ત્યારબાદ તેને આ પ્રમાણે વૈરાગ્યની દેશના આપી. “હે ભવ્ય પ્રાણી ! આ સંસારમાં રહેલા જીવોને પ્રથમ તો ગર્ભાવાસમાં દુઃખ ભોગવવું પડે છે, ત્યારબાદ એટલે કે જમ્યા પછી સ્ત્રીના દૂધનું પાન કરવું અને મળથી મલીન શરીરે રહેવું એ પણ દુઃખ સ્વરૂપ હોય છે, તરુણવયમાં પણ શોક વિયોગાદિ અનેક પ્રકારનાં દુઃખ હોય છે અને અંતે વૃદ્ધપણું પણ તદ્દન અસાર છે, માટે તે મનુષ્ય ! કહે, આ સંસારમાં કોઈ પણ અવસ્થામાં થોડું પણ સુખ છે ? આ સંસાર મહાન કૂપ સમાન છે, અનેક પ્રકારની વિપત્તિરૂપ જળથી ભરેલું છે. ધર્મ એ કૂપમાં પડેલા પ્રાણીઓને ઉદ્ધારવા માટે રજુ સમાન છે. સ્વલ્પ ધન હોવા છતાં પણ સંતોષ, કષ્ટમાં પણ શાંતિ આયુષ્યના અંત સમયે પણ ધીરપણુંએ મહાત્માઓનો સ્વભાવ જ છે.” આ પ્રમાણેની ગુરુભગવંતની દેશના સાંભળીને સંવર બોલ્યો કે, “હે ભગવંત ! મને
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy