SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો પલ્લવઃ ૧૫૧ સ્ત્રીમાં, રવિ કન્યાવસ્થામાં રહેલ કુંતિમાં, પુરુષોત્તમ (કૃષ્ણ) આભીરીમાં, અને સુરપતિ ઇન્દ્ર તાપસણીમાં લુબ્ધ થયા. તેથી કંદર્પસમાન અન્ય બળવાનું કોઈ નથી. કામવિઠ્ઠલ મનુષ્યો માતાપિતાને કે કુળને જોતા નથી, પરણેલી સ્ત્રીનો સ્નેહ ગણતા નથી, કોનું ઘર છે તે પણ વિચારતા નથી, પાત્રાપાત્રને જોતા નથી અને પોતાના કે પરના કોઈને છોડતા નથી. અર્થાત કામની વિકળતાથી જીવ ન કરવા યોગ્ય અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. વિષય અને વિષએ બેમાં મોટું અંતર છે. વિષ તો પ્રાણીને ખાવાથી હણે છે પણ વિષય તો સ્મરણમાત્રથી હણે છે. માટે તે સુમતિ મંત્રી! તું તારી મતિથી કાંઈક વિચાર કરીને એવો ઉપાય કર કે જેથી મને સ્વપ્નમાં દેખાયેલી સ્ત્રી મળે.” પછી મંત્રીએ સ્વપ્નમાં રાજાએ જોયા પ્રમાણે એક નગરની રચના કરી અને તેની પાસે એક દાનશાળા કરાવી ત્યાં જે પરદેશી આવે તેને જમાડીને પછી મંત્રી નવું નગર બતાવી પૂછતો કે– તમે આવું નગર ક્યાંય જોયું છે અથવા સાંભળ્યું કે ?' એ પ્રમાણે ઘણો સમય વીતી ગયો. રાજા પણ રાજકાર્ય કરવા લાગ્યો. એક વખત કોઈ પરદેશી ત્યાં આવ્યો. તેને જમાડીને મંત્રીએ નગર બતાવીને તે વિષે પૂછ્યું, તેથી તે રોવા લાગ્યો. આ પ્રમાણે રડતા તેને જોઈને મંત્રીએ કૌતુકથી તેને રોવાનું કારણ પૂછ્યું, પેલો પરદેશી બોલ્યો કે–“મારી જન્મભૂમિની નગરી આવી જ છે. ત્યાં મારા માતાપિતા વસે છે. નગરી જોવાથી મને તેમનું સ્મરણ થયું અને તેનો વિરહ જાગૃત થતાં હું રડ્યો.” મંત્રીએ કહ્યું કે– હે પરદેશી ! તું કહે કે તે નગરીનું નામ શું છે ? અહીંથી તે કેટલી દૂર છે? ત્યાંનો રાજા કોણ છે? અને એના સંબંધમાં કોઈ અપૂર્વ વાત સંભળાય છે ?" - પથિક બોલ્યો કે-“હે સુમતિ મંત્રિનું ! ઉતરાપથમાં પ્રિયંકરા નામની નગરી છે. ત્યાં સત્યશેખર નામનો રાજા છે. તે રાજાને સત્યશ્રી નામની દેવાંગના જેવી પટ્ટરાણી છે. તે શીલરૂપ સન્નાહસંયુક્ત છે અને ભાગ્ય સૌભાગ્યવડે અલંકૃત છે. તે રાણીની કળશ્રી નામની વિચક્ષણ પુત્રી છે. તે સ્ત્રીવર્ગમાં સીમા તુલ્ય અર્થાત્ શ્રેષ્ઠ છે પરંતુ તે નરમત્સરા–પુરુષàષિણી છે. વિધાતાએ ચંદ્રમાને વિષે કલંક, પદ્મની નાળમાં કાંટો, સમુદ્રના જળમાં ખારાશ, પંડિતમાં નિર્ધનતા, સ્નેહીજનોમાં વિયોગ, રૂપવંતમાં દુર્ભાગીપણું અને ધનવંતમાં કૃપણતા–આ પ્રમાણે દોષો સ્થાપન કરીને સર્વ રત્નને દૂષિત કર્યો છે.” તે નગરીની પૂર્વ બાજુએ એક શ્રેષ્ઠ દેવમંદિર છે. તેની નજીકનાં આશ્રમમાં બે પરિવ્રાજિકાઓ વસે છે. તેમાંની એક મહાવિદ્યા, લબ્ધિ અને સિદ્ધિથી વિરાજિત તેમજ બીજી મંત્રતંત્રાદિમાં અને કપટકળામાં પ્રવીણ છે. તે આશ્રમની પાસે એક ઘણો ઊંચો અને મનોહર મહેલ છે. તેમાં તે રાજપુત્રી પુરુષ પ્રત્યેના દ્વેષથી એકલી રહે છે. તે મહેલની પાસેના આશ્રમમાં વારંવાર ગમનાગમન કરે છે અને તે પરિવ્રાજિકાની પાસે નવા નવા શાસ્ત્રો શીખે છે. શાસ્ત્રના અભ્યાસથી તે અનેક વિદ્વાનોના હૃદયને આલાદ ઉત્પન્ન કરે તેવી છે, ગીતગાનવડે અભિમત એવા સખીવર્ગને આનંદ પમાડે છે, પદ્માના પુત્રને સુગંધી પુષ્પવડે નિરંતર પૂજે છે અને ચિત્તની શુદ્ધિવડે અનુપમ મંત્રનું આરાધન કરે છે. પોતાના મહેલમાં રહીને પરિચિત એવી સખીઓ સાથે
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy